Monday, February 16News That Matters

Author: Admin Admin

માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ

માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાથે રોજિંદી કામગીરીમા ઉદભવતા નાના મોટા પ્રશ્નોના સાનુકૂળ નિરાકરણ અર્થે સતત પ્રયત્નશીલ, એવા માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક, તાજેતરમા ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ ગઈ. 'વિવાદ નહિ, સંવાદ' ના સૂત્રને સાર્થક કરતા આ કર્મચારી મંડળ દ્વારા ભૂતકાળમા પણ, કર્મચારી અને અધિકારીઓને એક મંચ પ્રદાન કરી, પરસ્પર સંવાદના માધ્યમથી ઉદ્દભવતી સમસ્યાઓ કે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાના સ્તુત્ય પ્રયાસો કરાયા હતા. જે શૃંખલાને આગળ ધપાવતા આ વખતે દક્ષિણ ગુજરાત ઝોનના કર્મચારીઓ અને રાજ્ય સ્તરના કારોબારી મંડળના હોદ્દેદારોએ એકઠા થઇ, પરસ્પર વિશ્વાસ અને પારિવારિક ભાવના સાથે, ફરજની સાથે ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે સામુહિક ચિંતન કર્યું હતુ. મંડળના પ્રમુખ કિરીટ બેંકરે સૌને દોરવણી આપતા માહિતી ખાતાની...
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી દમણ જવા રવાના થયા હતા.
વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , જૂનાગઢ               ઇકોઝોનની વિરુદ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા ઇકોઝોન માટે હું અને સમગ્ર આમ આદમી માથું આપવા તૈયાર છે :- ઈસુદાન ગઢવી ઇકોઝોન અને ખેડૂતોની અન્ય સમસ્યાઓનો એક માત્ર રામબાણ ઇલાજ ચૂંટણી છે અને વિસાવદરની ચૂંટણી ભાજપના નેતાઓએ જ ર...
મ્યુઝિયમ માં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા

મ્યુઝિયમ માં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય પોર્ટ્સ-શિપિંગ-વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શ્રમ-રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થઈ રહેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ 'નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ' (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. ગુજરાતની સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વડાપ્રધાનના 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયમંત્રને સાકાર કરતા NMHCનો તબક્કો 1A હાલ નિર્માણાધીન છે, જે હેઠળ તૈયાર થનાર મ્યુઝિયમમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીઓમાં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે....
વઘઈ તાલુકાના ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

વઘઈ તાલુકાના ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયુ છે. તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ વઘઈ તાલુકાના કાકરદા ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ, 'સાકરપાતળ જુથ પાણી પુરવઠા' યોજનાની મુલાકાત લીધી હતી. આ જુથ યોજનાઓની નજીકના ૨૫ ગામોની તરસ છિપાવાશે. 'સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના' મારફતે પાણીની જરૂરિયાત વાળા સૂર્યા બરડા, મોટા બરડા જેવા પહાડી વિસ્તારના ગામો સુધી પાણી પહોંચાડવામાં આવનાર છે.             હાલ આ યોજના પ્રાથમિક ધોરણે કાર્યરત કરવામા આવી છે. જેમા રોજેરોજ નવા ગામડાઓનો સમાવિષ્ટ કરી પાણી પહોંચાડવામા આવી રહ્યું છે. મં...
ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક :

ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક :

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની પાણીની સમસ્યા બાબતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમા ડાંગ જિલ્લાની સ્થાનિક ગ્રામ પંચાયતોમા ચાલી રહેલ મીની પાઇપ લાઇન યોજના ઉપરાંત, ગ્રામજનોની પાણીની સમસ્યા અંગેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી સંદર્ભે ગ્રામ્ય લેવલે, તાલુકા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમા, પણ પાણીની સમસ્યા બાબતે સમીક્ષા હાથ ધરવા અંગે મંત્રીશ્રીએ ચર્ચા કરી હતી.           મંત્રીએ કુવાઓમા વિજ જોડાણ, વાસ્મો યોજનાની મંજુરી બાદ તેની પ્રગત અંગે સમિક્ષા, સાથે જ નવા ડેમો અને વિયરની કામગીરી, તેમજ જિલ્લામાં ચાલી રહેલ પાણી પુરવઠા જૂથ યોજનાઓનુ કાર્...
કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ ગઇકાલે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો

કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ ગઇકાલે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત               રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં પણ મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા આ કાર્યક્રમ રદ કર્યો હતો અને સવારે તેમણે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ અને વર્ગખંડમાં જઇને બાળકો સાથે સંવાદ કર્યો હતો. વર્ષ 1990ના દાયકામાં દેશમાં આર્થિક સુધારામાં મહત્વનું યોગદાન આપનાર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને મંત્રી વિદ્યાર્થી અને સ્ટાફ સહિત લોકોએ બે મિનિટ મૌન પાળીને દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી હતી.  ...
સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ: મેટ્રો સ્ટેશનના કામગીરીવાળા માર્ગ અંતર્ગત સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, લાભેશ્વર ચોકી અને કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના રૂટ પર એક વર્ષ માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ    ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ તા.૦૧ જાન્યુ.થી તા.૩૧ ડિસે.- ૨૦૨૫ સુધી કરી શકાશે...
જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન

જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત          સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીની ઉપસ્થિતિમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી, જેમાં પાલની બ્લોક નં. ૩૨૬ વાળી જમીનને લાગુ પડતી ટી.પી.સ્કીમ નં.૧૪ (પાલ), એફ.પી.નં. ૭૫, ક્ષે.૩૩૧૧ ચો.મી. જમીન પૈકી ક્ષે.૧૮૧૧ ચો.મી. વાળી ખુલ્લી જમીન યુએલસી કાયદા હેઠળ ફાજલ જાહેર થયેલી જમીન થયેલા દબાણો હટાવી અંદાજિત રૂ. ૪ કરોડની ૧૮૧૧ ચો.મી.ની સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.           આસપાસ ચાલતા બાંધકામોના શ્રમિકો દ્વારા પતરાના શેડ સહિતની વસાહતના દબાણો દૂર...
હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ નરેશભાઈ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, મહિપતસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, નકુમભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા....