Sunday, February 15News That Matters

Author: Admin Admin

‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ડાંગ     રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે, શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.  મકર સંક્રાંતિના પવન પર્વે શબરીધામ ખાતે આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીએ, ચાલુ વર્ષે સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રા યોજવામાં આવી. જેમાં આદિજાતિ લોકો માટે સરકારની યોજનાઓને ઉજાગર કરવામાં આવી હતી તેમ કહ્યું હતું. દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી દ્વારા આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેનો લાભ લ...
“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, કાલાવડ        કાલાવડ ખાતે "હિન્દ રક્ષક સંઘ"દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ 'ગૌ સેવા પર્વ'ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.        આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબાપુ - ભંગડા), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસુભાઈ વોરા, કાલાવડ ભાજપ પદાધિકારીઓ અને શ્રી દિલીપભાઈ ચિકાણી, શ્રી જેન્તીભાઈ કામાણી, શ્રી સચિનભાઈ આસરા, શ્રી નંદાભાઈ, શ્રી કિરીટભાઈ તેમજ મોટી સંખ્યામાં સનાતની ભાઈ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.           રાત્રિ દરમિયાન રોડ પર અવરનવર ગૌવંશ સાથે થતાં અકસ્માત નાં રક્ષણ હેતુ રસ...
અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, અમદાવાદ       અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.  સમાજની એકતા અને સંગઠન શક્તિ જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે એક થાય છે, ત્યારે તે પ્રગતિનો એક નવો અને મજબૂત પથ પ્રશસ્ત કરે છે. આ સંમેલન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રની સાથે સમાજમાં સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ દ્રઢ બનાવનારું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરીને આજે સમાજ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો દ્વારા નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને તેની યુવાશક્તિ અને સંગઠિત ઊર્જાનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરી રહ્યો છે તે પ્રેરણારૂપ છે.     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સરકા...
100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, અમદાવાદ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા આયોજિત 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ - IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, IMAના હોદ્દેદારો, દેશ-વિદેશના ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ, પોલિસી મેકર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે IMAની '100 પગલાં સ્વાસ્થ્યના' પુસ્તકનું વિમોચન કરાયું. દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવ...
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છેઃ મુખ્યમંત્રી...
44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,     44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા. AKFFG ના જનરલ સેક્રેટરી, સંતોષ ગરુડ દ્વારા જણાવાયું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 04-01-2026 ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬ ટીમ આવવાની છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના ખેલાડી ૩૦, અને કોચ-૨, મેનેજર-૨, physio-૧ આમાં ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા....
મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

Gujarat
રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો નું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોને ની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે. તેઓ કહે છે કે, મહુડાના ફૂલનું મૂલ્યવર્ધિત તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે કમરદર્દ, ઘૂંટણના દુખાવામાં, સ્ત્રીઓને માસિક ધર્મ મુશ્કેલી દૂર કરે છે. મહારાષ્ટ્રમાં બધા સ્થળે મળે છે. મહુડાના ફૂલોના લાડુ, ચોકલેટ સ્વાદ ની સાથે આરોગ્યવર્ધક છે. ...
શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ

શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે.          મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત દર શનિવારે ‘બેગલેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં બાળકોને આનંદદાયી અને અનુભવજન્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે....
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ "કરૂણા અભિયાન-૨૦૨૬" કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. તેથી દાહોદ જિલ્લાની તમામ જનતાને જણાવવાનું કે ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા. પક્ષીઓ ઘાયલ થતા બચાવવા આટલું કરીએ વહેલી સવારે ...
નવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢિકરણ માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન

નવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢિકરણ માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણ અને જળ સંચયના મહત્વકાંક્ષી કાર્યોનો 'ખાતમુહૂર્ત સમારોહ' ચીખલી તાલુકાના આમધરા ખાતે ભવ્ય રીતે આયોજિત હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકીકરણ અને જળ સંચયના કુલ ૧૫૪ કામોનું 'ખાતમુહૂર્ત અને ઈ તખ્તી અનાવરણ' આમધરા હાઈસ્કુલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજિત રૂ. ૧૯૯.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે ૪૫૨૦.૧૭ હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ મળશે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગ ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી નરેશભાઈ પટ...