Monday, September 7News That Matters

Gujarat

હિંમતનગરના નાંખી ખાતે એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના નાંખી ખાતે એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, હિંમતનગર ભારત સરકારશ્રી દ્વારા આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાઈ છે. જે ગુણવતાયુકત સેવાઓ દ્વારા આપણને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. માતા મરણ અને બાળમરણ દર નીચે લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત હિંમતનગરના નાંખી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય સલમાબેન અસારીની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત સદસ્યશ્રી સલમાબેન અસારીએ હિમતનગરના અંતરિયાળ આદિવાસી તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આ પ્રકારના જાગ્રુતિ કાર્યક્રમોને આવકારી સ્થાનિક પ્રજાજનોને આરોગ્ય અને અન્ય સરકારિ સેવાઓ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત સગર્ભામાતાઓન...
ખેલમહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

ખેલમહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત              સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા યોજાનાર ખેલમહાકુંભ ૩.૦ માં શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર તા.૨૫ ડિસે.સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું.             અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જ...
સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ અધિકારી કર્મચારીઓએ તજજ્ઞો સાથે સંવાદ કરી ઉદ્દભવતા પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ...
આયુષ્માન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે લઘુશિબિર યોજવામાં આવી

આયુષ્માન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે લઘુશિબિર યોજવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુંગાર હેઠળ આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને વિસ્તારની બહેનો માટે આરોગ્ય તપાસ તેમજ સરકારની વિવિધ યોજના વિષે લઘુશિબિર યોજવામાં આવી હતી. આ લઘુશિબિરમાં સગર્ભાઓને જોખમી સગર્ભાના ચિન્હો વિશે તેમજ આયર્ન કેલ્શયમ ગોળી વિષે ,ઓછા હિમોગ્લોબીન વાળી સગર્ભાને આયર્ન સુક્રોઝ સારવાર માટે, ટીટી રસી વિષે તેમજ ધાત્રી બહેનોને બાળકને ફરજીયાત ૬ માસ માતાનું ધાવણ આપવા અંગે, ઓછા વજન વાળા બાળકને કાંગારું કેર પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર પર તમામ રોગ સામે રક્ષણ મળે તે માટે રસી આપવામાં આવે છે માટે સમયાન્તરે બાળકને રસીકરણ કરાવવા અંગે તેમજ ૨ બાળક વચ્ચે ૩ વર્ષનો સમયગાળો રાખવા માટે કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ, ઓરલ પિલ્સ, માલા ગોળી, છાયા ગોળી, અંતરા ઇન્જેક્શન , કોપર-ટી,...
ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા

Gujarat
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર મેડમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને RCHOના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા અને તમામ PHC તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર અને તમામ પોલિયો બુથના તમામ કર્મચારીઓ પોલીયો ઝૂંબેશમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કર્યા છે. અધિકારીની સૂચનાથી બાળકોને સ્માઈલી બોલ, ચોકલેટ વગેરે વસ્તુ આપવામાં આવી હતી. આ રીતે ગીર સોમનાથ જિલ્લામાં સુપરવાઇઝર તેમજ કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી દાખવવામાં આવી હતી....
વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લેનાર ઉજ્જૈનની મહિલાનું પરિવાર સાથે મિલન

વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લેનાર ઉજ્જૈનની મહિલાનું પરિવાર સાથે મિલન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વેરાવળ ખાતે રાજેન્દ્ર ભુવન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે છે. જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રયનો સમાવેશ થાય છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેલવે સ્ટેશન પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને બચાવી આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતા. સેન્ટરમાં જ્યારે આ બહેન આવ્યા ત્યારે તેમની માનસિક સ્થિતિ કઈ પણ માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. આથી તેમને થોડા સમય માટે આરામની જરૂરિયાત હોય તેથી તેમને આશ્રય સહાય આપી હતી. ત્યારબાદ તેમને તબીબી સહાયમાં મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરી ...
પ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા

પ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ તાલાલા તાલુકાના જશાધાર ગામના ખેડૂત રમેશભાઇ હરિભાઇ હરણિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આંબા સાથેના વિવિધ પાકોનું મિશ્ર પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં સુધારો થયો છે, પાકની ગુણવતા સુધરી છે, માટી મુલાયમ બની અને જમીનમાં અળસિયા વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી રમેશભાઈએ ૧૦૦% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેઓ પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા, સરગવા, પપૈયાં, મગફળી, તુવેર, જુવાર, ચણા, મકાઇ, શાકભાજી સહિતનું વાવેતર કરે છે. આ સાથે જ તેઓ સરગવા સીંગ અને પાનનો પાવડર બનાવીને વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવમૃત, ઘનજીવામૃત, આચ્છાદનના સતત ઉપયોગથી જમીન ભરભરી અને પોચી બને છે તદુપરાંત અળસિયા અને બેક્...
ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ-બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ભાવનગર ખાતે મીડિયા કર્મીઓ માટે જિલ્લા માહિતી કચેરી ભાવનગર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૧૦૭ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી. પ્રસંગે જિલ્લા કલેકટર આર...
ભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

ભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયરશ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં રૂ.૧૧૫.૫૯ કરોડના ખર્ચે નવ નિર્માણ થનાર પ્રથમ તબક્કામાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો એક બાજુનો ભાગ પૂર્ણ થતાં બ્રિજને ખુલ્લો મુક્યો હતો. ભાવનગરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશની સાથે ગુજરાતે અનેકવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ભાવનગર જિલ્લાએ વિવિધ ક્ષેત્રોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે એમ જણાવી તેમણે આ બ્રિજ થકી લોકોની જન સુખાકારીમાં વધારો થવાની સાથે નાગરિકોને સરળ અને ટ્રાફિકરહિત આવાગમનનો લાભ મળશે.અને તેમના કિંમતી સમય અને ઇંધણની બચત થશે. વધુમાં...
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહની કામગીરી માટે ૭૫ જેટલા અમૃત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે ૮૫ જેટલા અમૃત સરોવર બનાવીને આણંદ જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાથો-સાથ ભૂગર્ભ જળ, પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળ વ્યવસ્થાપનની કામગીરીને ધ્યાને લઈ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીના હસ્તે આ વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો હતો. જેને આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના વતી આણંદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબીસિંહ રાજપુતે સ્વીકાર્યો હતો. ...