તા. ૧૨મી, એપ્રિલે છોટાઉદેપુર ખાતે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ અંગેનો કાર્યક્રમ યોજાશે. રાજયના મહામહિમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાકૃતિક કૃષિ અંગેના આ કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતે માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવશે.
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમ સૂચારૂ રીતે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણે બેઠક યોજીને કાર્યક્રમનું સુપેરે આયોજન તેમજ સરળ અને સફળતાપૂર્વકના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું...
