Monday, February 16News That Matters

Author: Admin Admin

જામનગરમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025

Health
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર              મીલેટ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, રાગી, કાગ, ફટકી, સામો, -વગેરેના મહત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતતા આવે તે હેતુસર મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ- ૨૦૨૫નું આયોજન જામનગર શહેરમાં તારીખ ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ બે દિવસ સુધી સવારે ૯:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી કરવામાં આવશે. મહાનગર પાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેંટ પાર્ક પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિલેટની વાનગીઓ/પ્રોડક્ટનું પ્રદર્શન તેમજ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની પ્રોડક્ટનું પ્રદર્શન, વેચાણ કરવા માટે 90 સ્ટોલ ,૧૫ સ્ટોલ જેમાં મિલેટમાથી બનતી મિલેટ ફ્રેન્કી, મિલેટ-પાણીપુરી, ભેલપૂરી, રાગી સુપ, જુવાર-બાજરા ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઇડલી, બાજરા ખીચડી, રાજગરા સ્વીટ, કીનોવા સલાડ, જુવાર ચાટ, લીટલ મિલેટ બિસ્કીટ, મિલેટ ...

જામનગરમાં શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતે ઝોન કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                 ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર મહાનગરપાલીકા(શહેર) ઝોનકક્ષાની એથ્લેટીક્સ અં.: ૯,૧૧,૧૪,૧૭ અને ઓપન એઇજ ગૃપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયયાન શ્રીસત્યસાંઇ વિદ્યાલય જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં કુલ ૧,૮૩૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરી મુજબ ઇવેન્ટ પ્રમાણે વિજેતા થયેલાં ખેલાડીઓ મહાનગરપાલીકાની શહેર કક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે. અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ખેલાડીઓને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગ...

મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું

Politics
હીંડત્વ - ગુજરાતી, જામનગર                    જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ-૮-જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ-૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.૧૬-૨-૨૦૨૫ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેચવામાં ન આવે તે જોવુ જરૂરી છે. રા...

આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ અને ઉમરેઠ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠકની સામાન્ય ચૂંટણી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી અન્વયે અમલી બનેલ આચારસંહિતામાં કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજકીય /બિનરાજકીય પક્ષોનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અં...

આણંદ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના જરૂરી સાધનિક કાગળો તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અંતર્ગત અરજી કરી પૂર્વ મંજુરી મેળવેલ અરજદાર ખેડૂત મિત્રોએ તેઓને મળેલ પોસ્ટ તથા મોબાઇલમાં મેસેજ દ્વારા મળેલ પૂર્વ મંજુરી અન્વયે સહાય મેળવવાપાત્ર હોય પરંતુ તે બાબતે ખરીદી કે વાવેતર કરી બીલો (સાધનિક કાગળો) સહિતની સહાય દરખાસ્ત રજુ કરવાની બાકી હોય તેવા તમામ અરજદારોએ આગામી તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં નાયબ બાગાયત નિયમકની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ, જૂનું જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદને બિન ચુક રજુ કરાવવા અનુરોધ કરવામાં આવે છે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓની વહીવટી રીતે કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહિ, તેમ નાયબ બાગાયત નિયામક, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે....

આણંદ ખાતે રૂ. ૧૮.૫ કરોડના ખર્ચે નવનિર્મિત ઇપ્કોવાલા ઓડિટોરિયમનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ       આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે , અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, પૂ.ભાઇકાકા જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગુ ઉમેરાયું છે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે. ઓડિટોરિયમ માં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઓડિટોરિયમના નિર્માણમાં યુનિવર્સિટી તેમજ પદાધિકારીઓની મહેનત રંગ લાવી છે. ઓડિટોરિયમનો ઉપયોગ તંદુરસ્ત રીતે કરી આપણી સંસ્કૃતિનું જતન થાય તેવી મંત્રી એ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓડીટોરીયમની બેઠક ક્ષ...

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ             વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ - રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩,૯૦,૭૬૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવ...

ભાવનગરના જવાહર મેદાન ખાતે શનિ અને રવિવારના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર              સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમા વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા સુંદર અને શુભ આશયથી લોક જાગૃતિ માટે ગુજરાત સરકારનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી "મિલેટ મહોત્સવ-૨૦૨૫"નું વિશેષ આયોજન કર્યુ છે. જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડકોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અને સ્વાસ્થ્યનાં અનોખા સંગમની લિજ્જત માણવા માટે મિત્ર-પરિવાર સહ પધારવા ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે. "મિલેટ મહોત્સવ-૨૦૨૫નાં...

ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર             ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે તેમજ કલેકટર કચેરી, ભાવનગર ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કલેકટર કચેરી, ભાવનગર ખાતેના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫ તથા ઇ-મેલ એડ્રેસ : secbav@gmail.com છે.          આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રીઓના ટેલીફોન નંબરો (૧) માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી ફોન નંબર : 079-23252888, 079-23252327, (૨) સચિવશ્રી ફોન નંબર : 079-23252326, 079-23252149, (3) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર : 079-23252146, (૪) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર :...

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામાં ઝળક્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત           ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે કરાટે સ્વરક્ષણ તાલીમ અ[અપાઈ રહી છે, જેના પરિણામે બાળકો સ્વરક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે સુરતના લાડવી ખાતે તા. ૧ અને ૨ ફેબ્રુ. દરમિયાન આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરતા કુલ ૪૩ જેટલા મેડલો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.           આ પૈકી ૨૬ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા, રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એ માટે પ્રોત્સાહિત કરાયા હતા. બાળકોની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કરાટે કોચ વૈભવભાઈ માહલાએ બાળક...