Tuesday, February 17News That Matters

Gujarat

ગીર-સોમનાથમાં સભા સરઘસ બંધી અંગે બહાર પડાયું જાહેરનામુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય નાના સરખા બનાવથી અફવાઓના કારણે  ઘર્ષણ થવા સંભાવના રહે છે તેમજ વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય લોકો ટોળાના રૂપમાં એકઠા ન થાય તે  તેમજ અફવાઓના કારણે લોકો એકઠા થવાના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી  રાખવી ખુબ જ આવશ્યક છે તેથી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવી છે. આ મનાઈ હુકમ  જેઓ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય ત...

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા. ૨૩.૦૩.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા.૨૩.૦૩.૨૦૨૩ના સમયગાળા દરમિયાન ગીર  સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચ...

નેચરલ ગેસ પર તૈયાર થશે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.   આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છ...

તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે ૨૧ માર્ચના યોજાશે આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ         નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધીકારી, ગીર સોમનાથ દ્રારા તા.૨૧/૦૩/૨૦૨૩ના  લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૩.૦૦ સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયુષ મેળામાં જુદા-જુદા ૧૪ જેટલા આયુર્વેદ- હોમીયોપેથી નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગોનુ વિનામુલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ ગેસ- અપચો- કબજીયાત, સાંધા-કમર-ગોઠણના દુખાવા, સ્ત્રીઓમાં માસિકની તકલીફ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફ સ્ટાઇલ જન્ય રોગો, શીળસ, ખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગો વગેરેનું સચોટ નિદાન તથા વિના મુલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત આયુર્વેદ ડોકટર દ્રારા જે-તે વ્યકિતની પ્રકૃતી(વાત-પિત્ત-કફ)ની તપાસ કરી આપવામાં આવશે. ઉપરાંત નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગાસન, પ્રાણાયમ અંગેનુ માર્ગદર્શન તેમજ  રસોડાની ઔષધીઓ દ્રારા ઘરગથ્થુ ઉપચાર અં...

માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકો જોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩,તા.૦૧/૦૪/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૪.૬ ટકા અને શહેરી વિસ્તારમાં ૪૮.૨ ટકા કુંટુંબોને આવરી લઈને આ કાયદા હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને ગુજરાત સરકાર ધ્વારા આ અગાઉ જે "કુટુંબના કોઈ પણ એક સભ્યની માસિક આવક રૂ.૧૦૦૦૦/–( અંકે રૂપિયા દશ હજાર પુરા )" સુધીની હતી. જે આવક મર્યાદા વધારીને રૂ.૧પ૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર ) અને વાર્ષિક રૂ.૧.૮૦ લાખ (અંકે રૂપિયા એક લાખ એસી હજાર ) સુધી ( ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર) જ વધારવામાં આવેલ છે. તેમજ ત્રણ પૈડા વાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટો રિક્ષા/ છકડો/મીની ટેમ્પો)વાહન ચાલકો જો માસિક રૂપિયા ૧૫૦૦૦/–( અંકે રૂપિયા પંદર હજાર ) કરતાં ઓછી આવક ધરા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય ...

આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની આધાર નોંધણીની કામગીરી ચૂંટણી શાખા હસ્તક કરવામાં આવે છે. આધાર કેન્દ્રો ખાતે આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ મીટિંગ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ નીચે મુજબની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આધાર નોંધણીની કામગીરીનો અનુભવ ધરાવનાર તથા નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ તા૨૪/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મીટીંગ હોલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન કચેરી, ડૉ.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.           આ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોન...

વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૦-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડનાં ડેપ્યુટી એન્જીનીયર એન. એ. મકવાણા, મદદનીશ ઇજન...

બાગાયતી પાકોમાં રોગ- જીવાતના ઉપદ્રવ ને ડામવા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સુચવ્યા પગલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          કચ્છ જિલ્લાના નખત્રાણા તેમજ માંડવી તાલુકાના ખેડૂતો તરફથી ચાલુ વર્ષે બાગાયતી પાકોમાં વેજીટેટીવ, ફ્લાવરીંગ તથા ફળ સેટીંગ જેવી અવસ્થામાં થ્રીપ્સ, માલફોરમેશન, ભૂકીછારો, મધિયો, સ્ટેમ બોરર જેવા રોગ-જીવાતના ઉપદ્રવના કારણે પાક નિષ્ફળ થયેલ હોતા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા બાબતની રજૂઆત કરાતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ અનુંસંધાને વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવી હતી. જેણે સ્થળ મુલાકાત કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માંથી વૈજ્ઞાનિકોની ટીમ બોલાવવામાં આવેલી હતી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ડો. મનીષ પટેલ, સહ પ્રધ્યાપક-બાગાયત વિભાગ, ડો. બી.આર.નાકરાણી, સહ પ્રધ્યાપક-રોગશાસ્ત્ર વિભાગ તથા પ્રકાશભાઈ રબારી, મદદનીશ પ્રધ્યાપક-કીટકશાસ્ત્રે સ્થળ...

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ           કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા તેમજ બંને રાજ્યો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૧૯મી માર્ચના રોજ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા, અનુરાગ ઠાકુર, ડૉ. એલ.મુરુગ્ગન તેમજ ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી  ગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોગો, થીમ સોંગ અને રજીસ્ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ...