Tuesday, September 8News That Matters

Gujarat

જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૪૩ જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં હાલ “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. મહુવા તાલુકામાં લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, સરકારની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત તા...

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તથા નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયા તાલુકા સ્વાગત કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ             સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં અસારવા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 15 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ તકે તેમની સાથે જમીન સુધારણા કલેકટર વી.કે પટેલ, અસારવા મામલતદાર જે. એસ દેસાઈ તથા મ્યુનિ. કોર્પોરેશનના અને સિટી સર્વે કચેરીના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. નિવાસી અધિક કલેકટર સુધીર પટેલની અધ્યક્ષતામાં સાબરમતી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. સાબરમતી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ આજે નિવાસી અધિક કલેકટર સુધીર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કુલ 23 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યાં હતાં. અને તમામ અરજદારોના પ્રશ્નોનું ત્વરિતપણે સફળતાપૂર્...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા‘’વિશ્ર્વ મેલેરિયા દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર૫ એપ્રિલ ’વિશ્ર્વ મેલેરિયા દિવસ’’ નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોનેમેલેરિયા રોગ, રોગ અટકાયતીઅંગેનાઉપાયો તથા મચ્છર ફેલાવતા મચ્‍છરઉત્‍૫તિઅટકાયતી૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે વોર્ડવાઇઝવિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ. ૧૮ વોર્ડમાંજાહેર પ્રદર્શન:- ૧૮ વોર્ડમાંજાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીનેમચ્‍છર, મચ્‍છરનાપોરાના જીવંત નિદર્શન, ૫ત્રીકા, બેનર અને પોસ્‍ટર દ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૩૧૮લાભાર્થીઓનેમેલેરિયા રોગ વિષયક માહિતી આ૫વામાં આવેલ ·       બજરંગવાડીમે. રોડ, ગુરૂનાનકચાઇનીઝપંજાબીપાસે(વોર્ડ ર)   ·       જંકશન રેલવે સ્ટેશન(વોર્ડ ૩) ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત  કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયમ ભારતીના રાષ્ટ્રપ્રથમના સંકલ્પનો સંગમ છે.              એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાથે યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ તમિલ ભાષામાં સંબોધન કરીને તમિલ બંધઓનું અભિવાદન કર્યું હતું.જેના પગલે સંગમમાં પધારેલા તમિલ બંધુઓએ હર્ષ સાથે વડાપ્રધાનને વધાવ્યા હતા. સોમનાથ ખાતે આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ઉપસ્થિત હજારો સૌરાષ્ટ્રીયન તમિલો-તેમજ સૌરાષ્ટ્રના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વધુમા કહ્યું  કે, મહેમાનનું સ્વાગત કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી વતનમા...

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી,  સિટી બસમાં કુલ ૧,૮૯,૧૦૮ મુસાફરો અને બી.આર.ટી.એસ. બસમાં કુલ ૧,૯૦,૯૫૫ મુસાફરોએ સેવાનો લાભ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૭/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા                       • જનરલ-             • રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૭ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      • સિટી બસ સેવા (RMTS)માં તા.૧૭/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૯,૮૪૨ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૯,૧૦૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.  • સિટી બસમાં થયેલ કામગીરી:-                 • સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગ...

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૨૪/૦૪/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૨૪/૦૪/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના સરદાર હોસ્પીટલ, કોઠારીયા રોડ, નળોદાનગર, વેલનાથપરા, આજીડેમ ચોકી પાસે, રણુંજા મંદીર પાસે, કોઠારીયા સોલવન્ટ, ક્લાસીક ઈન્ડસ્ટ્રીઝ એરીયા, માલધારી ફાટક તથા આજુબાજુમાંથી  ૨૯ (ઓગણત્રીસ) પશુઓ શીતળાધાર, માનસરોવર, શીવધારાપાર્ક, જડેશ્વરપાર્ક, વાવડી વિસ્તાર, રસુલપુરા, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, છપ્પનીયા ક્વાર્ટર, ભગવતીપરા, ગંજીવાડા, દુધસાગર હાઉઝીંગ બોર્ડ, સીલ્વર નેસ્ટ સોસાયટી, રણછોડનગર, શિવમ સોસાયટી, માલધારી સોસાયટી, જયજવાન જયકિશાન સોસાયટી, પ્રદ્યુમંપાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૩૨ (બત્રીસ) પશુઓ, ગોપાલ ચોક, અર્ચનાપાર્ક, ગીરીરાજનગર, કીડવાઈનગર, શાસ્ત્રીનગર, બંસીધરપાર્ક, રૈયાગામ, ૫...

ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાક્રિષ્નનને ગાર્ડ ઓફ ઓનર અપાયું

Gujarat
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે ઝારખંડના રાજ્યપાલનું સોમનાથ ખાતે આગમન થયુ હતુ. જયાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલનું જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા તથા અગ્રણી ઝવેરીભાઈએ સ્વાગત કર્યું હતું....

ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાક્રિષ્નને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનો લ્હાવો લઈ મહાપૂજા કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ગીર સોમનાથ            સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ ખાતે પધારેલા ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાક્રિષ્નનએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ શરણમાં વંદન કર્યા હતા તથા સંધ્યા આરતી દર્શન કર્યા હતા. મંદિરમાં રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવના શરણે પૂજા અર્ચના સાથે સતત ઓમકારના જાપ સાથે રાજ્યપાલ શિવમય બન્યા હતા. મંદિર ખાતે રાજ્યપાલનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. મંદિરના પટાંગણમાં તમિલ પરિવારો સાથે બેસી રાજ્યપાલએ સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને શિવ ભક્તિને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિરના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા...

સોમનાથની ભૂમિ પર ભગવાન શિવના તાલબદ્ધ ચિત્ર અને તમિલ તંજાવુર કલા સંસ્કૃતિનું સર્જાયુ સહિયારૂ સમન્વય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          रूप भेदः प्रमाणनि भावलावण्य योजनाम् । सादृश्यं वर्णिकाभंग इति चित्रं षडंगकम्।। આ શ્લોકમાં રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યયોજના, સાદ્રશ્ય અને વર્ણિકાભંગ એમ ચિત્રકળાના છ અંગ વર્ણવવામાં આવ્યા છે. ચિત્રકળાની પરંપરા ખૂબ જ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં આવી છે. ગુજરાતી અને તમિલ સાહિત્યમાં પણ કલાતત્વોનો અનેકરૂપે ઉલ્લેખ છે. ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી અને સાઉથઝોન કલ્ચર સેન્ટર તંજાવુર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથના ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે યોજાયેલ એક્ઝીબિશનમાં ગુજરાતી-તમિલ ચિત્રકારોની કલાની પૂરક જુગલબંધી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તમિલનાડુના કલાકાર એ.કુમારસૈન તંજાવુર કલાના નિષ્ણાંત છે તેઓ પોતાની કલાના માધ્યમથી રાધાકૃષ્ણ, સરસ્વતી, ગણેશ ભગવાન તેમજ શિવના વિવિધ રૂપ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અહીં તેમના ૩૦ કરતા વધુ તંજાવુર શૈલીના ચિત્રો પ્રદર...

મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીઓએ લાગણીભેર આવકાર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકિષ્ણન, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય માહિતીપ્રસારણ, મતસ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી એલ.મુરૂગન તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ હરખભેર આવકાર્યા હતાં. કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન મહેમાનોનું લાલ જાજમ પર ઉમળકાભેર ગુલાબ આપી મંત્રીઓ સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે 'ભારત માતા કી જય' અને 'જય સોમનાથ'ના જયઘોષથી વાતાવરણ ઉર્જાસભર બન્યું હતું. ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે સૌરાષ્ટ્રીયન તમિલોએ વતન સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ આભાર ...