Monday, February 16News That Matters

Gujarat

ભાવનગર જિલ્લામાં તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા. ૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાશે જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવશે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત વયના લોકોમાં ક્ષમતા બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાળપણમાં તેની અસર સૌથી ગંભીર હોય છે. સગર્ભાવસ્થામાં આયર્નની ઉણપનો એનિમિયા પેરીનેટલ નુકશાન, અકાળે અને ઓછા જન્મ વજન તરફ દોરી શકે છે (LBW) બાળકો. આયર્...

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નીકાવા ખાતે યોજાયો લોન ધીરાણ કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નીકવા (કાલાવડ) ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબારો / લોક સંવાદ નુ આયોજન કરવામાં આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી સારો પ્રતીસાદ સાપડયો હતો. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૭/૦૨/૨૦૨૩ ના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નીકાવા ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન / ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલાના અધ્યક્ષપણા હેઠળ કાલાવડ ગામ્ય પો. સ્ટે. નાં પો.સબ.ઇન્સ. એચ.વી.પટેલ તથા યુનીયન બેંક ઓફ ઇન્ડીય...

ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોક અદાલત યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશથી ભાવનગર જીલ્લા કાનૂની સેવ સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૧/૦૨/૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય તે પહેલા પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ. , નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્મા...

વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. ૬૬૦૦/- અને ચણા પાક માટે રૂ.૫૩૩૫/- ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.  જેની ખરીદી આગામી તા.૧૦-૦૩-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડ ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર ૭-૧૨ અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક ખાતાની વિગતો નોંધણી સમયે પોતાની સાથે લઇ જવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથની એક યા...

ગીર સોમનાથ જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ પ્રજાજનોને તેમના પ્રશ્નોનો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન’ ફરિયાદ નિવારણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેને અનુલક્ષી ગીર સોમનાથમાં ફેબ્રુઆરી મહિનામાં તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ ગુરૂવારે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ ૨૨/૦૦૨/૨૦૨૩ના રોજ બુધવારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે-તે ગામના તલાટીને દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ, ઈણાજ તેમજ તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરીને સીધા પણ રજૂ કરી શકશે....

 વેરાવળ ખાતે SNC અંતર્ગત પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  જિલ્લાના તાલુકા મથક વેરાવળ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગનું જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૫થી લઈ ૨૦૨૨ સુધીમાં ટીબીનો ઘટાડો જોવા મળ્યો છે કે નહીં તે અંતર્ગત ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં વેરાવળના પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરઓ અને કેમિસ્ટ્સ ઉપરાંત જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રોફેસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મિટિંગમાં જૂનાગઢ મેડિકલ કોલેજના પીએસએમ પ્રોફેસર ડો કપિલ ગૌયાની અને ડો.મયૂર વાળા અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ STDC ખાતેથી ડોક્ટર કશ્યપ, WHO ડોક્ટર ઓઝા તેમજ ચેન્નઈથી આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો. મુનીયાડા તેમજ  ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ નિલેશ ઝાલા, ડીએસબીસીસી તોસીફ ભાઈ શેખ તેમજ મેણસી...

સોમનાથ મહાદેવના સાનિધ્યે સુંદરકાંડ પાઠ

Gujarat
ભક્તો સુંદરકાંડના દિવ્યપાઠ શ્રવણ કરી ધન્ય બન્યા હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે પૂર્ણિમાં નુ વિશેષ માહાત્મય રહેલુ છે, કાર્તિકી પૂર્ણિમાં એ ભગવાન શિવ એ ચંદ્રને મસ્તક પર ધારણ કરેલ. ત્યાર થી પૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના દર્શન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, ભક્તો પુનમ ભરવાની બાધા રાખી પૂર્ણિમાં પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાભેર આવતા હોય છે. સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક હનુમાનજી મંદિર છે, સોમનાથ આવતા ભક્તો પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી દિવ્ય અનુભુતી કરી શકે તેવા શુભહેતુ સાથે દરમાસની પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. આ પૂર્ણિમાં એ જય સિયારામ સુંદરકાંડ મંડળ સુત્રાપાડા તરફથી સુંદરકાંડના પાઠ સોમનાથ મહાદેવ તથા હનુમાનજી અને ઉપસ્થીત યાત્રીઓને શ્રવણ કરાવવામાં આવેલ, આ પાઠમાં શ્રી સોમાનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ સહિત ભક્તો પણ જો...

એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બનાસકાંઠા વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજીની પાવન ભૂમિમાં આ અનેરો અવસર ઉજવાશે ત્યારે અરવલ્લીના ડુંગરાઓમાં ભક્તિનો અનેરો સંગમ સર્જાશે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત...

બરવાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બરવાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે અત્રેની મામલતદાર કચેરીમાં તા.૧૨/૦૨/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે....

૨૫૧૬ કરોડના ખર્ચે થશે ૬૩ હજાર મંડળીઓનું કોમ્પ્યુટીકરણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ કેન્દ્રીય બજેટ પ્રસ્તુતીને આવકારતા રાષ્ટ્રીય સહકારી આગેવાન, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર ક્ષેત્રે લાંબાગાળાના આયોજન, વિકાસ અને આધુનિકરણને કેન્દ્વ સરકારે બજેટમાં સ્થાન આપતા ગ્રામીણ અર્થતંત્ર, બેંકીંગ સવલત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત ખૂબ જ લાભકારક બની રહેશે. સાથોસાથ સંઘાણીએ ઉમેર્યું હતું કે, રૂ.૨૫૧૬ કરોડના ખર્ચે દેશની લગભગ ૬૩ હજારથી પણ વધુ કૃષિ–સહકારી મંડળીઓનું કોમ્પ્યુટીકરણ સાથે ડેટાબેઝથી દેશવ્યાપી જોડાણ કરશે જે સમગ્ર દેશમાં પ્રથમવાર આ પ્રકારની આધુનિકતા, ઋણ, વિમા, જમીનની તંદુરસ્તી, સ્વસ્થ ઉત્પાદન, પોષણક્ષમ વળતર, આવક બમણી કરવા, સિંચાઈ માટે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ડેરી યોજનાઓ, મત્સ્યોદ્યોગ, ખાંડ ઉદ્...