હિન્દ ન્યુઝ, ભુજ
નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર, નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત ડાયાબીટીસ નિવારણ કેમ્પ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે આજે તા.૦૬/૦૪/૨૦૨૨ના રાખેલ છે જેમાં આ મુજબની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મફત બ્લડ સુગર ચેક અપ.ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ. ભુજ-કચ્છ ખાતે દર મહિનાના પહેલા બુધવારે (તા.૦૬/૦૪/૨૦૨૨) સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાક સુધી કેમ્પનો લાભ લઇ શકાશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તેવું વૈદ્ય પંચકર્મ વૈદ્ય બર્થા બેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
