Monday, February 16News That Matters

Author: Admin Admin

માત્ર 21 ₹ માં ભકતો નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

માત્ર 21 ₹ માં ભકતો નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ  સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી "બિલ્વપુજા સેવા" જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम। त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥ શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્ય ની સાથે સોમનાથ ટ્રસ્ટ આપના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે. આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકો છો, અથવા અમારા દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં  નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂ...
નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે

નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, હારીજ હારીજ તાલુકાના કુકરાણા થી પ્રસાર થતી માઇનોર કેનાલ જેમાં શંખેશ્વર તાલુકાના પણ મુજપુર લોટેશ્વર સહિત કેટલા ગામોમાં માઈનોલ કેનાલ દ્વારા પાણી પહોંચી છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતોના ખેતરમાં નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ ખાડા કામ કરી રહ્યા છે માત્ર ટેલિફોનિક જવાબો આપે છે આજે પાણી આવી જશે ને કાલે આવી જશે તેવું નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે ને ખેડૂત સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ નર્મદા વિભાગના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડવા તૈયાર નથી તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે ખેડૂતોના કરવામાં આવેલ વાવેતર ઓને જીવનદાન મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધા માટેના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”ના ધોરણો વધુ ઉદાર બનાવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધા માટેના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”ના ધોરણો વધુ ઉદાર બનાવાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે. ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય...
જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ ફરમાવેલ છે. જેથી ગુજરાત પોલી...
ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યકિત, ઈસમો પ્રવૃતિ કરી રહેલ હોવા...
જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવવામાં આવે છે. કચ્છ-ભુજ અધિક જિલ્...
લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરનાર આરોપીની જાણ થયે એસ.ઓ.જી. શાખા મહીસાગરને જાણ કરવા અનુરોધ

લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરનાર આરોપીની જાણ થયે એસ.ઓ.જી. શાખા મહીસાગરને જાણ કરવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર-સોમનાથ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે કે, અરજદાર પાર્વતીબેન મનસુખભાઇ કોહ્યાભાઇ દસમા રહે.લીમખેડી નીશાળ ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ હાલ રહે.ગડા તા.સંતરામપુર નાઓની દિકરી પ્રિયંકાબેન ઉ.વ.૧૪ નાનીને આ કામનો આરોપી પંકજભાઇ કોહ્યાભાઇ ડામોર રહે, ગડા શેરો ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર લગ્ન કરવાના ઇરાદે લલચાવી પટાવી ફોસલાવી ને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબત ના કામે હાલ સુધી ભોગ બનનાર તથા આરોપી હાલ સુધી મળી આવેલ ન હોય જેથી અરજદાર નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે આ બન્ને ગુમ થનાર વિશે કોઈને માહીતી મળેતો એમ. વી. ભગોરા એસ.ઓ.જી શાખા મહીસાગર પોલીસ ઇન્સ્પેક્ટર મો.ન.9998969966 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી.સિસોદીયા એસ.ઓ.જી શાખા મહીસાગર મો.નં.૮૩૨૦૬૬૫૦૦૯ મહીસાગર જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર:02674-25012...
અકસ્માતગ્રસ્ત ૫૪ લોકોના જીવ બચાવનાર ગાંધીધામના રાજભા ગઢવી ખરી માનવતાની મિશાલ

અકસ્માતગ્રસ્ત ૫૪ લોકોના જીવ બચાવનાર ગાંધીધામના રાજભા ગઢવી ખરી માનવતાની મિશાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ''સ્કીમ ઓફ એવોર્ડે ધ ગુડ સમરિટન''નું ગુજરાત સરકાર દ્વારા રી-લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અકસ્માતમાં ઇજા પામેલા લોકોને પ્રથમ એક કલાક એટલે કે '' ગોલ્ડન અવર ''માં જો કોઇ વ્યકિત હોસ્પિટલ પહોંચાડે તો તેને સરકાર દ્વારા ગુડ સમરિટન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે. ત્યારે આ પ્રકારની માનવતા મહેકાવતી કામગીરી વર્ષોથી કોઇપણ સ્વાર્થ કે લાભ વિના ગાંધીધામના રાજભા ગઢવી કરી રહ્યા છે. સાચા અર્થમાં તેઓ હિરોની ભુમિકા ભજવી રહ્યા છે. જે સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. માનવતાને નવી ઉંચાઇએ લઇ જનાર રાજભાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ''ગુડ સમરિટન'' એવોર્ડ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.         તેઓએ વાત કરતા જણાવ્યું હતું કે, સ્વ.શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટનું તેઓ સંચાલન કરી રહ્યા છે.  અત્યારસુધી કચ્છ અને આસપાસના વિસ્તારમાં થયેલા અ...
મધ્ય પ્રદેશ સરકાર અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે મધ્ય પ્રદેશના નિકાસ વેપાર વૃદ્ધિ માટે કરાર થયા

મધ્ય પ્રદેશ સરકાર અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે મધ્ય પ્રદેશના નિકાસ વેપાર વૃદ્ધિ માટે કરાર થયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ સંસ્થા દ્વારા 35 દેશોના 150 કરતા વધુ ડેલિગેટ્સ ને આમંત્રણ આપી ઇન્દોર સમિટ માં બોલાવવામાં આવેલ. આગામી દિવસો માં મધ્ય પ્રદેશ માં નિકાસ વેપાર વૃદ્ધિ માટે અનેક વિધ કાર્યક્રમો યોજાશે જેમાં ખાસ કરીને વિવિધ દેશોના બિઝનેસ પ્રતિનિધિ મંડળો ને આમંત્રણ આપીને મધ્ય પ્રદેશ ના વિવિધ શહેરોમાં ટ્રેડ શો તથા બિઝનેસ સમિટ અને ફેક્ટરી વિઝિટ ના કાર્યક્રમો કરવામાં આવશે. ઇન્દોર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માં હાજરી આપવા ગયેલ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ પરાગભાઈ તેજૂરા એ આ બાબત ચર્ચા કરવા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિન્હ ચૌહાણ, ઇન્દોર ના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ મધ્ય પ્રદેશના હોદ્દેદારો સાથે મિટિંગ કરેલ. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રમોટ કરવામાં આવેલ એસ.વી.યુ.એમ. ઇન્ટરનૅશનલ બિઝનેસ કાઉન્સિલ માં મળ્યા પ્રદેશ ના 100 પ્રતિનિ...
ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૬(મવડી) તૈયાર કરવા અનુસંધાને જમીન માલીકો સાથે મીટિંગ યોજાઈ, યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી

ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૬(મવડી) તૈયાર કરવા અનુસંધાને જમીન માલીકો સાથે મીટિંગ યોજાઈ, યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૧૮ તા.૧૯-૦૭-૨૦૨૨થી ઠરાવ્યા મુજબનાં ગામ મવડીનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૬ મવડી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. તે અન્વયે નીચે દર્શાવેલ ગામ માવડીનાં સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના નં.૩૬-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૨૦/૦૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર ...