Tuesday, September 8News That Matters

Gujarat

ગીર સોમનાથ જિલ્લાના બોરના માલીકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીક, બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે...

સિહોર ખાતે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભાવનગર ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગરના સિહોરની મુલાકાત દરમિયાન જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિહોર, વલભીપુર અને પાલિતાણાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટેની સમસ્યા હોવાની રજૂઆત વારંવાર મળતી હોઈ તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે વલભીપુર હેડવર્ક્સ ની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમાં મશીનરી તેમજ પાઇપલાઇનમાં લીકેજ જેવી ક્ષતિઓને કારણે સમસ્યા થતી હોઈ એ અંગે રિપેરિંગ નિયત સમયાવધિમા પૂર્ણ કરવા તાકીદ કરી હતી, તેમજ નાગરિકો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગને સંલગ્ન રજૂઆતો સાંભળી હતી તેમજ રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું...

ગીર-સોમનાથ જિલ્લાના ૩૪ સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ પોલીસ મહાનિરિક્ષક (ઇન્ટેલીજન્સ), સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં મુકવામાં આવેલ કુલ-૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે મુજબ નિયંત્રણો મુકવા  આવ્યા છે અને તેનો  ભંગ ન થાય તે આવશ્યક છે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ,શ્રીબી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.   આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ  જિલ્લાના વિસ્તારના ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું આવ્યો છે તેમજ ઓફિસર ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનમાં દર્શાવેલ જોગવાઈઓની અમલવારી કરવાની રહેશે આ જાહેરનામુ ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ  શિક્ષાને પાત્ર થશે. જિલ્લામાં રેડઝોન અને યેલોઝોન અને ગ્રીન ઝોન...

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ ૨૭.૦૪.૨૦૨૩ થી તા.૩૦.૦૪.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તારીખ ૨૭.૦૪.૨૦૨૩ થી તા.૩૦.૦૪.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી...

જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષતામાં જોટાણા તાલુકા પંચાયત ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, જોટાણા            લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષતામાં જોટાણા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલની દિશામાં મક્કમ પગલાં લઈને સુશાસન વ્યવસ્થા નિર્મિત કરી છે. જોટાણા તાલુકાના અરજદારોના પ્રશ્નોને લઈ જીલ્લા પોલીસ અધિક્ષકે અરજદારોની અરજીઓ સંદર્ભે સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણને લઈ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી પારદર્શિતામાં ઉમેરો થાય વહીવટી વ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તનની સાથે સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમે મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. સ્વાગત કાર્યક્રમ થકી સુશાસન વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે ઉપરાંત વહીવટી વ્યવસ્થા પણ લોકાભિમુખ...

મહેસાણા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયો

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા         રાજયવ્યાપી ‘‘સ્વાગત સપ્તાહ’’ની ઉજવણી અન્વયે મહેસાણા તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાન્ત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનુ સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ સામુહિક પ્રશ્નોની રજૂઆત પણ ડીડીઓ સાંભળી હકારત્મક નિવારણ માટે સૂચનો કર્યા હતા, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાજયસરકાર દ્વારા આયોજીત કરાયેલા સ્વાગત સપ્તાહની ભૂમિકા રજૂ કરી હતી, અને નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય, અન્નપૂર્ણા યોજના, માર્ગ મકાન વિભાગ, એસ. ટી. બસ સુવિધા,આરોગ્ય સંબધિત વિવિધ વિભાગોના પ્રશ્નો રજૂ થયા હતા અને આ તમામ વિભાગોના અધ...

જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં ઉંઝા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ઉંઝા           જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં ઉંઝા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નો સાંભળીને એનું સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ૧૦૯ અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૭ પ્રશ્નોનો હકારત્મક ઉકેલ માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉંઝા તાલુકાના ૧૭ તેમજ ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ૧૦૯ કામો પૈકી રેશનકાર્ડમાં નામ ઉમેરવાના, નામ રદ કરવાના, અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાન ગૃહ બનાવી આપવાના, જાહેર રસ્તા પર કરેલ દબાણ દૂર કરવાના, જમીન કામના, રસ્તા પુરાણકામ, ગટર કામના, બસ રૂટ તેમજ નવીન સ્ટ્રીટ લાઈટ, જમીન માપણીના થઈ વિવિધ પ્રશ્નોનો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના સકારત્મક નિવારણ માટે સૂચનો કરવામાં આવ્યા હતા જિલ્લા કલેકટર એમ.નાગરાજન તેમજ પ્રાંત...

નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી અને લીગસી વેસ્ટનાં નિકાલની ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ શહેરમાંથી એકત્ર થયેલ જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે “વેસ્ટ ટુ એનર્જી” પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બંને કામગીરીને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે તા.૨૬-૦૪-૨૦૨૩નાં રોજ આ સ્થળની મુલાકાત લીધી હતી અને લીગસી વેસ્ટનો નિકાલ ઝડપથી કરવા સુચના આપી હતી. રાજકોટ શહેરમાથી ઉત્પન્ન થતાં ઘન કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના “વેસ્ટ ટુ એનર્જી” પ્લાન્ટ બનાવવાની કામગીરી નાકરાવાડી ગામ નજીક રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સાઇટ પર હાલ પ્રગતિમાં છે. આ પ્લાન્ટ શરૂ થયેથી દૈનિક ધોરણે ૬૦૦ TPD(ટન પ્રતિ દિવસ) ઘન કચરાનો નિકાલ થશે. જેમાંથી ૧૪.૯ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. હાલ આ પ્લાન્ટનું ૬૦% જેટલું કામ પૂર્ણ થયેલ છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે ...

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનના વોર્ડ ન. ૦૯માં આવેલ રૈયા ગામ સવન એપા. પાસેના વોંકળાની સફાઇ કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા. ૨૭/૦૪/૨૦૨૩ પશ્ચિમ ઝોનના વોર્ડ ન. ૦૯માં આવેલ રૈયા ગામ સવન એપા. પાસેના વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમા જે.સી.બી- ડ્મ્પર દ્વ્રારા અંદાજીત ૪૦ ટન ગાર,કચરો ઉપાડેલ છે. રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર તેમજ પશ્ચિમ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવરનાં માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી...

યશસ્વી વડાપ્રધાનની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને પદ્ધતિસરના મેનેજમેન્ટનો અનુભવ માણી આનંદવિભોર થયા તમિલ મહેમાનો, સુદ્રઢ વ્યવસ્થાના કર્યા વખાણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ શ્રીકૃષ્ણ અને શિવના સંગમની ભૂમિ એટલે સોમેશ્વર તીર્થ તેમજ શ્રીરામ અને શિવની ભૂમિ એટલે રામેશ્વર તીર્થ. ભક્તિના બે અખંડ આસ્થા કેન્દ્ર સોમેશ્વર અને રામેશ્વરની સંસ્કૃતિનું મિલન એટલે "સૌરાષ્ટ્ર તમિલ સંગમ". સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથના મહેમાન બનેલા તમિલ મહેમાનો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની પ્રવૃત્તીઓ અને પદ્ધતિસરનું મેનેજમેન્ટ અનુભવી કુશળ વ્યવસ્થાથી આનંદવિભોર બન્યા હતા તથા પરિસરની સ્વચ્છતા, સ્ટાફની શાલિનતાનો અનુભવ કરી સોમનાથ ટ્રસ્ટની તમામ વ્યવસ્થાના વખાણ કરી આનંદ સહ સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી હંમેશા દિવ્યાંગો, વૃદ્ધો અને છેવાડાના માનવીને લગતા વિકાસકાર્યો માટે સતત સમર્પિત હોય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમિલ અતિથીઓમાં વૃદ્ધો તેમજ દિવ્યાં...