“યોગ એટલે મનને પોષણ આપવુ” જાનવી પ્રતિભા મહેતા (યોગ નિષ્ણાત)
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ૨૧મી જૂને સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. આજે યોગ આપણા દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને સુખાકારી પ્રદાન કરે છે. નું પ્રદાન કરે છે. ભાવનગરમાં રહેતા જાનવી પ્રતિભા મહેતા યોગ ક્ષેત્રે ઘણી નામના ધરાવે છે. તેમણે ૩૬મી નેશનલ ગેમ્સ યોગાસનમાં આર્ટિસ્ટિક પેરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પણ છે. યોગ જીવનમાં ખુબ પ્રતિકારક છે. નિયમિત યોગ કરવા થી અનેક લાભ થાય છે. જાનવી પ્રતિભા મહેતા યોગથી થતાં શારીરિક અને માનસિક ફાયદા વિષે જણાવતા કહે છે કે, યોગ દ્વારા થતા શારીરિક ફાયદાઓ તો સર્વ વિદિત છે. યોગ શરીર ના તમામ તંત્ર જેવાકે પાચનતંત્ર, ભ્રમણતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર, સ્નાયુતંત્ર, પ્રજનનતંત્ર, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, કંકાલતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માં મદદ કરે છે.
જેમ શરીર ચલાવવા ખોરાકની જરૂર પડ...
