Tuesday, April 14News That Matters

Gujarat

ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતા કેરોસીનના મુળ ભાવમાં ફેરફાર બાબતે કલેકટર બોટાદનું હુકમનામું

ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતા કેરોસીનના મુળ ભાવમાં ફેરફાર બાબતે કલેકટર બોટાદનું હુકમનામું

Gujarat
બોટાદ હાલમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં આવશ્યક ઘરેલું બળતણનો પુરવઠો સિનિશ્વિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતા રાજ્યને ૧૪૫૨ KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં નિયમિત PDS કેરોસીન ફાળવણી અમલમાં નથી, પરંતુ આ વિશેષ ફાળવણીનો ઉપયોગ ઘરેલું બળતણ માટે LPG ઉપરાંત અસરકારક સહયોગી તરીકે અને બળતણની જરૂરીયાત પૂરી કરવા માટે ફાળવવામાં આવે છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (Cooking) અને પ્રકાશ (Lighting) માટે કરવાનો રહેશે. રાજ્યની ઓઈલ કંપનીઓ IOCL, HPCL દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ સપ્લાય પોઈન્ટના કેરોસીનના જથ્થાની કિંમત Ex Depot Rate નક્કી કરવામાં આવેલ છે. ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ હેઠળ વિતરણ થતા કેરોસીનના વેચાણના મુળ ભાવમાં થયેલ ફેરફાર તથા GSTની અમલવારી અન્વયે સરકારશ્રીના સંદર્ભ-૩ના પત્રની સૂચના મુજબ વિવિધ ઓઈલ કં...
ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં

ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં

Gujarat
ગીર સોમનાથ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની આગેવાનીમાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ, હથિયારો, બેનર્સ-કટઆઉટ નિયમન, મતદાન મથક-મતગણતરી કેન્દ્ર અંતર્ગતની પ્રવૃત્તિઓ સહિત ચૂંટણી સંબંધિત ૧૩ જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ આદર્શ આચારસંહિતાની ટીમની રચના કરી અને આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સૂચના આપી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ જરુરી હોવાથી જિલ્લાક...
બોટાદ જિલ્લામાં જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

બોટાદ જિલ્લામાં જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
બોટાદ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ બોટાદ જિલ્લામાં આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક સુધી કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે બોટાદ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ખાતે તથા જિલ્લાના સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે પ્રતિબંધો રહેશે. જેમાં પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ-ફેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્...
આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા

આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા

Gujarat
આણંદ, આણંદ જિલ્લામાં આવેલા 08 તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો પૈકી 3300 જેટલા શિક્ષકો જી.પી. ફંડ નું એકાઉન્ટ ધરાવે છે અને શિક્ષકોને આપવામાં આવતા પગારમાંથી નિયમો અનુસાર જીપીએફની કપાત કરવામાં આવે છે. જીપીએફની કરવામાં આવેલ કપાત, વર્ષ દરમિયાન મળેલ વ્યાજ, વર્ષ દરમિયાન કરેલ ઉપાડ અને છેલ્લે જમા રહેતું બેલેન્સ આ પ્રકારની જીપીએફની સ્લીપ દર વર્ષે શિક્ષકોને આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષ પૂર્ણ થયાના બીજા જ દિવસે જીપીએફ નો હિસાબ અને તે પણ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્લીપ શિક્ષકોના હાથમાં પહોંચી હોય તેવું પહેલી વાર બન્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થયું તેના બીજા જ દિવસે શિક્ષકોને કોમ્પ્યુટરરાઈઝ જીપીએફની સ્લીપ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના 3300 શિક્ષકો જીપીએફ ન...
આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે

આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે

Gujarat
આણંદ ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૬ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેજ બાળકો આ યોજનાના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. જે અંતર્ગત અનાથ બાળક, સંભાળ અને સરંક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજુર/સ્થળાંતરીત મજુરના બાળકો, મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ-૩૪ (૧)માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો, (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો, ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ...
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

Gujarat
ભાવનગર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથા વલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબ...
ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ

ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટેની પ્રથમ તાલીમ યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમ બે તબક્કામાં યોજાયો હતો. જેમાં પ્રથમ સત્ર બપોરે ૧-૦૦ થી ૩-૦૦ કલાક દરમિયાન પ્રિસાઈડીંગ ઓફિસર (PR) માટે અને દ્વિતીય સત્ર બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન ફર્સ્ટ પોલિંગ ઓફિસર (PO-1) માટે રાખવામાં આવ્યું હતું. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ દ્વારા સ્ટાફને મતદાન મથકની વ્યવસ્થા, ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) ના સંચાલન તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા...

શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવા અંગે શ્રમ નિયામકની સૂચના

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા-ચૂંટણી ૨૦૨૬, આગામી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મતવિસ્તારના તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવા શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ - ૨૦૧૯' હેઠળ જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની સાપ્તાહિક રજા જો મતદાનના દિવસે ન હોય, તો તે રજામાં ફેરફાર કરી મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. મતદાન માટે આપવામાં આવતી આ રજા માટે શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ માલિક કે સંસ્થા 'લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧'ની કલમ-૧૩૫-બીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે અથવા શ્રમયોગીઓને મતાધિક...

ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા સંબંધી રાજકીય પક્ષો / ઉમેદવારો આ નિયમોનું પાલન કરે

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત પ્રદર્શન ન કરે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા માટે નિયમો જાહેર કરતો હુકમ બહાર પાડયો છે. તદ્અનુસાર કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસ્થા અથવા વ્યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્સ, બેનર્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઇપણ જાહેર જગ્યાએ તેમજ જાહેર રસ્તા ઉપર મૂકી શકશે નહીં, એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વ...

રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે હંગામી કચેરી શરૂ કરતાં આટલી બાબતોનું ધ્યાન રાખવું

Gujarat
આણંદ, આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે. આવી કચેરીઓ માટે કેટલીક માર્ગદર્શક સુચનાઓ જરૂરી હોઇ આ સુચનાઓનું પાલન થાય તથા તેનું ઉલ્લંઘન ન થાય તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક હુકમો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ ઉમરેઠ વિધાનભાની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમિયાન કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી રીતે કચેરી શરૂ કરવામાં આવે ત્યારે કોઇપણ જાહેર કે ખાનગી મિલ્કતમાં દબાણ કરીને, કોઇપણ ધાર્મિક સ્થળ કે કેમ્પસમાં, કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલને ...