Tuesday, September 8News That Matters

Gujarat

રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની સરાહનીય કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા નાગરિકોને મદદરૂપ થવા માટે નમૂનેદાર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક સી. એન. મિશ્રાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોએ સરકારી લાભો મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. વર્ષ ૨૦૨૨-'૨૩માં રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના ૧૩૯૭ લોકોને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવા ઈચ્છુકે કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉલ્લેખનીય છે કે અનુસુચિત જાતિના અરજદારોએ જાતિ પ્રમાણપત્ર માટેની અરજી સાથે અરજદારનું છેલ્લી શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા ...

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સમર કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે. કુલ ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ કેમ્પ ૧૭-૧૯ મે ૨૦૨૩, બીજો કેમ્પ ૨૪-૨૬ મે ૨૦૨૩ અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવશે. દરેક કેમ્પ ત્રણ દિવસનો રહેશે જેમાં સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ 3 દિવસ અને ૨ રાત્રિ રોકાણ કરવાનું રહેશે. જેમાં ભાગ લેનારની રહેવાની વ્યવસ્થા રિજિયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) ભાવનગર દ્વારા કરવામાં આવશે. સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આ સમર કેમ્પની વિસ્તૃત મા...

100.04 લાખનાં ખર્ચે નિર્માણ થયેલ પાટણ શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીઓનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનાં વરદ હસ્તે પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓ પાટણ શહેર-1 અને 2 નું 100.04 લાખનાં ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મંત્રીએ રીબીન કાપીને 600 ચો.મી. બાંધકામ એરિયા સાથેનાં આ અદ્યતન નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતુ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજીત આજના લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ શહેર-1 અને શહેર-2 ની પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. અગાઉ વીજ સંબંધિત પ્રશ્નો માટે પાટણનાં લોકોને મહેસાણા જવું પડતું હતુ પરંતું હવે આ પેટા વિભાગીય કચેરી દ્વારા પાટણમાં જ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. આજનાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત માન. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, દેશમાં જ્યોતિગ્રામ થી શરૂ કરીને અનેક યોજના...

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાની કેટલીક શાળાઓ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાનીની અનિડા (કેંદ્ર નં-૧૧), વિકળીયા (કેન્દ્ર નં-૧૬), પાડાપાણ (કેંદ્ર નં-૩૯), ભીમડાદ કન્યા શાળા (કેંદ્ર નં-૪૧), સીતાપર (કેંદ્ર નં. ૩૪), નવા રાજપીપળા(કેંદ્ર નં-૯૧), પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે સને ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષ માટે કામચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. એસ.એસ.સી પાસ હોય તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે. નિયત અરજી પત્રક મામલતદાર કચેરી-ગઢડા ખાતેથી કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે મેળવી શકાશે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫/૦૫/૨૦૨૩ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી અત્રે મામલતદ...

પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે કિલ્લોલ કરતો બોટાદનો વડદરિયા પરિવાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે રાજ્યભરમાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને પાકું ઘર મળ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના લાભાર્થી જીવરાજભાઈ વડદરિયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં નાના - મોટાં મળીને કુલ 22 સભ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં હવે તેઓ પાકાં મકાનમાં રાજીખુશીથી રહી રહ્યા છે. લાભાર્થી જીવરાજભાઈના પૌત્ર સમીરભાઈ વડદરિયાએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, અત્યાર સુધી અમે કાચાં મકાનમાં રહેતા ત્યારે ખૂબ તકલીફ પડતી, મારી સાથે મારા ભાઈઓ - બહેનોના અભ્યાસમાં પણ તેની માઠી અસર થતી, પરંતુ હવે અમને આવાસ યોજના થકી પાકા મકાનનો લાભ મળતાં અમારા અભ્યાસમાં પણ ઘણો લાભ થઈ રહ્યો છે.” વડદરિયા પરિવારમાં 4 વર્ષની ઉંમરના સભ્યથી માંડી 75 વર્ષની ઉંમર સુધીના સભ્યો છે. સરકારના સથવારે વડદરિયા પરિવારને પાકું મકાન મળતા ...

તા. 12 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વન-વે લીંકથી 66 ગ્રામ પંચાયતો સાથે જોડાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર            તા.12મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે કનેક્ટીવીટીથી લોકાર્પણના 247, અને ખાતમુહર્તના 3332 લાભાર્થીઓ પણ જોડાનાર છે. કાર્યક્રમમા જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે લીંકથી સરપંચઓ, સભ્યઓ તેમજ તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાનાર છે. જેમા કાર્યક્રમના સ્થળે લોકાર્પણ થનારા આવાસોની ચાવીની પ્રતિકૃતી લાભાર્થીઓને વિતરણ કરવામા આવનાર છે. ડાંગ જિલ્લામા વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3909 આવાસો બાંધવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામા આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાન...

નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો : મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને મંત્રી ભાનુબેનના હસ્તે આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે અને બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ...

73માં પ્રાણપ્રતિષ્ઠા દિન પર સોમનાથ મહાદેવને ગીરની કેસર કેરીનો મનોરથ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ      આજરોજ સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે 1951 ના એ પાવન દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો. સંધ્યા સમયે સોમનાથ મહાદેવના વિશેષ શૃંગારમાં 210 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. મહાદેવને તેરા તુજકો અર્પણની ભાવનાથી ગીરનું મીઠું મધુરૂ ફળ એવી કેસર કેરી અર્પણ કરવામાં આવી હતી. અને આ કેરીનો મનોરથ બાદનો ઉપયોગ પણ એટલો જ સુંદર રીતે આયોજિત કરાયો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ દિવ્યાંગ ગૃહોમાં આ કેરી મહાદેવના પ્રસાદ સ્વરૂપે દિવ્યાંગજનોને ખવડાવવામાં આવશે. આ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પ્રાણપ્રતિષ્ઠા દિવસનો પ્રસાદ દિવ્યાંગજનોને પહોંચાડી તેમને પણ ઉજવણીમાં સહભાગી બનાવશે. ઉપરાંત આજરોજ દિવસ દરમિયાન સોમનાથ મહ...

ભાવનગરના તરસમીયા ખાતે આવાસોના ઇ-લોકાર્પણ પૂર્વે તૈયારીઓની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર EWS આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમમાં વીજાણુનું માધ્યમથી ભાવનગર તરસમિયા આવાસ યોજનાના સ્થળેથી જોડવાનું હોઈ તેની તૈયારીઓની જિલ્લા કલેકટર આર. કે. મહેતા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં EWS આવસોનો લોકાર્પણ સમારોહ તા. ૧૨/૫/૨૩ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શેત્રુંજય રેસિડેન્સી-૩, ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનની પાસે, તરસમીયા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ભાવનગરના લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે જેથી આ અંગેની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કલેકટર સાથે મ્યુનિસિપલ કમિશ્નર  ન. વી. ઉપાધ્યાય તથા હાઉસિંગ બોર્ડના અધિક...

આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ૫દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં કયુલેક્ષ મચ્‍છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્‍છર મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવા રોગ ફેલાવતા નથી. ૫રંતુ કયુલેક્ષ મચ્‍છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં ન્‍યુસન્‍સ મચ્‍છર તરીકે ઓળખાતા આ મચ્‍છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉકત કામગીરી અન્‍વયે આજરોજ તા.૧૧/૫/૨૦૨૩ના રોજ માન. ડે. મેયર કંચનબેન સિઘ્ઘપુરા ઘ્‍વારા ગાંડીવેલ કાઢવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ મચ્છર ઉપદ્રવ અટકાવવા કામગીરી કરવા તથા કચરા નિકાલ અંગેની કામ...