Monday, February 16News That Matters

Gujarat

તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. આ અવસરે રાજ્યના કૃષિ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના માન.પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસર...

ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકો સહિત કુલ ૮૪ વિદેશી મુલાકાતીઓઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જાન્યુ. ૨૦૨૩માં ૫૯૦૫ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૩૦ સ્કુલના ૨૧૩૪ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૫,૫૪૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. મહાનુભાવોની વિગત: ક્રમ નામ સંખ્યા ૧ શ્રી મનિષકુમાર ગુપ્તા, આઈ.પી. &ટી.એ.એફ.એસ.૨૦૦૭,  મિનિસ્ટરી ઓફ કોમ્યુનીકેશન, ન્યુ દિલ્હી ૮ ૨ ઇલેક્શન ઓબર્જવ...

કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG) માન. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને માન.કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા TWGમાં ઉપસ્થિત રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે. મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય બાબત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કચ્છનું રણ વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ ...

એ.ઓ.પી. (એસોસિએશન ઓફ પર્શનસ)નાં પાણી દરના બાકી દર બાબત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસેડેન્સીયલ સોસાયટીઝ, રેસેડેન્સીયલ લો-રાઇઝ ફ્લેટ્સ, રેસેડેન્સીયલ હાઇ-રાઇઝ ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પલેક્સમાં બિલ્ડિંગના હોદ્દેદારો/એઓપી (એસોસિએશન ઓફ પર્શનસ)ની માંગણીના આધારે યુનિટ (મકાન/ફ્લેટ/દુકાન/ઓફિસ)ની સંખ્યાના આધારે વોટર વર્ક્સ શાખા દ્વારા સમ્પ નળ-કનેકશન મંજુર કરી સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પાણી કનેકશનના પાણી ચાર્જનું બીલ સોસાયટી/એઓપીના નામે અલગથી આપવામાં આવતું હોય છે. ઘણા ખરા કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં એવુ આવેલ છે કે આવી સોસાયટીઓમાં હોદ્દેદારો/એઓપીમાં થતાં ફેરફારના કારણે કે અન્ય કારણોસર અલગથી આવતા પાણી ચાર્જની રકમ સમયસર ન ચૂકવાતાં આ રક્મ પર સરકારના નિયમાનુસાર દંડનીય વ્યાજ તેમજ નોટીસ ફી વસુલવા પાત્ર થાય છે તેમજ આ રકમ નિયત સમયમર્યાદામાં ભરપાઇ ન થાય તેવા કિસ્સાઓમાં આખરે ન...

ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે '' સુવર્ણપ્રાશન કેમ્પ '' યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા "સુવર્ણ પ્રાશનનાં ટીપાં" નિઃશુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે. તથા '' કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ :          સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને...

ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપી રહ્યો છે નવજીવન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મશીહાનું કામ કરી રહ્યો છે. પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવાકર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો ૨૨ વર્ષીય વિરલો યુવાન મુકેશ ગઢવી અત્યારસુધી ૨૨થી વધુ માનવીય જીંદગીને યમરાજના હાથમાં થી આબાદ બચાવી લીધી છે તેમ કહેવું જરાપણ ખોટું નથી. પંચરંગી શહેર ગાંધીધામની એક ગેરેજમાં કામ કરીને રોજનું પેટીયું રળતો મુકેશ પોતાના પરીવારના પાલનપોષણની જવાબદારી નિભાવવાની સાથે અકસ્માતમાં ઘાયલ થતાં લોકો મ...

બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. અહીં વાત કરવી છે અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. જે બાદ આ બંને દિકરીઓને ઉડવા માટે ખુ્લ્લું ફલક અને મ...

ભાવનગર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરીના રોજ આશરે ૨૩૮ હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર તા.૦૩/૦૨/૨૦૨૩ના રોજ જિલ્લાના આશરે ૨૩૮ જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પેઇન મોડમાં ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે. ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો કે જેને ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે તેઓની સત્વરે તપાસ કરાવી તાત્કાલીક નિદાન કરવામાં આવે તો આ રોગના કારણે થતી આડઅસરોથી જનમાનસને બચાવી તંદુરસ્ત જીવન આપી શકાય છે. સરકાર દ્રારા ૧૦૦ દિવસના સંકલ્પો નિયત કરવામાં આવેલ છે. જે પૈકી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની ૧૬ યોજનાઓ પરત્વે કામગીરી કરવાની સુચનાઓ છે જે પૈકી કેન્સર, ડાયાબીટીસ, કાર્ડીયોવાસ્કયુલર રોગો અને સ્ટ્રોકના નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ એવા બીનચેપી રોગો કાર્યક્રમના સફળ અમલીકરણ માટે દર શુક્રવારે નિરામય કેમ્પનું આયો...

ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શ્રીજૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરની શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા તા.૨૮ જાન્યુઆરીના રોજ ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરની ૧૨૭ વર્ષ પહેલાં સ્થાપાયેલ, શ્રી જૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી હતી. આ સંસ્થાના ટ્રસ્ટીઓ હસમુખભાઈ શાહ, દિવ્યકાન્તભાઈ, હષૅદભાઈ શાહ, બુદ્ધિવધૅનભાઈ સંઘવી, પરેશભાઇ શાહ, સંજયભાઈ, ભરતભાઇ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શ્રી હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક મદદથી શ્રી જૈન આત્માનંદ ભૂવનમા પુસ્તકાલય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આ પુસ્તકાલયમાં ૩૫૦૦૦ પુસ્તકો છે. ૨૫૦ જેટલા પુસ્તકોનું ભાષાંતર આ સંસ્થાએ કર્યું છે. ૧૮૦૦ જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો ત્રણસો થી ચારસો વર્ષ જુની છે. આ સંસ્થાના પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં પુ. મુનિશ્રી ચતુર વિજયજી મ.સા. પુ. મુનિશ્રી પુણ્ય વિજયજી મ.સા. પુ. મુનિશ્રી જંબુવિજયજી મ....

જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે સૂચિત જંત્રી-૨૦૨૩ ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  બોટાદ જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે સૂચિત જંત્રી-૨૦૨૩ ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે જિલ્લાના સ્ટેકહોલ્ડર્સ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર બીજલ શાહે ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બને તે માટે વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને સરકારે પ્રાથમિકતા આપી છે. સરકાર દ્વારા સમયાંતરે જંત્રી ભાવમાં સુધારા આવતા હોય છે ત્યારે જાહેર જનતા તરફથી થયેલી રજૂઆતોને ધ્યાને લઈ જે જંત્રી ભાવ હાલમા અમલમાં મુકવામાં આવેલ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા નક્કી કરેલ સમય સારણી મુજબ જાન્યુઆરી-૨૦૨૩મા જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી બોટાદ જિલ્લાના બોન રાઈટર, રેવન્યુ પ્રેક્ટીશનર, વેપારી એસોસિયેશન, બિલ્ડર એસોસિયેશન, બાર એસોસિયેશન, જિલ્...