Tuesday, February 17News That Matters

Author: Admin Admin

રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને નંદ હાઇટસના રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ અને નંદ હાઇટસ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ  આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ રાજકોટ ૧૫ થી ૨૦ લોકો  (૨) નંદ હાઇટસ રૈયા ખાતે ૧૨૫ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલ અને તાલીમમાં જોડાયેલ. ...

૧૭મીએ ગાંધીધામ તથા ૨૧મીએ નખત્રાણા ખાતે તાલુકાકક્ષાનો આયુષ મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ             આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી ગાંધીધામ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો ૧૭/૦૨ ના રોજ પ્રભુદર્શન હોલ, આદિપુર-ગાંધીધામ ખાતે સવારે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક તરીકે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ-ભચાઉ રહેશે. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી પ્રમુખ ગાંધીધામ નગર પાલિકા રહેશે.         જયારે નખત્રાણા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો તા : ૨૧/૦૨ના રોજ સાંઇ જલારામ મંદિર, આનંદ નગર, બસ સ્ટેશન પાછળ નખત્રાણા-કચ્છ ખાતે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક ત...

સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે યોજાયો ભવ્ય ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે પ્રિન્સિપાલ ડો. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ યોજાયો. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેક ફેસ્ટ અંતર્ગત વૈજ્ઞાનિક મોડેલ, પોસ્ટર તથા પેપર પ્રેઝન્ટેશનની સ્પર્ધા, રમતગમત ધારા અંતર્ગત ક્રિકેટ, કબડ્ડી, વૉલીબોલ, ખો-ખો જેવી રમત, જ્ઞાનધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા, સર્જનાત્મક-ધારા અંતર્ગત રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, કૉલાઝ મેકિંગ, વિડીયો મેકિંગ સ્પર્ધા, કલા-કૌશલ્યધારા અંતર્ગત મહેંદી, કોલેજ સુશોભન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.             આ પ્રદર્શનીમાં ટેકફેસ્ટ અંતર્ગતની વિવિધ કૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટની અનેક આકર્ષક કૃતિઓ, ૧૯ જેટલી મનમોહક રંગોળીઓ ઉપરાંત શણગારેલ સાયકલ સાથેનો સેલ્ફી ઝોન, વિવિધ સેલ્ફી ફ્રેમ તથા ગેમઝોન અને ફૂડઝોન પણ આકર્ષણનું કેન્દ્...

જસદણ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ            જસદણ શહેર ભાજપ ની કારોબારી યોજવામાં આવેલ આ કારોબારી બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેલ. આ કારોબારીની બેઠકમાં ગુજરાતમાં મળેલ ખૂબ જ જંગી બહુમતી બદલ સંગઠન અને સરકારના કામના કારણે આવી બહુમતી મળેલ તે બાબતે પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી દ્વારા સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ તેમજ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવેલ ત્યારબાદ જસદણ શહેર સંગઠન અને વિવિધ મોરચા તેમ જ કારોબારીના અપેક્ષિત કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા કુવરજીભાઈ બાવળીયા નું સન્માન કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમ બાદ નગરપાલિકા ઉપપ્રમુખ દીપકભાઈ ગીડા દ્વારા અભિવાદન પ્રસ્તાવ અનુમોદન માટે રજૂ કરવામાં આવેલ. હાજર તમામે આ પ્રસ્તાવના બહુમતથી અનુમોદન આપેલ. આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના ...

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના NSS વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગ દ્વારા, તા. ૧૩/૦૨/૨૦૨૩ ના રોજ જીલ્લા તમાકું નિયંત્રણ સેલ, બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી, થરાદના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેની કોલેજના કુલ ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ભાવિક ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. વી. જેપાલ, જીલ્લા તમાકું નિયત્રંણ સોશિયલ વર્કર અનીલભાઈ રાવળ, સાયકોલોજી કાઉન્સીલર નાંદોલીયા, એમ.પી.એચ.એસ, ભાચર, એમ.પી.એચ. ડબ્લ્યુ, ડોડગામ તથા કોલેજના સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો. આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. સ્પર્ધા શરૂ કરતા પહેલા અનિલ રાવલ દ્વારા તમાકુથી થતા નુકસાન ...

ગીર સોમનાથ જિલ્લામાં થઈ રાષ્ટ્રીય કૃમિનાશક અઠવાડિયાની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય પર અનેક ગંભીર અસરો થાય છે. જેમ કે, કુપોષણ, ભૂખ ન લાગવી, ઝાડા-ઉલટી થવાં, વજનમાં સતત ઘટાડો થવો જેવા ચિહ્નો જોવા મળે છે. બાળકોમાં કૃમિની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડિયા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.           ગીર સોમનાથ જિલ્લામાં પેટા કેન્દ્ર HWC ખાતે, ગામડાઓની પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્ર પર કૃમિનાશક ઉજવણીના ભાગરૂપે વિવિધ ડૉઝ આપવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ૧થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર જ્યારે કોવિડ-૧૯ને અનુસરી ૬થી ૧૯ વર્ષના બાળકોને શાળા મારફતે ડૉઝ આપવામાં આવ્યા હતાં.             જો કોઈ બાળકમાં કૃમિવિષયક સમસ્યા જોવા મળે તો જે-તે વિસ્તારના આંગણવાડી કાર્યકર, આશા બહેનો તેમજ ક્ષેત્રના ...

તા.૨૧ ફેબ્રુઆરીએ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝની સામે,ગઢડા રોડ, મુ.ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ખાતે સવારે ૧૦:૦૦થી બપોરના ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે....

તાલાલા ખાતે ઘરેલુ હિંસા સામે જાગૃતિ સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         મહિલા અને બાળવિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા તાલાલા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.             આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિશે માહિતી, એડવોકેટ જાદવભાઈ દ્વારા નિઃશુલ્ક કાનુની સેવા તેમજ પીએસઆઈ મારૂ દ્વારા મહિલા સુરક્ષા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા મહિલા સુરક્ષાને લગતા વિભિન્ન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.             આ તકે,  પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર અભયમ-૧૮૧ મહિલા હેલ્પલાઈન વિશે જાણકારી આપીને ‘સંકટ સખી’ એપ્લીકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી તેમજ મહિલાઓ સ...

ભાવનગર જિલ્લામાં ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર ડી. કે પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ" નું ભાવનગર જીલ્લામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું. ધનવંતરી આરોગ્ય સ્થ બાંધકામ શ્રમિકો માટે છે. કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા ૩૨ પ્રકારના કામો નો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથ નો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટેનો છે. અત્યાર સુધી કુલ એક ધનવંતરી આરોગ્ય રથ ભાવનગર જીલ્લાના કુલ ચાર(૪) કડીયાનાકા (વડલા, બોરડી ગેટ, લિંબડિયું, મંત્રેશ), બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ માટે કાર્યરત છે. ...

અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો કરાવ્યો શુભારંભ  

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જળ સંપત્તિના ભાગરૂપે પાણીની ગુણવત્તા પરીક્ષણ કીટ, ડિજિટલ પાણી સૂચક, અને પાણીનું ઓડિટ થાય તે માટે પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવા...