રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયો અભ્યાસલક્ષી સેમિનાર
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમણે આ સોનેરી તકનો લાભ લીધો હતો.
આ તકે NIOSના રિજનલ ડિરેક્ટર ડૉ.સૌમ્યા રાજને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ફરી જાગૃત કરે અને ફરી એકવાર સોનેરી તક ઝડપવાની કોશિશ કરે. આપણે તમામે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છ...
