Wednesday, February 18News That Matters

Gujarat

હજીરા ઓએનજીસી ખાતે ઓફસાઈટ ઈમરજન્સી સ્થિતિની સતર્કતા અંગે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             સુરતના હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે જિલ્લા ઓફસાઈટ ઈમરજન્સી પ્લાન અંગે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ઓ.એન.જી.સી. હજીરા પ્લાન્ટમાં નેશનલ હાઈવે-૫૩ને અડીને મટિરિયલ ગેટ ખાતે સવારે ૧૧.૪૦ વાગે અચાનક એલપીજી ગેસ ભરેલી ટ્રકમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હતી. જે અંગે તત્કાલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-હજીરાને જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી કોલ મળતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાસ્થળે એક વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આગ પર કાબુ ન મેળવાતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગમાં ઘાયલ થયેલા વધુ બે ઈજાગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ટેન્કરમાં ર...

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળા યોજાયો, ૬૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બનાસકાંઠા            બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ તા. અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી દ્વારા દિપપ્રાગટ્ય તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. મેળામાં અન્ય મહાનુભાવોમા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ મામલતદાર રાવલ, પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ સરકારી કોલેજ આચાર્ય ર્ડા.સોનારા, ડો હંસરાજભાઇ પટેલ, સરપંચ શ્રીમતી સંગીતાબેન શર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.જે.એન.મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામા આવ્યું હતું. સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસર ર્ડા.અલ્પેશ જોષી તથા તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી ૧૮૫ હોમિયો...

નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે, અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુ સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું. દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા પરમવીરસિંહજી પરમાર અને પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા "વસંતના વધામણાં" કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ બે દિવસ દાંતા- અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી એને દેશ અને દુનિયા સમક્ષ મુકવાના પ્રયાસો કરશે. દાંતા- અંબાજી વિસ્તારની અદ્દભૂત ફોટોગેલેરી તૈયાર કરવા માટે ન...

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પાલનપુર ગામડાઓને સુંદર- સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતેથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ જેટલાં ઇ-વ્હીકલની ચાવી એનાયત કરી વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી ૧૨ જેટલાં ઇ-વ્હીકલ્સ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા ૧૬ ઇ-વ્હીકલની ડિલીવરી ટૂંક સમયમાં મળવાની છે. આમ કુલ મળી ૨૮ જેટલાં ઇ-વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવશે. દરેક તાલુકાને બે- બે વ્હીકલ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સૂકા અને લીલા કચરાન અલગ અલગ કલેક્શન માટે પવિત્ર યાત્રાધામ અંબાજી સહિત જિલ્લાના ૨૮ જેટલાં ગામોની પસંદગી કરવામાં આવી છે. ડીસા ત...

તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આજીડેમ, કોઠારીયા, શ્યામનગર, કોઠારીયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રધ્યુમનપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદીર, મારૂતિચોક, શીતળાધાર તથા આજુબાજુમાંથી ૪૦ (ચાલીસ) પશુઓ, કેયુરપાર્ક, સંતકબીર મેઈન રોડ, રામાપીર મંદીર ચોક, દુધસાગર મેઈન રોડ, ગોકુલ આવાસ, ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ, કેસરીપુલ રોડ, બેડીપરા વિગેરે વિસ્તારમાંથી ૧૮ (અઠાર) પશુઓ, મનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે, રોજરી સ્કુલ પાસે, શાસ્ત્રીનગર, દર્શન સોસાયટી, ગોપાલચોક, ભીડભંજન સોસાયટી, સાધુવાસવાણી રોડ, બંસીધરપાર્ક, સ્લમક્વાર્ટર, શીતલપાર્ક વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓ...

બળદગાડામાં ડિલીવરી કરાવી ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર ૧૦૮ ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને E M R I GHS સંચાલિત ૧૦૮ ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા તેમજ વરસાદી વાતાવરણ હોઇ દર્દી શારદાબેન રમેશભાઈ બળદગાડામાં બેસીને સામે આવતા હતા ત્યાં અચાનક પ્રસૂતિની પીડા થતાં ૧૦૮ ના ઈ.એમ.ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ ગોહિલ ચેતનસિંહે સામે સૂચકતા રાખી સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી...

ભાવનગરઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિ નો આરોગ્ય સેવાની જાણકારી અંગે વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિનો આરોગ્ય સેવાની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાયો હતો. ભાવનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચનાથી આરોગ્ય સેવામાં લોકભાગીદારી વધે અને છેવાડાના માનવી સૂધી સારી આરોગ્ય સેવાના સંકલન માટે સર્કિટહાઉસ ભાવનગર ખાતે તા ૨૧ માર્ચના રોજ વર્કશોપ યોજાયો હતો. જેમાં લોક પ્રતિનિધિ તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુભાઈ ફાલકી, અજય ભાઇ, વર્ષાબેન ડાભી, રામજીભાઇ પટેલીયા, મનજીભાઇ મકવાણા, ઝરીનાબેન ઘોઘા, વાલીબેન પરમાર જાગૃતિ બેન, લાડુબેન બાંભણીયા, એસ પી ગલચર, વિષ્ણુભાઈ પાળીયાદ, કિરીટ સિહ ગોહિલ, વિપુલભાઇ વગેરેની ઉપસ્થિતિમાં એપેડેમીક અધિકારી ડો સુનિલભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાન ભાઇ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઝર અનિલ ભાઇ પંડીત, ભારતી બેન ત્રિવેદી,દિપાલી...

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ પર વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં નારી ગામ પાસે સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ કવિતા ના માધ્યમથી લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૧ માર્ચ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ’ ઉજવવામાં આવે છે. ભાવનગર ના યુવાનો માં વૈજ્ઞાનિક અભિગમ ની અભિવ્યક્તિ કવિતાના માધ્યમ થી કરવાના હેતુ થી આરએસસી ભાવનગર દ્વારા STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો ઉપર કવિતા ના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં યુવા કવિઓ એ વિવિધ ભાષા માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી હતી. આ કાર્યક્રમ માં ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિમિતે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ભાવનગર ના વિદ્યાર્થીઓ, સ્વામીનારાયણ મંદિર ના વિદ્યાર્થીઓ, સામ...

શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪ ગામોના ૬૬ માતાઓની તપાસ કરવામાં આવી હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, આર. સી. એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી તથા ટી.એચ.ઓ ડો.કણઝરિયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સણોસરા (તાલુકા શિહોર ) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એચ.સી. સણોસરા નીચે આવતા ૧૪ ગામોના ૬૬ એ. એન. સી. ની તપાસ કરવામાં આવી હતી. આ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.એ.આર.હુનાણી તથા ડો.પ્રકાશ ભટ્ટ દ્વારા તમામની તપાસ કરવામાં આવી હતી. તમામને પૌષ્ટિક નાસ્તો, પોષણ કીટમાં મગ, પ્રોટીન પાવડરના ડબા પણ આપવામાં આવ્યા હતા. જેમાં હાઇરિસ્ક એ. એન. સી. ને જરૂરી આરોગ્યલક્ષી માહિતી ડો.એ. આર. હુનાણી દ્વારા આપવામાં આવી હતી....

તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર  ગીર સોમનાથ આયુર્વેદ શાખા દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઈ વાજાની અધ્યક્ષતામાં લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમા ૫૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત સાથે આયુષમેળા અંગેનું પ્રાયોજન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમજ સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદનું મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નાથાભાઈ વાજાએ આર્યુવેદનુ મહત્વ સમજાવી અને યોગ અને આર્યુવેદ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મહાનુભાવોઓએ ૧૫ સ્ટોલોની મુલાકાત દરમિયાન માર્ગદર્શન અને આર્યુવેદની સમજ આપવામાં આવી હતી અને ધનવંતરી વંદના આયુષ અધીકારી બહેનો દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનુ સંચાલન ડો. ...