મધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય: આ.કૃ.યુ. કુલપતિ ડૉ કે. બી. કથીરિયા
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ
રાજ્યના બાગાયત વિભાગ,આ.કૃ.યુ. પ્રસાર શિક્ષણ ભવન તથા KVIC ના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સીટીની બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડીટોરીયમ હોલ ખાતે મધમાખી પાલન સાથે સંકળાયેલ મધપાલકો માટે "મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય" વિષયક રાજ્યકક્ષાનો પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ કે બી કથીરિયાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં અધ્યક્ષપદેથી કુલપતી ડૉ કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬માં સ્વીટ રીવોલ્યુશન શરૂઆત કરવામાં આવી તેના અનુંસંધાને મધમાખી પાલન થકી મધ ઉત્પાદન માટેનો નવો વ્યવસાય ઉદભવ્યો છે.મધ ઉત્પાદન મિશન મોડ પર શરૂઆત કરવામાં આવી છે.જેમાં ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો એ છે કે પરાગનયનને કારણે ખેત ઉત્પાદન પણ વધારે આવે છે,તેમ કુલપતિએ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે મધની...

