Tuesday, February 17News That Matters

Gujarat

કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભુજ ખાતે માજી સૈનિક મહા સંમેલન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા માજી સૈનિકો, તેમના આશ્રિતોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમની ફરિયાદોનું નિવારણ આવે તે માટે માજી સૈનિક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મહા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, દેશમાં સૈનિકો રાત દિવસ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સીમાઓનું રક્ષણ કરે છે. પોતાના સ્વજનોથી દૂર રહીને રાષ્ટ્રીય સુરક્ષા માટે તેઓ નિર્ભયપણે ફરજ બજાવે છે. કલેક્ટરએ દેશ રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, આ જવાનો અને તેમના પરિવારજનોના પ્રશ્નો વિશે ચર્ચા કરીને તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે. આ ઉપરાંત, દેશમાં આપદા સમયે સેના દ્વારા કર...

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ આજરોજ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિતભાઈ શાહે દર્શન કર્યા હતા સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ પૌત્રી દર્શન અને પૂજામાં જોડાયા હતા. તેઓ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પૂજા કરાયેલ પાઘ સોમનાથ મહાદેવના શૃંગાર અર્થે અર્પણ કરવામાં આવી હતી અને તે પાઘ સોમનાથ જ્યોતિર્લિંગ પર શ્રુંગારીત કરવામાં આવી હતી. સોમનાથ યાત્રા એપ લોન્ચ: દેશના યશશ્વી પ્રધનમંત્રી ...

આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ભાગરૂપે સિનિયર સીટીઝન બહેનોની રમતોનું આયોજન હાથ ધરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮ મી માર્ચનાં દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિન ઉજવાનો હેતુ વિશ્વની તમામ મહિલાઓમાં નારી ઉત્કર્ષ માટે લોક અગૃતિ લાવવાનો અને શિક્ષણની સાથે સાથે તેમાં રમતો રસ તેમના સ્વાસ્થયમાં પણ સુધારો લાવી શકે તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત સિનિયર સીટીઝન બહેનોની ચાર રમતો એથ્લેટિક, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની રમતોનું આયોજન તા.૧૭/૦૩/૨૦૩ ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે વી.એમ.કાળેલા (પ્રમુખ વ્યાયામ સંઘ ભાવનગર ગ્રામ્ય), ભાવેશભાઇ ભટ્ટ (મહામંત્રી વ્યાયમ સંઘ ભાવનગર), શ્રીમતી નિતાબેન પટેલ (મંત્રી વ્યાયામ સંઘ ભાવન...

ફરિયાદકા ખાતે યોજાયેલ આયુષ મેળામાં આરોગ્યતંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના ફરીયાદકા ખાતે તા ૧૮ માર્ચ ના રોજ આયુષ મેળો યોજાયો હતો. આ આયુષ મેળામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે સમગ્ર આરોગ્યતંત્ર દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમને આર્યુવેદિક વિભાગ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, દરેક સબ સેન્ટર નાં તમામ કર્મચારી એ જીવના જોખમે કાર્ય કર્યું તેની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન વિક્રમ ભાઇ ડાભી દ્વારા યોગ આર્યુવેદના ફાયદાની સમજણ આપી હતી....

રાજ્ય સરકાર/ પંચાયતના પેન્શનરોની આવકવેરા કપાત કરવા અંગે સુચન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ પ્રવર્તમાન નિયમો મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી આવકવેરા કાયદા હેઠળ OLD રકમ REGIME અનુસાર (રૂ.૫,૦૦,૦૦૦/- તથા નિયમોનુસાર રોકાણો બાદની રકમ) તથા NEW REGIME અનુસાર (રૂ.૭,૫૦,૦૦૦/-) કરતા વધુ વાર્ષિક આવક થતી હોય તેઓના પેન્શનમાંથી આવકવેરાની કપાત કરવાની થતી હોય તો OLD REGIME અથવા NEW REGIME અંગેનો વિકલ્પ આપવાનો રહે છે. જે પેન્શનરઓ OLD REGIME નો વિકલ્પ સ્વીકારવા માગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં મોડામાં મોડુ તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OLD REGIME નો વિકલ્પ આપેલ હશે તે સિવાયના તમામ પેન્શનરઓને NEW REGIME મુજબ આવકવેરા કાયદા હેઠળ આવકવેરાની કપાત કરવામાં આવશે જે પેન્શનરો કુટુંબ પેન્શન મેળવતા હોય તેઓની કપાત કરવાની થતી ન હોય તેમણે વિકલ્પ આપવાનો રહેતો નથી. જેન...

ભાવનગરમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા તા. 21 માર્ચના ‘વિશ્વ કવિતા દિવસ’ ની ઉજવણી કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર નારી ગામ પાસે, સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો અને ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિતે વિજ્ઞાન ને અલગ રીતે રજુ કરવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ની થીમ STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો પર આધારિત છે જેમાં યુવા કવિઓ પોતાને અનુકુળ ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી શકશે. કવિતા પ્રેમી યુવાનો, વિદ્યાર્થી મિત્રો કે જે કૃતિ લખવામાં રસ ધરાવે છે તેમના માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર અનોખી તક આપે છે. આ કાર્યક્રમ માં ભાગ લેવા માટે આપેલ ક્યું. આર. કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોઈ પણ કાર્યક્રમ માં ભાગ લેવા માટે ...

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે. ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના ૪,૫૭,૩૨૯ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૭૬૨.૮૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ ૨,૧૭,...

અંજાર અને ગાંધીધામ તાલુકાની વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ ૨૦૨૪ સુધી પૂર્ણ કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂ. ૩૯૮૬.૧૭ લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. આજે વિધાનસભા ખાતે અંજાર-ગાંધીધામ તાલુકાના વિડી જૂથ પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બાળવળીયાએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાય છે. જેમાં ઢાંકી-માળીયા અને અંજાર-ગાંધીધામની ૫૦ કિલોમીટર પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયું છે અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર ...

કેસુડા ટ્રેઇલમાં થાય છે વન, પુષ્પ અને રંગોની આલ્હાદક સોબત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે. કેસુડાના ફૂલથી લથબથ થયેલી વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેઇલ ચાલે છે. તેમાં એક રૂટ છે ઝીરો પોઇન્ટ. માત્ર ચાર જ કિલો મિટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ખલવાણીના ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેઇલ ઉપર પ...

એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ !

Gujarat
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા! હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  કેસૂડો ! – ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સૂકાયેલા વૃક્ષો કેસૂડાના કેસરી રંગથી ચિતરાઈ જાય છે. ત્યારે કેસરિયા રંગથી છવાયેલો કેસૂડો અદ્ભુત દેખાય છે. આવા જ મનોહર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, એકતા નગરના જંગલોમાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીંના વિવિધ પ્રવાસન સ્થળો ઉપરાંત જંગલમાં જોવા મળતા કેસૂડાના વૃક્ષો અંગે અસામાન્ય અને રસપ્રદ માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે એકતા નગર ખાતે કેસૂડા ટ્રેલનું આયોજન કર્યું છે. તેજસ્વી નારંગી ફૂલોના છાંટા એકતા નગરના મનોહર દૃશ્યોને વધારે છે, જે આપણા વડાપ્રધાન ન...