Sunday, February 15News That Matters

આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ 

  આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે.

આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર ત૨ફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહે૨માં પ્રવેશતા તથા અમુલ ડેરી સર્કલથી સ્ટેશન ત૨ફથી શહે૨માં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ સ૨કારી વાહનો, પ્રવાસી બસો, એમ્બ્યુલન્સ વાન અને ફા૨યબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *