Tuesday, February 17News That Matters

Gujarat

પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે. આ કાર્યક્રમ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, તાલુકા વિક...

પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમીન માર્ગ, રાજકોટ અને (૨) આદિત્ય હાઈટસ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપર...

ટાઉન પ્લાનીંગ શાખા તથા એ.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરેલ:

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના વેસ્ટ, સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/પેશકદમી કરવામાં આવતાં અત્રેથી તા.૧૭/૨/૨૦૨૩ ના રોજ પત્ર પાઠવી સદરહુ ગેરકાયદેસર દબાણ દુર કરી,  જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજ તા.૧૦/૩/૨૦૨૩ના રોજ નીચેની વિગતેના કુલ ૬ સ્થળોએ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરી, રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની કુલ ૨૬૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. જેની અંદાજીત કિંમત રૂ. ૧.૩૦ કરોડ થાય છે. ક્રમ વોર્ડ નં. ગેરકાયદેસર દબાણનું સ્થળ દબાણ ગ્રસ્ત જમીનની વિગત ૧ ૧ એરપો...

સરકારની મદદથી મારા પરિવારને પાકી છત મળતા અમારી તમામ સમસ્યા હલ થઇ ગઇ – હિરજીભાઇ સુમારભાઇ, પાન્ધ્રો- ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         મારો ૮ જણનો પરીવાર વર્ષોથી કાચા મકાનમાં રહેતો હતો. જે અત્યંત જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતા અમને પાકી છત નસીબ થઇ છે. જેનો આનંદ આખા પરીવારમાં છે તેવું પાન્ધ્રોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થી હિરજીભાઇ સુમારભાઇએ જણાવ્યું હતું .         હિરજીભાઇ જણાવે છે કે, મારા પરીવારમાં મારી બિમાર પત્ની સહિત ૫ દિકરી અને એક દિકરો છે. તેના ભરણ-પોષણની જવાબદારી તથા દિકરીઓને પરણાવવાની ચિંતા વચ્ચે પાકું મકાન બનાવવું મારા માટે અશકય હતું. જેના કારણે કાચા મકાનમાં ટાઢ, તાપ અને વરસાદ સહન કરીને પણ અમે રહેતા હતા. પરંતુ સરકારે આવાસ યોજનામાં અમને લાભ આપતા હાલે અમે પાકું મકાન બનાવ્યું છે. જાણે અમારા તમામ સપના સાકાર થયા હોય તેવી અનુભૂતિ થઇ રહી છે.  હવે કોઇપણ ચિંતા વિના હું મારા પરીવારની સારસંભાળમાં મારું ધ...

કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૪૦૦ મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા છે.                સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં કચ્છી એમ્બ્રોઈડરી વર્કથી બનેલી વસ્તુઓના વેચાણ માટે સુરત આવેલા ગોમતીબેન આહિર હસ્તકલાથી શિક્ષિત કે નોકરિયાત વર્ગ કરતા પણ વધુ કમાણી કરે છે.   ...

૧૩મીના કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી

Gujarat
ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.તેવું નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે....

ભાવનગરમાં નાબાર્ડ દ્વારા તા. ૧૧ અને ૧૨ માર્ચના રોજ ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં વિશ્વ મહિલા દિવસ તેમજ હોળીના પાવન પર્વ નિમિત્તે નાબાર્ડ દ્વારા આયોજિત ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ નો તા ૧૧ અને ૧૨ માર્ચ ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાહર મેદાન, રિલાયન્સ મોલની સામે, ભાવનગર ખાતે યોજાશે. ગોહિલવાડ સખી કલા ઉત્સવમાં ખેડૂત ઉત્પાદક, સંગઠનો, સખી મંડળો, ગ્રામ્ય કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાટ ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હસ્તકલા, ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી તેમજ ગૃહ શુંસોભનની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ કલા ઉત્સવમાં પ્રવેશ નિશુલ્ક રહેશે....

ગારિયાધારના શિક્ષકની અનોખી સિદ્ધિ : નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારિયાધારની એમ ડી પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડી.બી.મેર ને નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી એમ એમની પસંદગી થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હમારી ઉડાન આપનો કે લિયે સેવા સંસ્થાન રાજસ્થાન દ્વારા દેશના અલગ અલગ રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરે છે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડામાં દેશના પંદર રાજ્યની વિવિધ પ્રતિભાવંત વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકાની એમ ડી પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક અને એન એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ ઓફિસર ડી.બી.મેર ને સન્માનિત કરવામાં આવેલ હતા. તેઓ છેલ્લા બાર વર્ષથી શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામ સફાઇ, શેરી સફાઈ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ,કોરોના રસીકરણ કેમ્પ, સજીવ ખેત પધ્ધતિ, ...

ફેબ્રુઆરી – ૨૦૨૩ માસમાં ૬૯ વિદેશી અને ૧૭ સ્કુલના ૯૮૧ બાળકો સહીત કુલ ૩૭૨૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

Gujarat
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ આપેલ માહિતી હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ              ફેબ્રુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને યુરોપિયન કન્ટ્રીનાં સ્કુલના બાળકો સહિત કુલ ૬૯ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩૭૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૯૮૧ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૯,૨૭૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. ઉપરાંત ફેબ્રુઆરી૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધ...

રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. હોળી-ધુળેટીનાં તહેવાર દરમિયાન કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓએ રાજકોટ પ્રાણીઉદ્યાનની મુલાકાત કરી હતી તેમ, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમીટીના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં...