આણંદમાં “વિશ્વ ધ્યાન દિવસ” અંતર્ગત શિબિર યોજાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને "વિશ્વ ધ્યાન દિવસ" જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ૪૦ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આણંદ જિલ્લાના કો-ઓર્ડીનેટર તોરલ પટેલના માર્ગદર્શન હેઠળ ધ્યાન શિબિરમાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. શિબિરમાં જિલ્લા કો - ઓર્ડીનેટર તોરલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ટ્રેનર્સનું સત્કાર કરતા જીવનમાં ધ્યાનના મહત્વને સમજાવતા જણાવ્યુ કે, યોગ અને ધ્યાનની સાધના મન એકાગ્ર બને છે અને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે.
અત્રે નોંધનીય છે કે,ધ્યાન અને યોગ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મણકા છે જે અનાદિકાળથી શાંતિ, આત્મસંતુલન અને માનસિક સમૃદ્ધિ...






