Sunday, February 15News That Matters

Author: Admin Admin

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર              આગામી ફેબ્રુઆરી અને માર્ચ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૧૦/ર/૨૦૨૫ ના વિશ્વકર્મા જયંતી, તા.૧૯/ર/૨૦૨૫ ના છત્રપતિ શિવાજી જયંતી, તા.ર૬/ર/૨૦૨૫ ના મહાશિવરાત્રી તથા તા.૭/૩/ર૦ર૫ ના દુર્ગાષ્ટમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિન...

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર                     ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવા રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ, રીન્યુઅલ માટે આવેલી અરજીઓ, ઓચિંતી તપાસ, આજદિન સુધી કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરએ તાલુકાવાઇઝ સેક્સ રેશિયાની સમીક્ષા કરી જિલ્લામાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર એમ.ટી.પી થતું હોય તો તેમની સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલી કામગીરી અંગે વાકેફ કર્યાં હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિના ચેરમેન સુમીતભાઇ ઠક્કર સહ...

શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જાડા, જામનગરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદારશ્રીની કચેરી ખાતે યોજવામાં આવશે.                    અરજદારોએ આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે...

ડાંગ દરબાર-૨૦૨૫ના આયોજન અંગે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ                ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આયોજનની તારીખ સંદર્ભે આજરોજ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમા, ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના અધ્યક્ષ સ્થાને ડાંગ દરબાર-૨૦૨૫ના આયોજન અંગેની એક બેઠક યોજાઇ હતી. આગામી મહિનાની સંભવિત તા.૮ થી ૧૨ માર્ચ ૨૦૨૫ સુધી, હોળી પહેલા ડાંગ દરબારના મેળાનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.                  ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓનુ સન્માન કરવામા આવે છે. જિલ્લા પંચાયતના સભાખંડમા યોજાયેલ બેઠકમા નાયબ દંડક વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, રાજવી તપતરાવ આનંદરાવ દહ...

જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોવાના કારણે સ્થાનિક વિસ્તારથી માહિતગાર થઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતાં અટકાવવા અને લોકોની માલ-મિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાના ભાગરૂપે જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરિટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર ...

આંબાવાડીમાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ દૂર કરવા માટેની જરૂરી દવા અંગે માર્ગદર્શિકા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં આંબાવાડીમાં હાલ મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવો તેમજ ભુકીછારાના નિયંત્રણ માટે ડિનોકેપ ૪૮% EC @૫૦૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫%SC @૧૦૦૦ મી.લી. અથવા પેન્કોનાઝોલા ૧૦% EC @ ૫૦૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૮૦% WG ૨ કિ.ગ્રા પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ ભલામણો ફ્રુટ સેટ થયા બાદની હોય જો ફ્લાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વધ...

૧૦૮ ઈમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળકની જીંદગી બચાવાઈ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                ‘૧૦૮ સેવા’ કટોકટીની પળોમાં આશીર્વાદ સમાન બને છે. આવો જ એક કિસ્સો કોડિદ્રામાં બન્યો હતો. જ્યાં તાલાલા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવામા આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ અંગે ઇએમટી યોગેશભાઇએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાના કોડિદ્રા ગામે સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુઃખાવો થતા તાલાલા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો. જેથી ફરજ પરના કર્મચારી ઈએમટી અને પાયલોટ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ મહિલાને દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે સ્થળ પર જ ડિલિવરી કર  વાની ફરજ પડી હતી. કટોકટીની પરિસ્થિતિમાં ગર્ભનાળ પણ બાળકના ગળામાં વીંટળાયેલી હતી. જોકે, ૧૦૮ના બાહોશ કર્મચારીઓએ આ જોખમભરી પરિસ્થિતિમાં પણ સરળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.           ૧૦૮ હેડ ઓફિસના ડૉક્...

વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડનગર મુખ્ય સચિવએ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી 'આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમની વિશેષતાઓ વિશે મુખ્ય સચિવએ જાણકારી મેળવી પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવતા મુખ્ય સચિવ...
કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો

કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો

Gujarat
કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા 120 મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ                   જામનગર જિલ્લાનાં કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા લોભામણી જાહેરાતો કરી PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) સ્કીમ હેઠળ મહીલાઓ માટે બ્યુટી પાર્લર અને સિલાઈ જેવા ક્લાસીસો કરાવતા હોવાનું અને આ કોર્સના ક્લાસીસ કર્યા બાદ જે તે કોર્સને અનુલક્ષીને કીટ સાથે મહીલા દીઠ 22,000/- રૂપિયા આપવાની એનકેન પ્રકારે લાલચ આપી સ્કૂલ સંચાલક ઈન્દુબેન ઘનશ્યામભાઈ હીરપરા અને તેના મળતિયાઓ એવાં રશ્મીબેન અજુડિયા, કિરીટભાઈ સાવલિયા નાઓ દ્વારા 120 મહિલાઓને ચાર મહિનાનાં ક્લાસીસ કરાવ્યા બાદ કોર્સ અનુલક્ષીને વાયદા મુજબ કીટ અને રૂપિયા ન આપી સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલકોએ કરોડોનો કૌભાંડ આચાર્યા હોવાનું મહિલાઓ દ્વારા આક્ષેપો...

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                     ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ...