Wednesday, February 18News That Matters

Gujarat

તા. ૧૨મી, એપ્રિલે છોટાઉદેપુર ખાતે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર             આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ અંગેનો કાર્યક્રમ યોજાશે. રાજયના મહામહિમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાકૃતિક કૃષિ અંગેના આ કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતે માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવશે.          આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમ સૂચારૂ રીતે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણે બેઠક યોજીને કાર્યક્રમનું સુપેરે આયોજન તેમજ સરળ અને સફળતાપૂર્વકના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું...

છોટાઉદેપુર જીલ્લામાં કેન્દ્ર સરકારની એડીપ યોજના દ્વારા દીવ્યંગોને ૭૪ લાખના સાધનો વિતરણ કરવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર              કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિકલાંગ સશક્તિકરણ વિભાગ અને છોટાઉદેપુરના વહીવટી તંત્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામીનારાયણ હોલ ખાતે સામાજિક સશક્તિકરણ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો આશય દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારની એડીપ યોજના હેઠળ સહાયક ઉપકરણનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગીતાબેન રાઠવા, સાંસદસભ્ય મુખ્ય મહેમાન તરીકે તેમજ મલકાબેન પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ, ડીવાયએસપી ધર્મેન્દ્રસીહજી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચિંતન પટેલ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજનબેન રાજપૂત તેમજ અમલીકરણ એજન્સીના કાનપુરના પ્રતિનિધિ સંજયભાઈ હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૫૯૮ લાભાર્થીઓને ૭૪ લાખના ૮૬૨ સાધનોની સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ગીતાબેને પોતાના પ્રાસંગિ...

ખત્રી વિદ્યાલય બોડેલીને શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રોત્સાહિત કરવાનો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીની પસંદગી થતા સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સરકારના ભાર વિનાના ભણતર સૂત્રને સાકાર કરવાની સાથે શાળામાં વિધાર્થીઓને શારીરિક, માનસિક, વ્યવસાલયક્ષી શિક્ષણની સાથે ઘડતર થઈ રહ્યું છે. શાળા દરેક સુવિધાઓથી સજજ છે. જેનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા શિક્ષ્ણા અધિકારીની કચેરીથી ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ., ડાયેટના પ્રાચાર્ય, અન્ય ક્લાસ ટુ અધિકારી, સંકુલના પ્રતિનિધિ તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ની ટીમ બનેલી હોય છે. નિર્ધારિત ફોર્મેટના ચાર વિભાગો અંતર્ગત કુલ ૭૬ પ્રકારના માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્ર...

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આદિજાતિનો ભાતીગળ લોકમેળો ભરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા              ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્રનો મેળો આ મેળો હોળીના તહેવાર પછી ૧૫માં દિવસે ઉજવાય છે. અને બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે. મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો આકુળ-વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ તેમને શ્રધ્ધાજંલિ અર્પી છે. ભાતીગળ મેળામાં યુવાનો અને યુવતીઓ મેળામાં મોજમાણી મનના માણીગરને શોધીને ...

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ             ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ચેટીચાંદના પાવન અવસરે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ સ્વામીનારાયણ મંદિર (BAPS)ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે મંત્રી રાઘવજીભાઈ પટેલે કષ્ટભંજનદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીએ સાળંગપુર ખાતે શાસ્ત્રી હરિપ્રકાશદાસ-અથાણાવાળા, મુની સ્વામીજી, કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીજીના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક મકવાણા, જિલ્...

ઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ              ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન ઝમરાળા ગામ સ્થિત શ્રી ફકકડાનાથ બાપા જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં પ.પૂ. મહંતશ્રી જયદેવદાસજી બાપુએ મંત્રીને જગ્યા અને ગૌશાળા વિશે માહીતગાર કર્યાં હતા. ત્યારબાદ મંત્રીએ ઝમરાળા ગામના ગોબરધન યોજનાના લાભાર્થી દિપકભાઈ નરસિંહભાઈ રાઘાણીના ઘરની મુલાકાત લઈ હતી. આ યોજના અંતર્ગત ખેડૂત કઈ રીતે ગોબર માંથી ગેસ ઉત્પન્ન કરે છે તે અંગે માહિતી મેળવી હતી. યોજના સંદર્ભે લાભાર્થી સાથે ચર્ચા વિચારણા કરી તેના પ્રતિભાવ જાણી યોજનાને લોકઉપયોગી બનાવવા સૂચનો મેળવીયા હતા છાણ માંથી રસોઈ માટે ગેસ બનતો જોઈ મંત્રીએ હાજર અન્ય નાગરિકો ને આ યોજનાનો લાભ લેવા ટકોર કરી હતી. મંત્રી પટેલે આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે સંવેદનાસભર સ...

બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ         ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ જેવી સંસ્થાઓ જીવદયાને વરેલી હોય છે. બ્રાઝિલમાં આર્થિક ક્રાંતિની પાછળ અહીંની ગાયોની પ્રજાતી નો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના થકી પશુદીઠ સહાયની ચૂકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પાંજરાપોળના સાચા સંચાલકો જે સહાયથી વંચિત રહ્યાં છે તેમને પણ આગામી સમયમાં સહાયની ચુકવણી કરાશે તેમ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શ...

ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ               મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે. તેમણે કહ્યું કે, ભગવાન ઝુ...

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ ખાતે એમોનિયા લીકેજ : એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે. આ મોકડ્રીલમ...

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શહીદ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૨૩ માર્ચના રોજ 'શહીદ દિવસ' નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે ૧૯૩૧ માં ભારતની આઝાદીની લડત દરમિયાન ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસને ચિહ્નિત કરે છે. આ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 'શહીદ દિવસ' શા માટે ઉજવવામાં આવે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન મિનેશ ખારવા દ્વારા 'શહીદ દિવસ' ની માહિતી આપતો એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાર્થીઓ તથા મુલાકાતીઓ ને 'ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર' ના જીવનચરિત્ર પરની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ આયોજનમા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો. ...