Monday, September 7News That Matters

Gujarat

મોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

મોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી          દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે.          મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.          મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસ, ૨૯૯ દિવ્યાંગ લાભાર્થીઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ, મનોદિવ્યાંગ કેટેગરીના ૧૧૭૩ નાગરિકોને વિવિધ સહાય, ...
વડોદરાના એક આરોગ્યકર્મીની અનોખી સેવા, ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ

વડોદરાના એક આરોગ્યકર્મીની અનોખી સેવા, ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      વિરાટ કોહલીએ ક્રિકેટમાં હજારો રનના ઢગલા ખડક્યા છે. સરખામણી થોડી વિચિત્ર ભલે લાગે. પરંતુ સયાજી હોસ્પિટલમાં ૨૩ કરતા વધુ વર્ષોથી, જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ૩૦ હજારથી વધુ મૃતદેહોને, તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટ મોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે.  સહુને સહુથી વધુ ડર મોતનો લાગે છે. પરંતુ જગદીશભાઈ એ શબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી, મૃત્યુંના ડર ને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે. જો કે, રાતદિવસ મૃતદેહો સાથે પનારો પડવા છતાં એમની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ નથી.  આ ભડવીરને જ્યારે એકવાર બે વર્ષની બાળકીના શબ પર શલ્યકામ કરવાનું થયું ત્યારે, એમને પોતાના માસૂમ બાળકો યાદ આવી ગયા અને એમના હાથ ધ્રુજી ઉઠ્યા હતા. તેમણે રડતી આંખે અને ભારે...
નાગરિકો ને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસ ના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

નાગરિકો ને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસ ના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા  -મુખ્યમંત્રી- - વડોદરા સહિત રાજ્યના ૧૦ શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન કર્યું છે. - વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ બનાવવામાં આવશે. -પ્રધાનમંત્રીએ શહેરીકરણને આફતને બદલે વિકાસનો અવસર બનાવતા શીખવ્યું છે. - રાજ્યના શહેરોને લવેબાલ અને લીવેબલ બનવાવા ના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે.      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગર પાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં રૂ.૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતી અનાવરણ દ્વારા કર્યા હતા. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા :: મુખ્યમંત્રી :: ૦ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ દ્વારા કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આગવું કદમ છે. ૦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી લોજિસ્ટિક્સમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૦ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે 31 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાશે. ૦ રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે. :: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ :: ૦ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે. ૦ ગતિશક્તિ યુ...
મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કૃષિ પરિસંવાદ અન્વયે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને કરવા માંગતા હોય તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા અંગે સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં વિશેષ સ્ટોલ રાખી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામકશ્રી(વિ.), મદદની...
મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; ૮૭ પ્રશ્નો સામે આવ્યા

મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; ૮૭ પ્રશ્નો સામે આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી       મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના ૩૨ ગામોની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાને ટંકારા તાલુકાના ૫, વાંકાનેર તાલુકાના ૭, મોરબી તાલુકાના ૮, હળવદ તાલુકાના ૭ અને માળીયા(મી.) ૫ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતનઓ મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિવારણ લાવવાનો છે. ત્યારે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે સંબંધિત ખાતાને કલેક્ટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૩૨૦ પ્રશ્નો મળ્યા હતા, જેમાંથી ૧૭૭ પ્રશ્નો સંદર્ભે કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બાકીના ૧૪૩ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી પ્રગતિ હેઠળ ...
મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહુવા  ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ અંતર્ગત આવતા કોસ ગામે રૂ.૩૬.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર 'આયુષ્માન આરોગ્ય મંદિર- કોસ-૧' નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું.            આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, નવા આરોગ્ય મંદિર થકી ગ્રામજનો માટે આરોગ્ય સેવાની નવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ અને પ્રભાવશાળી બનશે. ગ્રામજનોની આરોગ્યની કાળજી માટે તેમજ આરોગ્ય સંસાધનોના વ્યાપ વધારવા માટે આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે.               આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શ્રીમતી શીલા બેન, તા.પં. ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન, તા. પંચાયતના સભ્યો, સરપંચ, ગામ આગેવાનો તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા....
કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે 'ભારત ટેક્સ-૨૦૨૫' માટે રોડ શો યોજાયો હતો. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર & માર્ટ ખાતે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ અને ડાઈઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, ભારત ટેક્સ-૨૦૨૫ એ વૈશ્વિક કાપડ વ...
ઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

ઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત         કેન્દ્ર સરકારે ૭૦ વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને 'આયુષ્માન ભારત' યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વય વંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.                    વન, મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયુષ્માન ભા-રત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમજેવાય યોજના સંલગ્ન હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધારકાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્માન વય વંદના કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા આવેલા વડ...
વલસાડ શહેરના વિકાસ માટે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે વિવિધ જગ્યા એ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

વલસાડ શહેરના વિકાસ માટે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે વિવિધ જગ્યા એ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ       નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા પંચાલત પ્રમુખ મનહરભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થતિમાં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ રૂ.૪૩.૪૨ કરોડના ખર્ચે નવા બનનારા હાઇ લેવલ ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ બ્રિજ ૨૪ મીટરના કુલ ૧૦ ગાળા સાથે એકંદરે ૨૪૦ મીટર લંબાઈ અને ૧૫ મીટર કેરેજ-વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ ૨૨૫ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ ૨૦૬ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે. આ સાથે મંત્રીના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું તેમજ શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું....