Sunday, February 15News That Matters

આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ અર્થે દિન-૩ સુધી સંપુર્ણ બંધ રહેશે 

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

  આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ માટે તા.૨૩/૧૨/૨૦૨૪ નારોજ સવારે ૦૭.૦૦ કલાકથી તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના ૧૮.૦૦ વાગ્યા સુધી દિન ત્રણ માટે સંપુર્ણ બંધ રહેનાર હોય જનતા ચોકડીથી વલ્લભ વિદ્યાનગર તરફ આવતા અને જતા વાહનો ફાટક નં.૦૭ એલીકોન ફાટક થઈ અવર-જવર કરી શકશે. 

સામાન્ય જનતાને જાહેર નિવેદન છે કે ઉપરોક્ત જણાવ્યા મુજબના ડાયવર્ઝન મુજબ અવર-જવર કરવાની રહેશે તેમ,અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,આણંદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *