Tuesday, September 8News That Matters

Gujarat

ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે – કેન્દ્રીય મંત્રી રૂપાલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ    મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન - ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. સમગ્ર દુનિયામાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે,ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી જ શક્ય બનશે. સમગ્ર ધરતીને ફરીથી ઊર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ પડશે”. આ તકે કેન્દ્રીય મંત્રીએ ગૌ આધારિત પ્રોડક્ટના ઓનલાઈન સેલિંગ માટેના પોર્ટલ જી.સી.સી.આઈ. સ્ટોરનું પણ રિમોટથી વિમોચન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં ઘઉં, ચોખા, મકાઈનું પૂરતું ...

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા              વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણી, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ ટુરિઝમ પ્લેસને વિકસાવવા માટે માલ-સામોટ ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે ઉપસ્થિતિ સંબંધિત અધિકારી, પદાધિકારીઓ મનોમંથન કરીને માલ-સામોટ ખાતે પર્યટનનો વ્યાપ વધારી એકતાનગર ખાતેના મહેમાનોને અ...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો તા.28મે થી પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ખેડતોને વિનામૂલ્યે વિતરણ કરવાનો વૃક્ષારોપણ અંગેનો અત્યંત મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી પ્રોજેકટ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગત વર્ષે ૯૫૦૦૦ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાકીના તાલુકાઓમાં તા.૨5 ૦૫–૨૦૨૩ થી વૃક્ષારોપણ માટેના રોપા વિતરણનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેની શરૂઆત સુત્રાપાડા તાલુકાથી કરવામાં આવનાર છે. કોરોનાકાળમાં સૌએ વૃક્ષોની અગત્યતા સમજી છે, ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં થયેલ વૃક્ષોનું નુકસાન વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની ૧૧ લાખની વસ્તી મુજબ જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડુતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને એ પણ ફળાઉ વૃક્ષો વિના મુલ્યે આપવામાં આવે, ખેડુતને તેનાથી આવક પણ થાય તેવો કલ્...

તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ માટે મનપાના તમામ આધાર કેન્દ્ર ખાતે સેવા બંધ રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ:- (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે કાયમી આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત્ત છે. આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ બંધ રહેશે. યુ.આઈ.ડી.એ.આઈ. મુંબઈ તરફથી તા.૧૫-૦૫-૨૦૨૩નાં ઈ-મેઈલ પત્ર અન્વયે નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેકટર, રાજકોટનાં તા.૨૦-૦૫-૨૦૨૩ રોજના પત્ર  પરત્વે અત્રેની કચેરીનાં આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાનાં ઉક્ત વિગતેનાં ત્રણેય ઝોનલ કચેરી ખાતેનાં આધાર નોંધણી કેન્દ્રો તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ પૂરતાં બંધ રહેશે. ત...

નાબાર્ડ દ્વારા કોડીનારના મિતિયાજ ગામે ઉનની વિવિધ બનાવટ અને તાલિમ અંગે માર્ગદર્શન વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        નાબાર્ડ તેમજ ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડા દ્વારા કોડિનાર તાલુકામાં મિતિયાજ ગામે મહિલાઓને ઉનની વિવિધ બનાવટો અને તેનાથી આર્થિક ઉપાર્જન વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં નાબાર્ડ ડીડીએમ કિરન રાઉતે નાબાર્ડની કામગીરી વિશે તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ વિશે માહિતી આપી હતી. જ્યારે ટ્રેનર પ્રતિભાબહેન ત્રિવેદીએ ઉપસ્થિત તમામ મહિલાઓને ઘરમાં ઉપયોગી તેમજ વેચાણ અર્થે ઉનની વિવિધ બનાવટ જેમ કે, ઉનના સ્વેટર, મોજા, તોરણ વગેરે વિશે પ્રાથમિક માહિતી આપી હતી તેમજ વિવિધ બનાવટો તૈયાર કરવાની પ્રક્રિયાથી લઈ માર્કેટમાં વેંચાણ સુધીની સમજ આપી હતી. નોંધનીય છે કે આ તાલિમ વર્કશોપ ૯ જૂન સુધી ચાલશે. જેમાં મહિલાઓને ઉનની વિવિધ બનાવટો શીખવવામાં આવશે અને માર્કેટમાં વેંચાણ કઈ રીતે કરવા સુધીની તમામ સમજણ પણ આપવામાં આવશે. આ તકે RSETI ડિરેક્ટર પી.એલ.ગોહેલ, ઉદય એજ્યુ...

બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના બાગાયતદારોને ઈનપૂટ કિટ્સ મેળવવા અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણ માટે ઈનપૂટ કિટ્સ આપવાની યોજના મંજૂર થયેલ છે.             આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના ખેડૂતોને ૦.૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે ઈનપુટ કિટ્સ આપી શકાશે તો આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસુચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલિફોન નંબર- ૦૨૮૭૬૨૪૦૩૩૦ વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે....

ગીર સોમનાથના ખેડુતોએ પીએમ કિસાન યોજનાનો ચૌદમો હપ્તો મેળવવા માટે આધાર સિડિંગ અને ઇ-કેવાસી ફરજીયાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૪ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોઈ તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જેમા લાભાર્થીઓએ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધાર સિડિંગ બાકી હોય તો જે તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટસ બેંકમાં આધાર સિડિંગ વાળું ખાતા ખોલાવી શકે છે અને સાથો સાથ ઇ-કે.વા.સી. પણ કરાવી શકે છે. જે માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિ...

વેરાવળની સટ્ટાબજારમાં નવનિયુક્ત ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          વેરાવળ પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રોબેશનરી ચીફ ઓફીસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા શહેરની સફાઈને વધુ સુદ્રઢ બનાવવા અગાઉ તા.૧૧/૦૫/૨૩ના રોજ શહેરના વિવિધ વેપારી આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરેલ અને શહેરની સફાઈ વ્યવસ્થામાં નગરપાલિકાના સફાઈ કર્મચારી ઉપરાંત નગરજનોનો પણ સહકાર હોવો જોઈએ એ બાબત ઉપર ભાર મૂકી શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ કરી સહકાર આપવા અન્યથા નાછૂટકે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ. જે અન્વયે તા.૨૩/૦૫/૨૩ના રોજ દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકીંગ કરી શહેરની મુખ્ય બજાર એવા સટ્ટા બજાર વિસ્તારમાં મુલાકાત લઈ જાહેરમાં કચરો કરનાર વેપારીઓ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ અને દુકાનમાં ડસ્ટબીન ના હોવા બાબતે દંડનીય કાર્યવાહી કરી રૂ. ૬૪૦૦/- નો દંડ વસૂલ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં...

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા પ્રાણી શાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંકે ચાંડપા સંજના(૯૩%), દ્વિતીય ક્રમાંકે દેવળીયા આરતી (૯૨%) અને મેઘનાથી ઝંખના (૯૨%) અને તૃતીય...

કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વાપી               ૧૩૦ મહિલાઓને IEC કીટનું વિતરણ કરાયું કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત તા.૨૨ મેના રોજ વાપીના મોરાઈ ખાતે Welspun INDIA PVT. LTD. કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વલસાડ - સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ગીરીબાળાબેન દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને મહિલાઓને થતી જાતીય સતામણીની ફરિયાદ ક્યાં કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે "સખી" વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વલસાડ એડવોકેટ શોભનાબેન દાસ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વલસાડ મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઇ દ્વારા સંબંધિત કાયદાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી અંગે વિગતવાર માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ...