Monday, February 16News That Matters

Gujarat

વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેતા જી-૨૦ દેશના પ્રતિનિધિઓ

વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેતા જી-૨૦ દેશના પ્રતિનિધિઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશનએ હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ...

TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ ...

શિવરાત્રી મેળા ૨૦૨૩ યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે

Gujarat
 હિન્દ ટીવી - ગુજરતી, જૂનાગઢ           લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – ૦૨૮૫- ૨૬૩૩૪૪૬,૨૬૩૩૪૪૭,૨૬૩૩૪૪૮. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – ૦૨૮૫ – ૨૯૬૦૧૧૬,૨૯૬૦૨૪૬. માહિતી કેન્દ્ર – ૦૨૮૫ – ૨૯૬૦૧૭૩,૨૯૬૦૧૭૪. પોલીસ ઈમરજન્સી નં. ૧૦૦લ ફોન – ૦૨૮૫ – ૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – ૦૨૮૫- ૨૬૩૩૭૦૦, ફાયર ઈમરજન્સી નં. ૧૦૧ ફોન – ૦૨૮૫ – ૨૬૨૦૮૪૧, ૨૬૫૪૧૦૧, મો – ૯૬૨૪૭૫૩૩૩૩, એમબ્યુલન્સ ઈમરજન્સી નંબર – ૧૦૮, મો. નં. – ૯૯૦૯૨૧૯૧૦૮. જયારે ફાયર ફાઈટર સ્પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, પાર્કીંગ સ્થળ. ક્રેઈન સ્પોટ – અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે રહેશે. ...

પીએમ કિસાન યોજનાના ૧૩મા હપ્તાનો લાભ લેવા આધારસિડિંગ તથા ઈ-કેવાસી ફરજિયાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૩ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહેશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોય તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જે લાભાર્થીઓને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધારસિડિંગ બાકી હોય તો જે-તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટસબેંકમાં આધાર સિડિંગ વાળું ખાતા ખોલાવી શકે છે અને સાથો સાથ ઇ-કે.વાય.સી. પણ કરાવી શકે છે. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે તાલુકા ક...

વર્તમાન સમયના પ્રતિકારો માટે વિદ્યાર્થીનીઓને “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ”ની તાલીમ અપાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ ભરૂચ જીલ્લા શિક્ષણ શાખા અંર્તગત સમગ્ર શિક્ષા અને સુરક્ષાસેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે છેડતી વિગેરેનો પ્રતિકાર કરી શકે અથવા વિપરીત સ્થિતિનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ” તારીખ ૦૬ ફેબુઆરી ૨૦૨૩થી શાળા કક્ષાએ આપવામાં આવી રહી છે. આ તાલીમ ભરૂચ જિલ્લાની ૫૧૧ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ૨૦,૫૪૧ તેમજ ૩૨ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ૧૪૨૯ કન્યાઓને આત્મરક્ષણની કેળવણી મળે રહે તે હેતુ પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો-કરાટે, ફાઇટ-કરાટે જેવી પાયાની સ્વ-રક્ષણ તાલીમ જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા પોલીસ વિભાગના સઘન મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે. સ્વરક્ષણની તાલીમ મેળવી વિદ્યાર્થીની જાહેર જીવનમાં થતા જાતિય સતામણી તથા માસિક હિંસાનો ભોગ ન બને, આત્મરક્ષણ માટે સમાજમાં અવાજ ઉઠાવી શકે, જીવન પર્યન્ત પ્રાપ્ત કલા- કોશલ્યોને જાહેર જીવનમા...

સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે આગામી ૨૫-૨૬ ફેબ્રુઆરી એમ બે દિવસીય ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, શુકલતીર્થ             સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે આગામી ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા માટેની યોજના અંર્તગત ભરૂચમાં શુકલતીર્થ ઉત્સવની ઉજવણી થનાર છે. આ ઉત્સવની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજન સંદર્ભે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા દ્વારા અમલીકરણ અધિકારીઓને મેળા અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. મેળા સંબંધિત સાધનિક વ્યવસ્થા માટે સંબંધિત અધિકારી તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગોવલીએ જણાવ્યું હતું કે, જીલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીઓ કે જેના થકી આ ઉત્સવ આગોતરૂ આયોજન કારવામાં આવશે.જેમાં સ્ટેજ , લાઈટ ,પાણી, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા, પાર્કીંગ , ...

“આભા”માં પોરબંદરની આભા:આરોગ્ય લાભાર્થીઓના ડેટાને ઓનલાઈન કરવામાં પોરબંદર જિલ્લો અગ્રેસર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પોરબંદર ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને પોરબંદર વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. વિઝન પોરબંદર ૨૦૪૭માં પણ આરોગ્ય સેવાના ઇન્ડીકેટરને પેપરલેસ સાથે નવા રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. પોરબંદરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. આભા યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં પોરબંદર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે.લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના આયામોની જેમ જ આરોગ્ય સેવાને સરળ કરે છે. પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧.૮૫ લાખ જેટલા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવેલ છે.હવે તેનાથી...

“નલ સે જલ યોજના” થકી રાજકોટ જિલ્લાના ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનનો ઉદેશ્ય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરને નળ મારફતે પાણી પુરૂ પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. “નલ સે જલ યોજના" થકી રાજકોટનાં ગામડાઓ સમૃદ્ધ થયા છે. રાજકોટ જિલ્લામાં હર ઘર જલની ૧૦૦% કામગીરી માર્ચ – ૨૦૨૨માં જ પુર્ણ થઇ ગઇ હતી. રાજકોટ જીલ્લામાં વિભિન્ન વાસ્મો ય...

રાજકોટ ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધાના ૨૬૦ થી વધુ સ્પર્ધકોમાં ૬૦% થી વધુ મહિલાઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ દરેક વ્યક્તિ યોગ કરીને નિરોગી બને, તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના વિમલ નગર મેઇન રોડ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્ર ઝોનના કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના સહકાર અને આયોજન તથા રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ત્રણ તબક્કામાં યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવ વર્ષથી તમામ વયની વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ બોયઝ અને ત્રણ ગર્લ્સ મળીને જિલ્લાની છ વ્યક્તિઓને પ...

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નવાગામ ખાતે યોજાયેલ લોન ધીરાણ કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ           ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામા વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબાર/ લોક સંવાદ નુ આયોજન કરવામા આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી મારો પ્રતીસાદ સાપડીયો હતો.            જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલા ના માર્ગદર્શન મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નવાગામ ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ ના અધ્યક્ષપણા હ...