Saturday, September 5News That Matters

Gujarat

દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    દાહોદ જિલ્લામાં અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાની રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ 2 જુડવા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108 ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળકો સ્વસ્થ છે. તા.22 મીની સાંજે 20:19 વાગ્યે દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારમાં રૂપારેલ ગામની સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતા સેવનીયા લોકેશનની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો. ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી.  31 વર્ષીય આ મહિલાની ચોથી અને જોખમી પ્રસૂતિ હતી. અસહ્ય પ્રસૂતિ દુ:ખાવો થઈ રહ્યો હતો. તેથી 108 સ્ટાફે સ્થિતિ પારખી લીધી જેમાં હોસ્પિટલ પહોંચી શકાય તેમ ન હતું. વધારે જોખમી જેમાં ઓછું વજન અને લોહીના ટકા ઓછા હોવાથી માતાને ગોધરા સિવિલ માં ડાયરેક્ટ એમ્બ્યુલન્સ માં લઈ જવું...
મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ નું શુભારંભ

મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ નું શુભારંભ

Gujarat, Maharashtra
હિન્દ ટીવી - ગુજરાતી, મુંબઈ     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્ર, ગોવા અને ઑડિશાના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુરક્ષા, સ્થિરતા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે મેરિટાઈમ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આજે ભારત મેરિટાઈમ ક્ષેત્રે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે 100થી વધુ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજિત #IndiaMaritimeWeek2025 ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને ‘ગેટવે ઓફ વર્લ્ડ’માં પરિવર્તિત કરનાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતન...
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર    કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે. આ બંને કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની લોક ભાગીદારી યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા છે.    આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એ માત્ર સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ લોક ભાગીદારી અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને થતી પ્રક્રિયા છે. આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ તે વિકાસ કાર્યો સરકારના છેવાડાના માનવી સુધી પહોંચવા ...
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ...
બોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ

બોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ

Gujarat
હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય” બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી (more…)...

ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરેન્દ્રનગર     સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.  આ બહેનો ઘરે બેઠા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે, જેમાં મુખ્યત્વે ચારકોલ, નીમ, તુલસી, એલોવેરા અને ગુલાબ. અન્ય પ્રોડક્ટ્સ: વાસણ ઘસવાનું લિક્વિડ અને વોશિંગ પાઉડર. ‘વોકલ ફોર લોકલ’ ના સૂત્રને સાકાર કરતી આ મહિલાઓ, એકતા અને સંગઠનની શક્તિથી ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક રીતે પગભર બનીને તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે....
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

Gujarat
હિંન્દ ટીવી - ગુજારાતી, ભુજ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઇને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઇ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે. વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઇએ જોયું કે, રાસાયણિક ખાતર, જતુંનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઇ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઇ રહ્યા છે. જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે. તેઓ કમલમ્, આંબા તથા ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાય...
કમાલપુરના પી એમ યુવા લેખક શ્વેતા પટેલને દિલ્લીના લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું

કમાલપુરના પી એમ યુવા લેખક શ્વેતા પટેલને દિલ્લીના લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઈડર નવી દિલ્હી ખાતે 15 ઑગસ્ટના પાવન દિવસે યોજાનાર સ્વાતંત્ર દિવસના રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામના યુવા લેખિકા શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા “વિશિષ્ટ અતિથિ” તરીકે આમંત્રણ મળ્યું છે. દર વર્ષે દિલ્લીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં સમગ્ર દેશમાંથી ચયનિત ગણનાકીય પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભા શાળી યુવા લેખકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકાના કમાલપુર ગામના પીએમ યુવા લેખક શ્વેતા પટેલને આમંત્રિત કર્યા છે. શ્વેતા પટેલ “પ્રધાનમંત્રી યુવા લેખક મેન્ટરશિપ યોજના-1” ના વિજેતા છે. જે થકી તેઓએ રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કલા-સાહિત્...
નારી વંદન સપ્તાહ અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરાયું

નારી વંદન સપ્તાહ અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર તારીખ 4 ઓગસ્ટ, 2025 ના રોજ, નારી વંદન સપ્તાહના ભાગ રૂપે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માર્ગદર્શન અપાયું હતું. શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ મહિલા સ્વાવલંબન વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી. LIC બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડે કેન્દ્ર સરકારની વીમા સખી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી, અને SBIના ડાયરેક્ટર મેનેજર વિજયસિંહે મહિલાઓ માટે બેંક લોન અને તાલીમ અંગેની વિગતો જણાવી હતી. આ ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી વિવિધ સ્વાવલંબન યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ મેળામાં નોકરી શોધી રહેલી મહિલાઓ માટે ઇન્ટરવ્યુ અને માર્ગદર્શન સત્રોનું પણ ...

નર્મદા જિલ્લામાં “સક્ષમ શાળા” એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન, એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો. સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ તો હજી શરૂઆત છે. જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા...