Tuesday, February 17News That Matters

Gujarat

તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કાશીવિશ્વનાથ એપાર્ટમેન્ટ, રૈયાધાર મેઈન રોડ, હરીનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી ૪૮ (અડતાલીસ) પશુઓ, શાસ્ત્રીનગર, ઈન્દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, કીડવાઈનગર, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસીડેન્સી વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓગણપચાસ) પશુઓ, માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, માધાપર ગામ વિગેરે વિસ્તારમાંથી ૪૬ (છેતાલીસ) પશુઓ ૮૦ ફૂટ રીંગ રોડ, સત્યમપાર્ક, સંતકબીર રોડ, જુનો મોરબી રોડ, બાલક હનુમાન પેડક રોડ, મય...

ગીર સોમનાથ માહિતી કચેરીમાં ક્લાર્ક તરીકે પસંદગી પામેલ મયૂરીબહેને બીરદાવી સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પારદર્શક કામગીરી

Gujarat
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય કે અવકાશક્ષેત્ર તમામ મોરચે મહિલાઓ હરણફાળ ભરી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્યારે નોકરીનો ઓર્ડર હાથમાં આવ્યો ત્યારે એ ક્ષણ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હતી...

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારને કરેલી રજુઆતને મળ્યો આવકાર

Gujarat
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોની સતત ચિંતા કરતી રાજય સરકાર હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.૭૦ કરોડની સહાય આપવાની ગઈકાલે જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રીએ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે પરામર્શ કર્યો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લઈને આગામી તા.૯મી માર્ચથી નાફ્રેડ દ્વારા ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રી...

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવા...

જન ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ટાઉનહોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને લઈને જેનેરિક દવાઓ બાબતે લોકોમાં જાગૃતતા વધારવા માટે ૭ માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, જન ઔષધિ દિવસ પૂર્વે વિવિધ કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવ્યા હતા અને લોકોમાં જેનેરિક દવાઓ અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દવાઓની ખરીદી વખતે ફક્ત બ્રાન્ડને જ ધ્યાનમાં ના લેવી જોઈએ, બ્રાન્ડ કરતાં દવામાં રહેલું કન્ટેન્ટ મહત્વનું છે.   વડાપ્રધાનનો ઉલ્લેખ કરીને પ્રમુખએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આરોગ્યક્ષેત્રે ...

સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની છે : ડો. પ્રિન્સી સોની , નખત્રાણા – જન ઔષધી કેન્દ્ર સંચાલક

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ       જન ઓૈષધિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં ૭ માર્ચના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને કચ્છમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. જેમાં નખત્રાણાના ડો. પ્રિન્સી સોનીએ પોતાના તાલુકામાં જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને રેકોર્ડબ્રેક દવાનું વેચાણ કરીને સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. આ ઉપલબ્ધિની બીજી બાજુ એ છે કે, જેનેરીક દવા ખરીદીને લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચાઇ જતી તગડી રકમની પણ બચત કરી શક્યા છે.        બજારમાં મળતી મોંઘીદાટ દવાની સામે જન ઔષધિ કેન્દ્રમાં ૫૦ થી ૯૦ ટકા સુધી સસ્તી દવા અને સર્જીકલ ઉપકર...

ગીર સોમનાથમાં જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ        ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૨/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન, બીજો માળ રૂમ નં.૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમ ની તારીખની જાણ કરવામાં આવશે. સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા મો.૯૪૨૯૦ ૦૦૦૪૦પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે....

જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે થઈ જન ઔષધિ દિવસની ઉજવણી

Gujarat
જન ઔષધિ દિવસ-૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન જન સુધી પહોંચાડવા માટે જન ઔષધિ 'સસ્તી પણ - સારી પણ' એવી થીમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવો સતત પ્રયાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રે લોકોની ચિંતા કરી છે. જેમાનું એક આરોગ્ય પણ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખાતે કોઈ પણ આડઅસર વિનાની જેનરિક દવાઓ સસ્તા ભાવે મળે છે ત્યારે વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ. આ તકે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે સરકારના વ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૮ વર્ષ પુર્ણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ           ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ૮ વર્ષમાં કુલ ૧૮૩૯૫ જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ  અને અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૪૦૪૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. મહિલા હેલ્પલાઇન ૧૮૧ "અભયમ"દ્વારા વર્ષ ૨૦૨૨માં ગીર સોમનાથમાં ૫૫૩થી વધારે પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૩૭૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૧૬૫ જેટલા  કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની ક...