Tuesday, September 8News That Matters

Gujarat

વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સને  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા એક્રેડીટેશન મળ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ           ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે ચાલતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.), નવી દિલ્હીના તેમજ યુનિવર્સિટીના નિયમો મુજબ ચલાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા તથા મહાવિદ્યાલયની અભ્યાસની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરવા માટેભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR, નવી દિલ્હીનીટીમ તારીખ ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન એક્રેડીટેશન માટે કોલેજ ની મુલાકાતે આવેલ હતી. જે અંતર્ગત ફિશરીઝ કોલેજ, વેરાવળને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીનું આગામી પાંચ વર્ષો માટે  એક્રેડીટેશન મળ્યું છે.            આ એક્રેડીટેશન મળવાથી ફિશરીઝ કોલેજ, વેરાવળ એ ભારતની અગ્રગણ્ય નામાંકિત કોલેજોની હરોળમાં સ્થાન પામેલ છે અને આઈ.સી.એ.આર., નવી દિલ્હીદ્વારા આ કોલેજને દર વર્ષે નિયમિતરૂપે ડેવલપમેન્ટ ગ્રાન...

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ સંયુક્ત રીતે કર્યું હતું. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ એક અનોખો અનુભવ છે. ગરવી ગુજરાત ખાતે આયોજિત ગુજરાત સ્થાપના દિવસ સમારંભમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય કુમાર સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટના માધ્યમથી સોમનાથ મંદિરના સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વનો પ્રચાર કરવાનો પ્રયાસ ...

“દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધીને પોંખે છે, તેવી સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,રાજકોટ               ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયકશ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા છે. ત્યારે રાજકોટમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે "પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ" દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવા 'હેતે વધાવીએ હેમંતને' સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે શ્રી હેમંતભાઈ ચૌહાણનું શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિન્હ, સન્માનપત્ર અને રૂ. ૧ લાખ ૫૧ હજારનો ચેક અર્પણ કરી અભિવાદન કરાયું હતું તેમજ સંતશ્રી મોરારી બાપુના હસ્તે શ્રી હેમંતભાઈ ચૌહાણની ભક્તિ રચનાઓના સંગ્રહ 'હરિનામની હેલી'નું વિમોચન કરાયું હતું. આ તકે સંતશ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે, હેમંત ચૌહાણે સંતવાણીના ગાયક તરીકે ...

રાજકોટ – એક સમયે ખીલીના મશીન બનતાં, આજે ટેન્ક, પ્લેન અને રોકેટ્સના પાર્ટ્સ બને છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ                રાજકોટ... રંગીલું શહેર.. ખંતીલુ અને ઉદ્યમી શહેર. આઝાદી પછી એક સમયે રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. વ્યાપાર-ઉદ્યોગ-રાજકીય-સેવાકીય-ઈનોવેશનના ક્ષેત્રે અગ્રેસર છે. દેશના સ્માર્ટ સિટીઝમાં રાજકોટનો સમાવેશ થયેલો છે. દેશના બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેર (વર્ષ ૨૦૨૧) તેમજ વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા સાતમા શહેર (વર્ષ ૨૦૨૧) તરીકેનું બિરુદ પણ રાજકોટને મળી ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ૧ મે ૨૦૨૩ના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ નિમિત્તે રાજ્યની સ્થાપના સાથે રાજકોટ શહેર-જિલ્લાએ કરેલી અભૂતપૂર્વ વિકાસયાત્રાની ઝાંખી જોઈએ. દેશની આઝાદીની ચળવળથી માંડીને ઔદ્યોગિક, આર્થિક અને સર્વાંગી વિકાસમાં રાજકોટનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ૧ મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. એ સમયે રાજકોટની ઓળખ પાણીની કાયમ અ...

“સ્વચ્છ ભારત અભિયાન” ધન કચરાના નિકાલ માટે રાજકોટ મ.ન.પાને મળેલ ૩૧ મીની ટીપર વાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકો ખૂબ ઉપયોગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયુ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અને યાત્રાધામ સફાઇ અભિયાન અમલી છે. સરકાર દ્વારા વ્યકતિગત શૌચાલયો માટે રૂ.૧૨ હજારની સહાય આપવામાં આવે છે. શહેરો- ગામોમાં પણ જાહેર શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. તેમજ ધન કચરાના નિકાલ માટે પણ સરકાર દ્વારા ઉતમ વ્યવસ્થાઓ કરાઇ છે. વિશાળ જન સંખ્યા ધરાવતા મહાનગરોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શહેરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપર વાન ફરતી હોય છે. રાજકોટ શહેરની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૧૩.૫.૨૩ના રાજકોટ મહાનગરપાલિકાની ૩૧ મીની ટીપર વાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકનું લોકાર્પણ કરાયુ હતું. જે હાલ ધન કચરાના નિકાલ માટે ખૂબ ઉપયોગી સાબીત થઈ રહ્યા છે. રાજકોટ શહેરની સ્વચ્છતા અન...

ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગ સાથે થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગ સાથે આજે તા. ૦૧-૦૫-૨૦૨૩ના રોજ ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૬૧ થી વધુ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું કયું. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા બ્લડ ડોનેટ કરનાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.         રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયા, સુરક્ષા અધિકારી આર. બી ઝાલા, આસી. મેનેજર વત્સલ પટેલ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ કરી બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં રા...

ડીપ્લોમા એન્જિનિયરિંગ એડમીશન માટે સરકારી પોલીટેકનીક કોલેજ દ્વારા બોડેલી અને છોટાઉદેપુરમાં સેમીનારનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ડીપ્લોમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તેમજ માગદર્શન કાર્યક્રમ સરકારી પોલીટેકનીક દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. ડીપ્લોમા પ્રવેશ પ્રક્રિયા આવનારા વર્ષ માટે ઓનલાઇન કરવાનું હોવાથી આ પ્રક્રિયાની માહિતી વિવિધ ઉમેદવારો અને વાલીઓને આપવા માટે પોલિટેકનિક કોલેજ-છોટાઉદેપુર દ્વારા આજે તારીખ 29/4, શનિવાર સવારે 11:00 વાગે શિરોલાવાલા હાઇસ્કુલ બોડેલી ખાતે સેમિનાર રાખેલ છે તેમજ છોટાઉદેપુરના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે 30/4, રવિવારે સવારે 11:00 વાગે સરકારી પોલીટેકનીક ખાતે આ સેમિનાર રાખેલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહેવા માટે સરકારી પોલિટેકનિક આચાર્ય દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવેલ છે....

ચિલ્ડ્રન હોમના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન માટે વર્કશોપ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર આઝાદીકા અમૃત મહોત્સવના અનુસંધાને છોટાઉદેપુરના સમાજ સુરક્ષા કચેરી હેઠળના સરકારી ચિલ્ડ્રન હોમે ફોર બોયઝમાં ચિલ્ડ્રન સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં વિજેતા થયેલા બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા આધિકારી ચિંતન પટેલ, ડીએસઓ કચેરીના શૈલેશ ચૌધરી, બાળ સુરક્ષા એકમના રવિદાસ રાઠવા, મુકેશ રાઠવા, ડાયાભાઇ પરમાર, હીનાબેન વણકર, રાકેશ સક્સેના, અશોકભાઈ રાજપૂત, દીપક ફાઉન્ડેશનના મહેશ દવે તેમજ ચિલ્ડ્રન હોમના બાળકો પાર્ટીસીપંટ તરીકે ભાગ લીધો હતો. છોટાઉદેપુર માહિતી કચેરીના કર્મવીર એવા મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોની એકગ્રતા અને કારકિર્દીને લઈને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સુચન અનુસાર દર એપ્રિલ માસમાં બાળકોની ઇન્ડોર અને આઉટડોર એક્ટીવીટી યોજાય છે, જેના અંતર્ગત છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલ પાસે આવેલા ચિલ્...

શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે છે કે નહી તે તપાસવા માટે જિલ્લાની ૨૦ શાળાઓમાં હાથ ધરાયું ‘સામાજિક ઓડિટ’ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ      ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન મળી રહે તથા શાળામાં બાળકોની નિયમિતતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પી.એમ.પોષણ યોજના અંતર્ગત, ડાંગ જિલ્લામા 'સામાજિક ઓડિટ' બાદ '૫બ્લિક હિયરિંગ' યોજાઇ ગયુ. 'નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩' અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓમા ખુબજ મહત્વકાંક્ષી આ યોજનાનુ સામાજિક ઓડિટ, રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા 'મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટૂટ-અમદાવાદ' ને સોંપવામા આવ્યુ છે. જેમના દ્વારા 'નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩'ની કલમ-૨૮ ની જોગવાઈઓને આધીન રહી, જિલ્લાની ૨૦ જેટલી શાળાઓનુ ગત દિવસો દરમિયાન 'સામાજિક ઓડિટ' હાથ ધરાયુ હતુ.    આ ઓડિટ બાદ જન સુનાવણીના બીજા તબક્કે સંસ્થા દ્વારા આહવાના ડો.આંબેડકર હોલ ખાતે સંસ્થાના ડો.સુમન વૈષ્ણવ, તથા પી.એમ.પોષણ યોજનાના સંયુક્ત કમિશનર કે.એન.ચાવડાની આગેવાની હેઠળ તાજેતરમા '૫બ્લિક હ...

વલસાડ જિલ્લામાં ૧૦ હેક્ટરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની સફળ ખેતી, ઓછી મહેનતે વધુ આવક આપતો પાક

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ             સરકાર દ્વારા ખેડૂતોને રૂ. ૩ લાખથી લઈને રૂ. ૪.૫૦ લાખ સુધીની સહાય પણ ચૂકવાય છે માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ એપ્રિલ દેશભરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની ખેતી ખુબ જ પ્રચલિત થઈ રહી છે. ખેડૂતો માટે આવકની દ્રષ્ટિએ અને લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વના ગણાતા કમલમ ફ્રુટની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં હાલમાં અંદાજે ૧૦ હેક્ટર જમીન વિસ્તારમાં ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતો સફળતાપૂર્વક કમલમ પાકની ખેતી કરી રહ્યા છે. વલસાડ જિલ્લા બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલે જણાવ્યું કે, કમલમ ફળની પોષણ ક્ષમતા મુજબ માનવ સ્વાસ્થયને ઘણા ફાયદા થાય છે. હાઈબ્લડ પ્રેશર અને વિવિધ હ્રદય રોગને રોકે છે. ત્વચાના કોષોને વૃધ્ધ થવામાં વિલંબ પેદા કરે છે. રોગ પ્રતિકારક શકિત વધારે છે અને ડાયાબીટીસનું નિયંત્રણ કરે છે. કોલેસ્ટોરેલનું સ...