Monday, February 16News That Matters

Gujarat

શ્રી મદ્ દેવી ભાગવતના ચતુર્થ દિવસે નવદુર્ગા પ્રાગટ્યોત્સવ, માંગ્યા વગર આપે એ માઁ : વક્તા ડો.કૃણાલભાઇ જોષી

શ્રી મદ્ દેવી ભાગવતના ચતુર્થ દિવસે નવદુર્ગા પ્રાગટ્યોત્સવ, માંગ્યા વગર આપે એ માઁ : વક્તા ડો.કૃણાલભાઇ જોષી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ            સોમનાથ મંદિર પરીસરમાં ચાલી રહેલ શ્રી મદ્ દેવી ભાગવક કથા ના ચતુર્થ દિવસે નવદુર્ગા માતાનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો હતો. આજરોજ નાની બાળાઓ શણગાર થી સજ્જ થઇ મંડપમાં બીરાજતા શાક્ષાત દેવી પ્રભાસની ભૂમિ માં દર્શન આપવા આવ્યા હોય તેવો આદ્યાત્મિક માહોલ રચાયો હતો. કથા ના અંશો : અયોધ્યાના રાજકુમાર સુદર્શન ખુબ દુઃખી થયા કષ્ટો અને મુશ્કેલ સહન કરી, તેઓએ માતાના બીજ મંત્ર દૈવી કૃપા પ્રાપ્ત કરી, કાશીમાં યોજાયેલ સ્વયંવરમાં જ્યારે તેઓ વિકટ પરીસ્થીતીમાં માતાને યાદ કર્યા માં દુર્ગા સ્વરૂપે કાશીમાં પ્રગટ થયા અને ભક્ત સુદર્શન ની રક્ષા કરી અને યોદ્ધાજીત અને શત્રુજીત નો વધ કર્યો. ચાર માસમાં નવરાત્રી આવે છે, શક્તિ અનુષ્ઠાનનું વિશેષ મહાત્મય રહેલુ છે. જેમાં ચૈત્ર અને આષો માસની નવરાત્રી પ્રગટ નવરાત્રી છે, જ્યારે મહા અને અષાઢમાસ ની નવરાત્રી ગુપ્ત નવરાત્રી છે. નવરાત્રીમાં ઉપવાસ, કુમારી...
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ  રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ  રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ  રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, મેયર ડૉ.પ્રદીપ ડવની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા નરેન્દ્રસિંહ ઠાકુર, શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝના હસુભાઈ ગોહેલ, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, સ્વાગત ગ્રુપના છગનભાઇ બુસા...
રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી તારીખ: ૨૭/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા                       • જનરલ-             • રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      • સિટી બસ સેવા (RMTS)માં તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૯૫,૭૭૪ કિ.મી. ચાલેલ છે. તથા કુલ        ૧,૭૧,૨૫૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.  • સિટી બસમાં થયેલ કા...
મહુવાના કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપતીનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું

મહુવાના કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપતીનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક દંપતિ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીનું મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાઘનગર ખાતે તાલુકાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ઇનોવેટીવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શિતલબેન ભટ્ટી મોન્ટેસરી શિક્ષણ અને ગિજુભાઈ બધેકાના શ્રેષ્ઠતમ વિચારોને વર્તમાન સમય સાથે અનુબંધ કરીને રમકડાં દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. તેઓ બે વર્ષથી જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાના શિક્ષણના નાવિન્યપૂર્ણ પ્રયોગો પ્રદર્શિત કરે છે. રમેશભાઈ બારડ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે અને બેન શિતલબેન ભટ્ટી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે. પોતાના જીવન મૂલ્યો સાથે બાળકોને સમર્પિત કામગીરી માટે રાજ્યકક્ષાનો "અતુલ્ય વારસો" એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકી...
ભાવનગર જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મંત્રી દ્વારા સન્માન કરાયું

ભાવનગર જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મંત્રી દ્વારા સન્માન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં તળાજા માં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ઋષિરાજ ગોહિલ (૧૦૮ પાઈલોટ), કાર્તિક દવે (૧૦૮ EMT), આશિષ સોલંકી એમ.એચ.યુ એક્સલન્સ સર્વિસ, નરેશભાઈ રાઠોડ ( ખીલખીલાટ એક્સલન્સ એવોર્ડ), શંભુસિંહ પ્રવીણસિંહ સરવૈયા (જિલ્લા કમાન્ડન્ટ), પ્રણવકુમાર દેવેન્દ્રભાઈ વ્યાસ (અગ્નિશમન અધિકારી), ચૌહાણ સાગર મનસુખભાઈ (રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ, લાંબીકૂદ), ચીફ ઓફિસર (તળાજા), હિપાભાઈ બાલુભાઈ ભૂંકણ (ખેત ઉપજનું પ્રોસેસિંગ/મૂલ્યવર્ધન), ડો. સંદીપ વર્મા (વેટરનરી ઓફીસર) તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભંડારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલગાજરડા, ડો. બી પી. બોરીચા (કુટુંબ કલ્યાણ શાખા), ડો. સુનીલ પ...
ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો

ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       દુશ્મનોની આંખમાં આંખ મીલાવીને વાત કરનારૂ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાલતું નવું ભારત છે. ત્યારે દરેક દેશવાસી, રાજયવાસી તથા કચ્છવાસી દેશના વિકાસ યજ્ઞમાં સમાજસેવા, પર્યાવરણનું રક્ષણ, વ્યસન અને નાતજાતના ભેદભાવને તિલાંજલી, પ્રાંતવાદને નષ્ટ કરીને રાષ્ટ્રવાદને ઉજાગર કરતી વસુધેવ કુટુમ્બકમની ભાવના સાથેના પવિત્ર વિચારોની આહુતિ આપે તેવી અપીલ ભુજના સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છના પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ કરી હતી.         આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ ૧૧ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૪માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, કચ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ           સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મુન્શી, જામ સાહેબ દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ સહિતના મહાનુભાવો આ પાવન કાર્યમાં જોડાયેલ અને સરદારના સમુદ્ર જળથી લીધેલ મંદિર પુનઃનિર્માણનો સંકલ્પ, 11 મે 1951 એ ગર્ભગૃહનું લોકાર્પણ અને ત્યારબાદ 1 ડીસેમ્બર 1995 એ તત્કાલીન રાષ્ટ્રપતી ડો.શંકરદયાલ શર્માના કર કમલોથી કળશ અનાવરણ વિધિ અને મંદિર લોકાર્પણ સાથે પુર્ણ થયો હતો.           આજરોજ 74’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રોફેસર જે ડી પરમાર ના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડા...

વસંતપંચમી નિમિત્તે સોમનાથ મંદિર પરિસરમાં માતા સરસ્વતીની વંદના કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસંત પંચમીના પાવન પર્વ પર માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવી હતી. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો તેમજ સોમનાથ મંદિરના પૂજારી ગણ દ્વારા માતા સરસ્વતીની આરાધના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને સોમનાથ દર્શને આવેલ દર્શનાર્થિઓ પણ સરસ્વતી પૂજનમાં જોડાયા હતા. વસંત પંચમી નું માહાત્મ્ય:- ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવ પણ જોડાયેલો છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિન હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમી...
ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળાગીર જાંબુરના હીરાબાઈ લોબીનુ કરાયુ સન્માન

ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળાગીર જાંબુરના હીરાબાઈ લોબીનુ કરાયુ સન્માન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા જાંબુરના હીરાબાઈ લોબીને ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં કલેકટર રાજદેવસિંહ ગોહેલ તેમજ અન્ય મહાનેભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં.             હીરાબાઈ લોબીએ જણાવ્યુ હતુ કે, હુ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હતી અને મારો  ઉછેર  દાદીમાએ કર્યો છે. મે મારા જીવનમા બીજાનુ ભલુ થાય તે માટે ઘણા સંઘર્ષો કર્યા છે સારુ કરવાની ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે. આજે સરકારશ્રી દ્વારા મારી પદ્મશ્રી એ...
કોડીનારમાં પ્રજાલક્ષી યોજનાઓનો ટેબ્લોનાં માધ્યમથી નિદર્શન

કોડીનારમાં પ્રજાલક્ષી યોજનાઓનો ટેબ્લોનાં માધ્યમથી નિદર્શન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ સોમનાથ જિલ્લાનાં “પ્રજાસત્તાક પર્વ” ની નગરપાલીકા સ્ટેડીયમ કોડીનારમાં ગરીમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટેબ્લો લોકો માટે માહિતીસભર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.             જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળુ વન ગ્રામ વન સ્ટ્રીટ વાવેતર,જિલ્લા પુરવઠા વિભાગે મોડલ વ્યાજબી ભાવની દુકાન , જિલ્લા ખેતીવાડી વિભાગએ  પ્રાકૃતિક ખેતી,  નાયબ બાગાયત વિભાગએ બાગાયત ખેતી સમૃદ્ધિ ખેતી, આરોગ્ય વિભાગનાં આયુષ્માન ભારત પ્રોગ્રામ ઓફિસર આઈ સી ડી એસએ આઈસી ડી એસ  દ્વારા આપવામા આવતી સેવાઓ, મદદનીશ મત્સ્યોધોગ નિયામક દ્વારા દરિયાઈ સુરક્ષા, નાયબ પશુપાલન વિભાગ દ્વારા ચાફ કટર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચ સ્તંભ યોજના , વાસમો જળ જીવન મિશન નલ સે જલ, આરટીઓ  રોડ સેફ્ટી પ્રોગ્રામ ઓફિસર ૧૦૮ ની સેવાઓની થીમ આધારીત ટેબ્લોની નિદર્શન કરવામા આવ્યુ હતુ.             આ અલગ-અલગ કચેર...