Tuesday, February 17News That Matters

Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં થઈ રાષ્ટ્રીય કૃમિનાશક અઠવાડિયાની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય પર અનેક ગંભીર અસરો થાય છે. જેમ કે, કુપોષણ, ભૂખ ન લાગવી, ઝાડા-ઉલટી થવાં, વજનમાં સતત ઘટાડો થવો જેવા ચિહ્નો જોવા મળે છે. બાળકોમાં કૃમિની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડિયા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.           ગીર સોમનાથ જિલ્લામાં પેટા કેન્દ્ર HWC ખાતે, ગામડાઓની પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્ર પર કૃમિનાશક ઉજવણીના ભાગરૂપે વિવિધ ડૉઝ આપવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ૧થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર જ્યારે કોવિડ-૧૯ને અનુસરી ૬થી ૧૯ વર્ષના બાળકોને શાળા મારફતે ડૉઝ આપવામાં આવ્યા હતાં.             જો કોઈ બાળકમાં કૃમિવિષયક સમસ્યા જોવા મળે તો જે-તે વિસ્તારના આંગણવાડી કાર્યકર, આશા બહેનો તેમજ ક્ષેત્રના ...

તા.૨૧ ફેબ્રુઆરીએ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝની સામે,ગઢડા રોડ, મુ.ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ખાતે સવારે ૧૦:૦૦થી બપોરના ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે....

તાલાલા ખાતે ઘરેલુ હિંસા સામે જાગૃતિ સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         મહિલા અને બાળવિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા તાલાલા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.             આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિશે માહિતી, એડવોકેટ જાદવભાઈ દ્વારા નિઃશુલ્ક કાનુની સેવા તેમજ પીએસઆઈ મારૂ દ્વારા મહિલા સુરક્ષા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા મહિલા સુરક્ષાને લગતા વિભિન્ન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.             આ તકે,  પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર અભયમ-૧૮૧ મહિલા હેલ્પલાઈન વિશે જાણકારી આપીને ‘સંકટ સખી’ એપ્લીકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી તેમજ મહિલાઓ સ...

ભાવનગર જિલ્લામાં ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર ડી. કે પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ" નું ભાવનગર જીલ્લામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું. ધનવંતરી આરોગ્ય સ્થ બાંધકામ શ્રમિકો માટે છે. કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા ૩૨ પ્રકારના કામો નો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથ નો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટેનો છે. અત્યાર સુધી કુલ એક ધનવંતરી આરોગ્ય રથ ભાવનગર જીલ્લાના કુલ ચાર(૪) કડીયાનાકા (વડલા, બોરડી ગેટ, લિંબડિયું, મંત્રેશ), બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ માટે કાર્યરત છે. ...

અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો કરાવ્યો શુભારંભ  

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જળ સંપત્તિના ભાગરૂપે પાણીની ગુણવત્તા પરીક્ષણ કીટ, ડિજિટલ પાણી સૂચક, અને પાણીનું ઓડિટ થાય તે માટે પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવા...
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૯/૦૨/૨૦૨૩ થી ૧૨/૦૨/૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ કામગીરી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૯/૦૨/૨૦૨૩ થી ૧૨/૦૨/૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૯/૦૨/૨૦૨૩ થી ૧૨/૦૨/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી તે રૈયા રામાપીર ચોકડી પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી  અન્ય ૨૫ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે ગરૂડ ગરબી ચોક,રામનાથ પરા પુલ,પરા બજાર રૈયા નાકા, નાના મૌવા,રૈયા ચોકડી,પારેવેડી ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૦૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે નંદનવન(રાણી ચોક),મોચીબજાર પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૪૧,૫૦૦/-વહીવટી કેસરી પુલ,વાણીયાવાડી મેઈન રોડ,ગોંડલ રોડ,કુંડલીયા કોલેજ રોડ,પંચાયત ચોક,કુવાડવા મેઈન રોડ, પરથી વસુલ કરવામાં આ...

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન "શ્રી રામ ડેરી ફાર્મ", સોમનાથ સોસાયટી-૩, શેરી નં.૧, રાજકોટ ખાતે તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મીઠાઇ તથા વાસી મલાઈનો કુલ મળી- ૨૦ કિ.ગ્રા. જથ્થો મળી આવતા તે માનવ આહાર માટે અયોગ્ય હોય સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીમાં હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.           ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૦૩પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :- ફૂડ વિભાગ દ્વારા શહેરના સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ (૧)સપના કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)પટેલ પ્રો...

શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા ખાતેના વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

Gujarat
ભાવનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શિલ્પકાર તરીકે તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા દ્વારા શરુ કરવામાં આવેલ છે. ૧૬ થી ૨૮ વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે. જો ૧૮ વર્ષ થયેલ હોય તો ધો. ૮ પાસ ઉમેદવારોને...

ભાવનગર ની જાહેર જનતાને અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ન ફસાવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રનું મહત્વપૂર્ણ આહવાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી. નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો બને છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક અરજદારોની અરજીઓ પરત્વે સરકારના વખતોવખતના નિયમો મુજબ કાર્યવાહી કરવામા આવે છે અને સરકારએ નિયત કરેલ ધારાધોરણ મુજબ અરજીઓ મંજુર કરવામાં આવે છે. આથી જાહેર જનતાને જણ...

સોમનાથ આવનારા યાત્રીઓની સેવામાં વધુ બે અત્યાધુનિક ઇલેક્ટ્રીક ગોલ્ફકાર્ટનું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રથમ જ્યોતિલિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુ આવે છે. દિવ્યાંગ,અને અશક્ત શ્રદ્ધાળુઓ સિનિયર સિટીઝનને પરિસરના પ્રવેશદ્વાર થી સોમનાથ મંદિર સુધી લાવવા અને પરત લઈ જવા માટે ઇલેક્ટ્રોનિક ગોલ્ફ કાર્ટ સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ અત્યારસુધીમાં અનેક શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટની આ માનવતા સભર સુવિધા થી પ્રભાવિત થઈને સીટી યુનિયન બેંક દ્વારા બે અધ્યાધુનિક વિદ્યુત ઉર્જા સંચાલિત ગોલ્ફકાર્ટ સોમનાથ ટ્રસ્ટ ને અર્પણ કરવામાં આવી હતી. આતકે ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 2 ગોલ્ફકાર્ટનું મંદિર પરિસરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, સીટી યુનિયન બેન્ક ત...