Tuesday, September 8News That Matters

Gujarat

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’આ કહેવત અને 'જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય' આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ ૧૦ પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની ચૂક્યા છે. આ ઉપરાંત પશુપાલનમાં પણ માહેર છે. આમ, સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક ખેતી તેમજ ગીર ગાયના દૂધ અને તેની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૩૪ થી ૩૫ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથ...
હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ

હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે; જેને ઓછો કરી પર્યાવરણનું જતન કરવા માટે સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાવવામાં આવે છે. સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત થઈ શકે છે. આ યોજન...
સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે....

ગીર સોમનાથમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે ૦૩મી જુનના કોમન યોગાસન પ્રોટોકલ તાલીમ, યોગ અને જાગરણ રેલી યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો યોગ્ય પ્રચાર –પ્રસાર થાય અને યોગ અંગેની લોકોમાં જાગૃતિ આવે તે માટે યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન ૦૩મી જુનના રોજ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે યોજવામાં આવશે....

 કોડીનારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અને આતંકવાદી ઘટનાઓને અટકાવવા હોટલ/ગેસ્ટહાઉસોના માલિકોએ હોટલમાં રહેતા પર્યટકો પાસેથી આધાર-પુરાવા તેમજ વાહન વગેરેની માહિતીની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના તેમજ એસઓજીના ઈ.પોલીસ ઈન્સ.શ્રી વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોડીનારના ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.             જેમાં કાજીશેરી કોડીનારના રહેવાસી બહેરૂની આસિફભાઈ અબ્દુલગફારભાઈ જે અંજલી ગેસ્ટ હાઉસનું સંચાલન કરે છે તેમણે ગેસ્ટહાઉસમાં રહેવા આવતા પર્યટકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવ...

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ દિવસમાં કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલીયોની રસી પીવડાવી સુરક્ષિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન અંતર્ગત  પોલિયો રાઉન્ડના કુલ ત્રણ દિવસમાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન બરૂઆના જણાવ્યાનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ૨૮,૨૯ અને ૩૦ મે એમ ત્રણ દિવસમાં તમામ તાલુકાના વિવિધ ગામોના પેટા કેન્દ્રો પર કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પોલિયો નાબૂદી ઝૂંબેશ અંતર્ગત સિવિલ હોસ્પિટલ વેરાવળ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડિનાર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલાલા, પેટા આરોગ્ય કેન્દ્ર જોબ, પેટા આરોગ્ય કેન્દ્ર ડાભોર, UHC હરસિદ્ધિ વેરાવળ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, તાલાળા અને ગીરગઢડા તાલુકા હેઠળના વિવિધ ગામોમાં તા. ૨૮,૨૯ તથા તા.૩૦એ બાળકોને પોલિયો રસી આપવામાં આવી હતી. આ રીતે બાળકોને શિશુ લકવાથી સુરક્ષિત કરીને આરોગ્ય વિભાગે રાજ્...

ગીર સોમનાથ જિલ્લામાં તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાન પર સઘન ચેકિંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને એપિડેમિક મેડિકલ ઓફિસરની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વેરાવળ તાલુકામાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં નિયમનો ભંગ કરતા હોય એવા દુકાનદારો પાસેથી કુલ ૨૭ કેસ કરી અને ૫૧૨૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. નોંધનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતા વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો છે તેમજ દુકાનદારોએ દુકાન પર ૬૦X૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજિયાત હોય છે. જોકે, જિલ્લામાં ઘણી દુકાનોમાં બોર્ડ લગાવેલ ન હોવાના કારણે સઘન તપાસ કરી નિયમોનું જ્યાં પણ ઉલ્લંઘન થતું હોય ત્યાં તેમજ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી કુલ ૨૭ કેસ કરી અને ૫૧૨૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. ટોબેકો કંટ્રોલ...

ગીર સોમનાથ બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં કરેલી અરજીના સાધનીક કાગળો ૭ દિવસમાં જમા કરાવવાના રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને જણાવવાનું કે, બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ - ખેડુત પોર્ટલ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું તો જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલ છે તેઓએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની ઓફીસ વેરાવળ ખાતે  જમા કરાવવાના રહેશે. જેમા તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે દિન-૭ માં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬- ૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે.તેમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે....

ગીર સોમનાથ કલેકટર એચ કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની યોજાઇ બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           ગીર સોમનાથ કલેકટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ  હોલ કલેક્ટરશ્રીની કચેરી  ઈણાજ ખાતે "બેટી બચાવો બેટી પઢાવો" જિલ્લા કક્ષાની ટાસ્ક  ફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી           જેમા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી ડી ભાંભીએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે સૌને માહિતગાર કરીને અને તેઓએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્ફ ફોર્સ કમિટીના સભ્યો સમક્ષ કામગીરી વિશેની માહિતી આપી હતી.તેમજ કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં મહિલાલક્ષી યોજનાઓનો છેવાડાની મહીલાઓ વધુમાં વધુ લાભલે તે માટે મહીલાઓને માહીતગાર કરવી અને જિલ્લામાં દીકરીઓનું પ્રમાણ વધે તે માટે  પીસી પીએનડીટી એકટ અંતર્ગત સઘન ચેકિંગ અને વિઝીટ કરવા જણાવ્યુ હતુ. તદુપરાંત કલેક્ટરએ વધુમાં જણાવતા કહ્યુ હતુ કે દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવી તેમજ  શિક્ષણ માટે દૂર જવું ન ...