પ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
તાલાલા તાલુકાના જશાધાર ગામના ખેડૂત રમેશભાઇ હરિભાઇ હરણિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આંબા સાથેના વિવિધ પાકોનું મિશ્ર પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં સુધારો થયો છે, પાકની ગુણવતા સુધરી છે, માટી મુલાયમ બની અને જમીનમાં અળસિયા વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી રમેશભાઈએ ૧૦૦% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેઓ પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા, સરગવા, પપૈયાં, મગફળી, તુવેર, જુવાર, ચણા, મકાઇ, શાકભાજી સહિતનું વાવેતર કરે છે. આ સાથે જ તેઓ સરગવા સીંગ અને પાનનો પાવડર બનાવીને વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવમૃત, ઘનજીવામૃત, આચ્છાદનના સતત ઉપયોગથી જમીન ભરભરી અને પોચી બને છે
તદુપરાંત અળસિયા અને બેક્...






