Monday, February 16News That Matters

Author: Admin Admin

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા “સ્પર્શ” રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન ૩૦ જાન્યુઆરી (રક્તપિત્ત નિર્મુલન દિવસ) નિમિત્તે "સ્પર્શ" રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેશના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, રક્તપિત્તથી પીડીત દર્દીને ચામડી પર ચાઠું જોઈને લોકો તેમનાંથી દૂર રહે છે. રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે આ રેલીના માધ્યમથી રક્તપિત્ત ...

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાના એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેમિનારના મુખ્ય વક્તા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના સમાજશાસ્ત્ર વિભાગના આસિ.પ્રોફેસર ડો. મૌસમ ત્રિવેદી દ્વારા જેન્ડરની વિભાવના સાથે તેમણે વિવિધ પરિસ્થિતિઓમાં થતી સામાજિક અસમાનતાની વાતો સાથે વિદ્યાર્થીઓને ગાંધીયુગની મહિલાઓની રાષ્ટ્રીય ચળવળમાં ભાગીદારી તેમજ વર્તમાન સ્થિતિમાં મહિલાઓને સ્થાનનો ખ્યાલ સમજાવ્યો હતો. કૌટુંબિકજીવન સાથે જોડાયેલી મહિલાઓની દાયિત્વની વાત સાથે મહિલાઓ માટે priceless , thankless , endless આ ત્રણ મહિલાઓના કામને વે...

ઓર્ગન ડોનેશન સંશોધન ક્ષેત્રમાં સુરતના સંશોધકોએ પ્રેરક અને જ્ઞાનવર્ધક રિસર્ચ પેપર રજૂ કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ: ઇન્ટરડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ્સ ઓન એજ્યુકેશનલ એન્ડ ટેકનોલોજી ૫.૦ (SFIPT) પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ક્ષેત્રોના સંશોધનપત્ર રજૂ થયા હતા, જેમાં ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. કિરણ દોમડિયાએ એક ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જેને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર વિષય પર ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડો.વિપુલ શાસ્ત્રી અને રજિસ્ટ્રાર ડો.વિનિલ પારેખના હસ્તે મળ્યું છે. ‘યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ’ વિષય પરનું આ સંશોધન સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર કરાયું હતુ. જેમાં અંગદાન વિશે વધુ સમજણ અને સામાજિક જાગૃતિ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા....

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ ગાતારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે, બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી યુ.વી.પટેલ, મામલતદાર આહવા સહિત મહેસુલી કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. તો ડાંગ જિલ્લા પંચાયત ખાતે પણ વિવિધ શાખા અધિકારીઓ/પદાધિકારીઓ અને પંચાયતકર્મીઓ, ઉપરાંત સુબિર અને વઘઇ મથકે તાલુકા સેવા સદન ખાતે મામલતદારઓ સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ૧૧ વાગ્યે, સાયરનના ધ્વનિ સાથે બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ જિલ્લા અ...

પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ૧૨ ગામોને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરાયા, દરેક બાળકીના સુકન્યા સમૃધ્ધિના ખાતા ખોલાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલી ૩૨૫ પોસ્ટ ઓફીસમાં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ડાક ચોપાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૯ જાન્યુઆરી થી તા. ૨૫ જાન્યુઆરી દરમિયાન ડોર ટુ ડોર કેમ્પેન અને ગામે ગામ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ ઓફીસની વિવિધ યોજનાની જાણકારી જેવી કે, સેવિંગ્સ બેંક, રીકરીંગ ખાતા/મહિલા સન્માન ખાતા/ સુકન્યા સમૃદ્ધી યોજના ખાતા તથા પોસ્ટલ જીવન વીમા વગેરેની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોચાડવામાં આવી હતી. આ કેમ્પેન દરમિયાન કુલ ૬૬૮૧ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. જેમાં ૩૨૯ સુકન્યા સમૃદ્ધી યોજના અને ૧૩૭ મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ અને ૨૬ - માય સ્ટેમ્પ ટપાલ ટીકીટ અને ગ્રામીણ ટપાલ વીમાની ૭૮૮ પોલીસી અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યુરન્સની ૧૦૨૦ વીમા પોલીસી વહેંચવામાં આવી હતી. ...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે દિવ્ય શાકોત્સવ ઉજવાયો

Gujarat
હિન્દ ટીવી  - ગુજરાતી, સોમનાથ                   શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથના આંગણે સંસ્થાના સંસ્થાપક શા.સ્વા. ભક્તિપ્રકાશદાસજીનાં સાનિધ્યમાં શાકોત્સવનુ ભવ્ય આયોજન કરાયું હતું.  જેમા હરિભક્તોના પ્રસાદ માટે ૧૦૦ કિલો બાજરા લોટના રોટલા,૨૦૦ કિલો રીગંણનું શાક અને એ શાક બનાવવા માટે ૬૦ કિલો ઘી અને ૯૦ કિલ્લો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬૦ કિલ્લો ખીચડી અને ૬૦૦ લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોએ લીધો હતો. આ સમગ્ર રસોડા વ્યવસ્થા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવેલ આ શાકોત્સવની વ્યવસ્થા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો તમામ સ્ટાફગણ સ્વયં સેવકો છેલ્લા ત્રણ દિવસથી સેવા આપી રહ્યા હતા.                  આ પ્રસંગે સત્સંગ સભાના વક્તા તરીકે શા.સ્વા. ભક્તિકિશોરદાસજી (જુનાગઢવાળા) રહ્યા હતા. તેમજ આ પ્રસંગે શા. સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (લાડવી ગુરુકુળ) શા.સ્વા. ગોવિંદપ્રસાદદાસજી (વાઘોડિયા ગુરુકુળ...
જિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર

જિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ બહેનો અને તા.૩૦/૦૧/૨૦૨૫ના અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ ભાઈઓની સ્પર્ધા સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે થવાનું હતું. જોકે, સંજોગોવશાત્ ટેકવૉન્ડો સ્પર્ધા અં-૧૪,અં-૧૭, ઓપનવયજૂથ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા હવે પછી તા.૦૭/૦૨/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ટેકવૉન્ડો (અં-૧૪,અં-૧૭,ઓપન વયજૂથ) ભાઈઓ/બહેનો માટે સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે સ્પર્ધાનું યોજાશે....

વેરાવળની સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વેરાવળ ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મતદારોને પ્રોત્સાહિત કરવા, નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈ પણ પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે પ્રતિજ્ઞા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે. વધુમાં ચૂંટણીપંચ દ્વારા તા.૨૫ જાન્યુઆરીના રોજ ૧૫માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ"ની "મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ" ની થીમ આધારીત ઉજવણી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવી હતી. જેમાં હાઉસ ટૂ હાઉસ તેમજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરેલી કામગીરીના સંદર્ભમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે વયોવૃધ્ધ મતદારો, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ કેમ્...
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી સબંધિત સરઘસ, રેલી કે સમૂહ કાર્યક્રમમાં દસ કરતા વધુ વાહનો હંકારવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી સબંધિત સરઘસ, રેલી કે સમૂહ કાર્યક્રમમાં દસ કરતા વધુ વાહનો હંકારવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી અનુસંધાને જામનગર જિલ્લાના સબંધિત મતદાર વિભાગમાં ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ભારતના ચૂંટણીપંચના પત્ર અનુસાર ચૂંટણી સબંધી સમુહ કે કાફલામાં કે રેલી/સરઘસમાં કોઈપણ સંજોગોમાં દ્વિચક્રી વાહનો...
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોએ કાર્યક્રમોની સીડી રજુ કરવા અંગે જાહેરનામું 

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોએ કાર્યક્રમોની સીડી રજુ કરવા અંગે જાહેરનામું 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્ક, સિનેમાગૃહો વગેરેથી કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરીકો તરફથી આચાર સંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી રહે છે. આવી ફરીયાદોમાં તથ્ય છે કે કેમ? તે ચકાસી શકાય તથા જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ તે ચકાસી જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સબંધિતો સામે યોગ્ય પગલા લઈ શકાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ...