Monday, February 16News That Matters

Author: Admin Admin

બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો, ખેત માલિકોએ નિયત નમુનામાં માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુઘી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામા દ્વારા ખેત માલીકો/લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના ખેત/વાડીએ કામ અર્થે કોઇપણ ભાગીયા મજુરને કામે રાખે ત્યારે નિયત નમુનામા દર્શાવ્યા મુજબ મજુર/ખેત મજુરની માહીતી પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો ખેત માલીકોએ લેબર કોન્‍ટ્રાકટર/મુકાદમ (સપ્‍લાયર) નું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર સહીત, મજુર/ખેત મજુરનું નામ તથા ઉમંર વર્ષ, મજુર/ખેત મજુરનું હાલનું સરનામું તથા...
ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તા. ૦૧/૦૨/૨૦૨૩ થી તા. ૨૮/૦૨/૨૦૨૩ દરમ્યાન રજીસ્ટ્રેશન કરી શકાશે

ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તા. ૦૧/૦૨/૨૦૨૩ થી તા. ૨૮/૦૨/૨૦૨૩ દરમ્યાન રજીસ્ટ્રેશન કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભારત સરકાર દ્વારા રવિ ૨૦૨૨- ૨૩ ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. રવિ ૨૦૨૨-૨૩ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ ( PSS ) હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૧૦/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. ખરીદી અન્વયે તા. ૦૧-૦૨-૨૦૨૩ થી તા. ૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી “વિલેઝ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર” VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે.જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે. ઓનલાઇન નોધણી થયેલ ખેડુતોની જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ(ફરજિયાત), ૭/૧૨, ૮-અ નક્લ, ફોર્મ નંબર-૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો ચણા પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક સાથે લઈ જવાનું રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ની યાદીમાં ...

રાજકોટ મહાનગરપાલિકાના ૧૦ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.             આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.             જાન્યુઆરી-૨૦૨૩નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ (૧) ભાદર યોજનાના કેમીસ્ટ કેતન એ. મેસવાણી (૨) વોટર વર્કસ આ...
હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ  શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે  બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૧૨/૨૦૨૩ (એક વર્ષ) સુધી શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગમા દરરોજ એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે પ્રથમ મોકડ્રીલ સ્વસ્તિક હાઈલેન્‍ડ, રૈયા રોડ ખાતે કરવામાં આવેલ. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સ્વસ્તિક હાઈલેન્‍ડ, શાંતીનગર, રૈયા ધાર, રૈયા રોડ ખાતે બિલ્ડીંગના ૧...
ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. અનુસૂચિમાં જણાવેલ ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલ છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહ...
પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

Gujarat, International
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ગત તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ.) અંતર્ગત કચ્છ જિલ્લાના પી.એમ પોષણ યોજના (એમ.ડી.એમ.) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવેલ જેમાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતિય આવેલ કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે મીનાબેન કે. ધુવા (સંચાલક - ગાંધીધામ), દ્વિતિય ક્રમના વિશ્વના સંગાર જાયાદાબાનું નુરમામદ (સંચાલક - અબડાસા તાલુકો) અને તૃતિય ક્રમના વિજેતા જાદવ વૈશાલી રમેશ (સંચાલક - મુંદ્રા તાલુકા) ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્વિતીય વિ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર તારીખ ૩૧મી જાન્યુઆરી - ૨૦૨૩ થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહયો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૧૩/૦૨/૨૦૨૩ સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. -: જામનગર કાર્યાલય :- નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલય : વૈરાઽનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે....

“શહીદ દિન” નિમિતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓ દ્વારા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦-૦૧-૨૦૨૩નાં રોજ “શહીદ દિન”નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓના અધિકારી / કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.       રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખા સહીત તમામ શાખાનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા સવારે ૨ મીનીટ મૌન પાળી શહીદ વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  ...

સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ દેવી ભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ “સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્તિપીઠ આ ભૂમિ માં આવેલ છે” વિશેષ મહાત્મય શ્રોતા જનોને સંભળાવતા વક્તા ડો.કૃણાલભાઈ જોષી...         કથાના સાતમાં દિવસે વક્તા કૃણાલભાઈ જોષીએ જણાવેલ કે, પ્રભાસ ની પાવન ભૂમિ પર મહા સુદ સપ્તમીનું ખૂબ વિશેષ મહાત્મય સમાયેલુ છે. આ દિવસને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવાય છે, આ દિવસે આ ક્ષેત્રમાં યાત્રા,દર્શન,પૂજન કરવાથી માતા ચંદ્રભાગાની  વિશેષ શક્તિ કૃપા પ્રાપ્ત થાય છે. અને સાચી ભક્તિ થી મનુષ્ય તૃપ્ત થાય છે. કથા અંશો...         દેવી ભાગવત અનુસાર પુત્રના લક્ષણ કેવા હોવા જોઇએ, પુત્ર એ જીવીત મા-બાપની સેવા કરતો હોવો જોઇએ. માતા-પિતાની વિદાય પછી તેની પાછળ ઉત્તમ ક્રિયા કરવા જોઇએ. અને સાચો પુત્ર આ બધું કર્યા બાદ ગયાજીમાં તેમની પાછળ પીંડદાન કરનારો હોવો જોઇએ. આ કર્મથી જ પુત્ર પૂ નામના નર્ક થી પિતૃ ને તારી સાચો પુત્ર બની શકે. દેવીમાઁ ક્યાં યુગ માં...

મહેસણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિયબાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા            મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી. આશરે ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણીમાં ભાગ લીધો હતો. પૂર્ણા દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની ૩૭૨૦૩ કિશોરીઓએ ભાગ લીધેલો હતો. જેમાં વિજેતા બનેલ કિશોરીઓને સેનેટરી પેડ અને શિલ્ડના પ્રોત્સાહક ઇનામ આપીને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઊંઝા તાલુકાના કંથરાવી ગામે પ્રોગ્રામ ઓફિસ જિજ્ઞાસા .કે.દવે ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં આગણવાડીમાંથી મળતી સેવાઓ, THR ટેક હોમ રાશનના ફાયદા , પોષણ અને આહારની ગુણવત્તા,IFA અને કૃમિનાશકગોળી વિષે, એનિમિયા વિષે, કિચન ગાર્ડન હોવાના ફાયદા, સ્વની ઓળખ , માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી જેવાં વિષયો પર નિબંધ સ્પર્ધ...