Monday, February 16News That Matters

Author: Admin Admin

વેસ્‍ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવાની કામગીરી

વેસ્‍ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવાની કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.         સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ  વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્‍ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે શાસ્ત્રી નગર શાક માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથી ચોક, સાધુ વાસવાણી રોડ, સત્ય સાઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, હોકર્સ ઝોન દ્વારા પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ...
વોર્ડ નં.૧૩માં નવા બની રહેલ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

વોર્ડ નં.૧૩માં નવા બની રહેલ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૯-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે બનતી નવી આંગણવાડી કેન્દ્રની સ્થળ મુલાકાત કરી તેમજ વોર્ડ નં. ૧૩ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.        વોર્ડ નં.૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે હાલ તેનું ફૂટીંગનું કામ ચાલુ...
મેઘપર બોરીચી ખાતે ઇસ્કોન રાધા મદન મોહન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા

મેઘપર બોરીચી ખાતે ઇસ્કોન રાધા મદન મોહન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        સામાજિક ન્યાય અને અધિકારીતા,‌ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા કચ્છના મેઘપર બોરીચી ખાતે શ્રી રાધા મદન મોહન ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશ વિદેશમાં મંદિરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. ઇસ્કોન મંદિર નિર્માણના દાતાઓની ઉદારતાની પ્રસંશા કરીને તેઓએ ઉમેર્યું હતું કે, ઈશ્વરની કૃપાથી જ આપણે સેવાકાર્યો કરી શકીએ છીએ. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી વળવા સક્ષમ છે પણ જ્યારે આપણે કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનીએ છીએ ત્યારે તે ઈશ્વરનો આદેશ હોય છે. કૃષ્ણનું જીવન જન જન સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય ઇસ્કોન સંસ્થા કરી રહી છે તે બાબતે તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.       આ કાર્યક્રમમાં કચ્છ મોરબી‌ સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઇસ્કોન મંદિરની ખ્યાતિ અને સંસ્કૃતિ જતન માટે સંસ...
જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ

જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત          જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-3 માં ૯ તાલુકા, ૬ શાખાઓ તેમજ દાધિકારીઓની ટીમ મળી કુલ ૧૬ ટીમો તેમજ મહિલા ક્રિકેટમાં ૪ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. આ આંતર તાલુકા કિક્રેટ ટુર્નામેન્ટ સિઝન ૩ માં મહિલાઓની ફાઇનલ મેચ તાલુકા પંચાયત વાગરા અને તાલુકા પંચાયત નેત્રંગ વચ્ચે રમાઈ હતી. જે મેચમાં તાલુકા પંચાયત વાગરાનો વિજય થયો હતો. વાગરાના મહિલા કેપ્ટને ૧૫ બોલમાં 38 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપી મેન ઓફ ધી મેચની ટ્રોફી મેળવી હતી. જ્યારે પુરુષોની ફાઇનલ મેચ શિક્ષણ શાખા અને આરોગ્ય શાખા વચ્ચે રમાઈ હતી જેમાં શિક્ષણ વિભાગની ટીમનો વિજય થયો હતો. શિક્ષણ વિભાગની ટીમ તરફથી ઓલરાઉન્ડર પર્ફોમન્સ મેન ઓફ ધી મેચની ટ્રોફી હેમંતભાઈને મળી હતી. તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરવા બદલ ડૉ.મ...
બીલીમોરા બર્ડ-પાર્ક બીલીમોરામાં પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનનું નવલું નજરાણું

બીલીમોરા બર્ડ-પાર્ક બીલીમોરામાં પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનનું નવલું નજરાણું

Gujarat
હિન્દ ન્યુઝ, નવસારી  નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તાજેતરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર લોકચાહનાનું અને મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ પક્ષીઘરમાં ૩૦ પ્રજાતિના ૨૫૫ પક્ષીઓ જોવા મળી રહયાં છે. બીલીમોરા બર્ડ પાર્કમાં વિવિધ એકઝોટિક બર્ડ રાખવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. મુલાકાતીઓને પક્ષીઓના પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ઉપરાંત રંગબેરંગી માછલીઓ, બતકની જોડીઓ, ઇગુઆના ( મોટા કાચીંડા) , ગીની પીગ અને સસલા પણ બર્ડ પાર્કમાં છે. આ બર્ડપાર્કનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં વિવિધ પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ અંગે જાગૃતતા વધે. અહીં પક્ષીઓ માટે તૈયાર કરાયેલા ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ તેને અનુરૂપ જ લગાવવામાં આવ્યા છે. અહીનું વાતાવરણ પક્ષીઓ માટે સાનુકૂળ રહ્યું છે. જેથી પક્...
સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ‘સીટેક્ષ– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ‘સીટેક્ષ– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સાતમા ‘સીટેક્ષ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનને કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સીટેક્ષ એક્ઝીબિશનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીપર, લૂમ્સ, જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઈંગ, વોર્મિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશ...
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, સુરત  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે માંડવીના સુથાર ફળિયા પૂનમ વાડી ખાતે આયુષ મેળાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ભારતે આપેલી અનમોલ ભેટ એવા યોગને સમગ્ર વિશ્વમાં જાણીતો થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનો સમક્ષ રજુઆતને પગલે ૨૧મી જુનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના પરિણામે ભારત જ નહિ પણ વિશ્વના લોકોએ યોગને સ્વીકાર્યું છે. યોગના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા કેળવાય છે. માનવ શરીરને સ્વસ્થ્ય રાખવું હોય તો આયુષ ઔષધોની દિશામાં આગળ વધવું જ પડશે. વધુમાં તેમણે કહ્યું કે, આપણી પ્રાચીન આયુર્વેદિક ઔષધિ વિશે લોકોને વધુને વધુ માહિતગાર કરવામાં આવે તે ...
ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી

ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા નામનો પ્રોજેક્ટ ભારત વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાની બહાદુરીને લગતા કિસ્સા ઉપર સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તે અંર્તગત ભરૂચ શહેરમાં આવેલી એસવીએમ હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીનું પેઇન્ટિંગ અને કવિતા શ્રેષ્ઠ રહ્યું હતું. જે અંર્તગત તેણીને પરિવાર સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ પાઠવામાં આવ્યું છે. ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બતુલ સંચાવાલાએ ધોરણ ત્રણ થી પાંચમી કેટેગરીમાં કારગિલ યુદ્ધના મહાન સપૂત કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર એક ભાવવાહી હિન્દી કવિતા લખી હતી. આ વીરગાથા પ્રોજેક્ટમાં ભારતમાંથી પસંદગી પામેલ ઉત્તમ ૨૫ કૃતિઓમાં માન ભર્યું સ્થાન મેળવ્યું છે. જેમાં ભરૂચની બતુલ સંચાવાલા દ્વારા રચાયેલ કવિતા થમ્સ ...
રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાત, ભુજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત કચ્છ-ભુજ આઇસીડીએસ ઘટક રાપર-૧ અને ૨ ના સંયુક્ત ઉપક્રમે ઠાકોર સમાજવાડી રાપર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ દ્વારા કિશોરીઓના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સીડીપીઓ જે.કે.પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું તથા સંલગ્ન વિભાગનાં અધિકારી/કર્મચારીઓનું તેમજ કાર્યક્રમમાં હાજર આંગણવાડી વર્કર, કિશોરીઓનું શાબ્દિક સ્વાગત કરી મહિલા અને બાળવિકાસ વિભાગ  ગુજરાત રાજય દ્વારા ચાલી રહેલ સશક્ત અને સુપોષિ...
૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

Gujarat
હિન્દટીવી - ગુજરાતી, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૩ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે . જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે . તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય(શરીરના વર્ણને ઉજળો કરનાર ) કરનાર છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાત...