Tuesday, February 17News That Matters

Author: Admin Admin

આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું. મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ કરી છે. ડાંગ જિલ્લાની મહિલાઓ દરેક ક્ષેત્રમા આગળ વધે તે માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વિજયભાઈ પટેલે અપીલ કરી હતી. ગ્રામ્ય કક્ષાની બહેનોમા જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજન...

આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, બીલીમોરા        તા. 18- 02 -2023 તથા તા. 19-02-23 નાં રોજ આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, દેવસર મુકામે આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. ગણદેવી તાલુકા પંચાયત સભ્ય એવાં હર્ષિલભાઈ નાયક ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. જેમાં દરેક ખેલાડી ઓ ખુબ ખેલદિલી રાખી, સમાજ માં એક એકતા રાખી ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. રવિવારે સાંજે ચેતન પ્લમ્બર ઈલેવન તથા તલોદ કિંગ ઈલેવન આમ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય હતી. જેમાં તલોદ કિંગ ઈલેવન 3 રને વિજય બની હતી. અંતે વિજેતા ટીમનાં કેપ્ટન ભાવિન પટેલ ને દેવસર ગામ ના સરપંચ ચેતનાબેન બી. પટેલ ના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને રુનર્સઅપ ટીમ ને તલોદ ગામ ના સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ઉપસરપંચ વિપુલભાઈ પટેલ ના હાસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ...

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં 'લોન-ધિરાણ' કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે 'મેગા લોકસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની જનસામાન્ય માટેની સ્વનિધિ કે મુદ્રા યોજનાના લાભોથી વાકેફ કરતા ગૃહ રાજ્યમંત્રીએ, એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસતંત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી. પોલીસ વ...

ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારીયાધાર તાલુકાના ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલકની જગ્યા ભરવા માટે જેમાં સ્થાનિક, વિધવા, ત્યક્તા, સ્ત્રી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાની થાય છે. શૈક્ષણિક લાયકાત એસ. એસ. સી. પાસ ઉમર ૨૦ વર્ષ પૂરા ખાલી કેન્દ્રો (૧) ગારીયાધાર કેન્દ્ર નં.-૧, (૨) નાની વાવડી કેન્દ્ર નં.-૧૦, (૩) ફાચરીયા કેન્દ્ર નં.-૧૧, (૪) ગણેશગઢ કેન્દ્ર નં.-૨૦, (૫) શક્તિનગર કેન્દ્ર નં.-૫૫, (૬) પરવડી પ્લોટ કેન્દ્ર નં.-૫૯ માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી ગારીયાધાર (મ.ભો.યો. શાખા) માંથી કચેરી સામે દરમ્યાન જાહેર રજા સિવાય દિવસોમાં મેળવી વિગતો ભરી પ્રમાનપત્રોની નકલો સાથે તા.૦૩/૦૩/૨૦૨૩ સુધીમાં (રજા સિવાય) કચેરી સામે દરમ્યાન પરત કરવાના રહેશે મામલતદાર, ગારીયાધારની યાદીમાં જણાવાયું છે. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ૧૫% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડના...

ડાંગ જિલ્લા સંકલન સમિતની બેઠક યોજાઈ 

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર ડો.વિપીન ગર્ગ એ 'સો દિવસના લક્ષ્યાંક' અંગે તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન કલેકટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં રોડ સેફટી, કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છ ભારત મિશન સહિતની શ્રેણીબદ્ધ બેઠકો પણ આયોજિત કરાઈ હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગોને માર્ગદર્શિત...

બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બીલીમોરા          બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી વલસાડ વિભાગના બીલીમોરા ડેપો ખાતે આજરોજ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી સર્વિસને ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના વરદ હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે. બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવિન બસ સેવાનો નવસારી જિલ્લાના લોકોને લાભ લેવા વલસાડ એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ...

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ         કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ "પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુક...

સંસ્કૃતને લોકભાષા બનાવીએ, તેનાથી વિશેષ ઊર્જા મળે છે : આચાર્ય દેવવ્રતજી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતી પદવીદાન સમારોહમાં ૧૮ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ ૨૨ પદકો સહિત કુલ ૭૮૫ ડીગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા સંસ્કૃત વિદ્વાન ડૉ. રામકિશોર કેદારપ્રસાદ ત્રિપાઠીને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૩ પુરસ્કાર એનાયત...

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ         વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ‘સરદાર સરોવર યોજના’ થકી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો હંમેશ માટે ઉકેલ આવ્યો છે....