Sunday, February 15News That Matters

Author: Admin Admin

વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા તા. ૧૮/૦૨/૨૦૨૫થી આઈ ખેડૂત પોર્ટલ પુન: ખોલાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ       સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ ૨૦૨૪-૨૫ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તા. ૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી પુન: આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે, નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતોને અરજી કરવા માટે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે. ...

શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) કેટેગરીના ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની વિવિધ રમતો તા.૨૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે

Gujarat
સ્પે.ખેલ મહાકુંભ ૩.૦- બોટાદ જિલ્લો હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ      સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ કચેરી હસ્તક શારીરિક ક્ષતિગ્રસ્ત(OH) ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) કેટેગરીના ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) માટે જિલ્લાકક્ષાની વિવિધ રમતો તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાલુકા સેવા સદન, ૩ જો માળ, બી-વીંગ, ઓફીસ નં.૦૪, પાળીયાદ રોડ, બોટાદ કચેરીનો સંપર્ક કરવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદ દ્વારા જાણ કરવામાં આવે છે....

પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ

Gujarat
હિન્દટીવી - ગુજરાતી, બોટાદ              ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરોથી થકી ભયંકર હાનિકારક અસરોથી ખેતી અને મનુષ્યજીવનને બચાવી શકવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે છે. પ્રાકૃતિક ખેતી પાણી અને જમીનના દૂષણને ઘટાડી ઝેરી અવશેષોને પ્રવેશતા અટકાવે છે. ધરતીપુત્રો શરૂઆતમાં જ્યારે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશે તો કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ આવશે. પરંતુ ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કૃષિ તરફ કરેલા તમારા પ્રયત્નોની કાયમી અસર પડશે. તેથી તમારી પ્રતિબદ્ધતા દ્વારા ઉજ્જવળ, વધુ ટકાઉ ભવિષ્યની ખેતી કરી રહ્યાં છો તેવો વિશ્વાસ અવશ્ય રાખશો. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ શ્રેણી અંતર્ગત ચોથા માહિતીસભર લેખમાં આપણે જાણીશું લીમડાના મલમ વિશે.  ફળઝાડના થડ ઉપર છાલ ફાટી જાય છે, તેની ઉપર તિરાડો પડે છે આ તિરાડોમાંથી બીમારી પેદા કરવાવાળા જંતુ અથવા ફૂગ...

મગ, ચોળા, ગુવાર સહિતના કઠોળના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ      બોટાદ જિલ્લાના ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયા છે.જે મુજબ રોગ નિયંત્રણ માટે આટલી તકેદારી રાખવી.    ભૂકી છારો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગની શરૂઆત થયેથી ૩૦ ગામ દ્રાવ્ય ગંધક/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૧૫ ગ્રામ થાયોફેનેટ મિથાઇલ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો. મગ, અડદ, તુવેર, ગુવારના પાકમાં પાનનાં ટપકાંનો રોગ અથવા કાલવણ રોગની શરૂઆત થયેથી ૧૦ મિ.લિ. હેકસાકોનાઝોલ/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/૨૫ ગ્રામ મેન્કોઝેબ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો. પીળો પચરંગીયો મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદ માખી કે મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક...

બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારોનું તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સંમેલન યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ        બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારોનું તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલન સ્વામી નારાયણ ગૂરૂકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે.     બોટાદ જિલ્લામાં રજીસ્ટર થયેલા દરેક પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારજનોને આ સંમેલનમાં હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગર તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. ઉપસ્થિત રહેનારા પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોને બસ/ટ્રેનની ટીકીટ તથા એસ.બી.આઇ. બેન્ક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેઇજન...
મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               જામનગર જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઇપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ...

મત ગણતરી કેન્દ્રોના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા અને સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર              જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ શકે મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતર...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                   જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તેથી ભયમુક્ત વાતાવરણ ટાળવા તેમજ સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડી જામનગર જિલ્લામાં ઉક્ત ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા, બોલવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારી...

મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઇ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.          જે અનુસાર ઉપરોકત વિસ્તારના મતદાન મથકોમાં મતદાન એજન્ટપ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટા તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.૧૬/૦૨/૨૦૨૫ ના સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહી.ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચા...

ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેઓએ લગત વિસ્તાર છોડવાનો રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.                  આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા તથા જામનગર તાલુકા પંચાયતના મતદારમંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૧૬/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉ (તા.૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉ...