
પશુ-પંખીઓ જીવમાત્ર માટે અનુકંપા દાખવનારા પાંજરાપોળના સંચાલકોને મંત્રી પટેલે અભિનંદન પણ પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પાંજરાપોળના સંચાલકોએ મંત્રી રાઘવજીભાઈ પટેલને ગૌમાતાનું સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. અંતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અન્ય મહેમાનોએ બોટાદ પાંજરાપોળ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ વેળાએ પ્રમુખએ ગૌશાળાની પ્રવૃતિઓથી મંત્રીને વાકેફ કર્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી સહિત પાંજરાપોળના પ્રમુખશ્રી મનિષભાઇ ગાંધી, ધવલભાઇ, કેતનભાઇ વસાણી સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.