Monday, September 7News That Matters

Gujarat

જિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

જિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વહેલી તકે ન્યૂમોનિયાના લક્ષણો ઓળખીને સારવાર આપવાથી બાળમૃત્યુ દર અટકાવી શકાય છે. “સાંસ”કેમ્પેઇનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂમોનિયા દ્વારા બાળમૃત્યુ દર અટકાવવાનો છે.“સાંસ”કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-૫ પ્રોજેક્ટ સાથે મળી આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ ઝૂંબેશના ભાગરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ્હસ્તે માતાઓ અને બાળકો માટે“સાંસ” કેમ્પેઈનના આઈ.ઈ.સીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઈન અંતર્ગત ન્યૂમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ જોઇએ? ન્યૂમોનિયા થાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે મેળવવી જોઈએ? ન્યૂમોનિયાના લક્ષણો શું છે? વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈ.ઈ.સી અંતર્ગત ગીર સોમનાથની ૧૦૦૦ આશા બહેનોને પેમ...
નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલીની ઉમદા કામગીરી

નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલીની ઉમદા કામગીરી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,, નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આજથી બે વર્ષ પહેલા નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૫ વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ અને મૂક હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી હતી. આમ છતાં, નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતા તેમના પરિવાર અને વતનની માહિતી મળી હતી. આશ્રિત મહિલા મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આશ્રિત મહિલાના પરિવારજનોએ વર્ષ-૨૦૨૨ માં રાયગડ જિલ્લાના પેણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વ...
આઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

આઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આઈ.સી.એ.આર. દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તા.12/12/2024ને ગુરૂવારના રોજ આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિક ડૉ.પી.એસ.બ્રામ્હણે, સી.એફ.મુંબઈ દ્વારા કે.વી.કે દેડીયાપાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ નિદર્શન એકમો - નેચરલ ફાર્મિંગ યુનિટ, એઝોલા, મત્સ્યપાલન, બકરા સંવર્ધન એકમ, મિશ્ર ફળપાક બગીચો, પોષણ વાટિકા, ફાર્મ પોન્ડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની મુલાકાત લઈ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ઈન્સટ્રકશનલ ફાર્મ તેમજ મિલેટ પ્રોસેસિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન કે.વી.કે. દેડિયાપાડાના વડા ડૉ. એચ.યુ.વ્યાસ તેમજ આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ડૉ.વી.કે.પોશિયા અને સમગ્ર કે.વી.કે.નો સ્ટ...
જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી. મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબીલીટી-શહેરી પરિવહન, નગરપાલિકાઓની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અંગે ચર્ચા વિચારણા કરી લોકોની જરૂરીયાતોને પ્રાથમિકતા આપવા માટે કામગીરી કરવા ચીફ ઓફિસરોને અને લગત અધિકારીશ્ર...
ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર        ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલ છે અને રસ્તા પર એકલી મળી આવી છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે.            આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને પીડિતાનું રેસ્ક્યુ કર્યા બાદ ઈમોશનલ સપોર્ટ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. બાદમાં પીડિતાએ પોતાનું નામ જણાવ્યુ હતું. ટીમના અનેક પ્રયાસો પછી, પીડિતાના પરિવારનો સંપર્ક થઈ શક્યો હતો અને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. માનસિક રીતે અસ્થિર મહિલાને મદદ કરી તેમના પરિવાર પાસે સુ...
જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું

જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જીલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એક્ટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત ( માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી ) નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ કોઈ પણને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગ...
1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી જાંબુડા ગામે બે કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું

1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી જાંબુડા ગામે બે કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનો જામનગર 1962 એમ્બ્યુલન્સના ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે અને તે ગાય અસહ્ય પીડાથી રીબાઈ રહી છે.જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા 1962 ની ટીમમાંથી ડો.હિતાંશુ પાટીલ, ડો.એમ.એસ.વાઢેર પાઇલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું છે અને ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે.ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી અને બે કલાક લાંબા ચાલેલા ઓપરેશન અને ભારે જેહમત બાદ ગાયના ગર્ભાશયની સારવાર કરી તેને ફરી રિપ્લાન્ટ કર્યું હતું અને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલ એક અબોલ પશુને નવું નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર સૂફયાન અને પ્...
માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત • ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત • માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું • નજીવા દરે ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂ. ૩૭/-ની સબસીડી • યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨.૯૩ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું...
ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

Gujarat
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૪૮ મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે. ત્યારે ભવિષ્યમાં દેશના ભાવી વૈજ્ઞાનિકો બનાવવા માટે બાળ વિજ્ઞાન મેળાઓ બાળકોને ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આ પ્રંસગે જણાવ્યું હતું. જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ...
ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હસમુખભાઈ ભંડારી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી થતી ઝેરયુક્ત ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વખતોવખત નિઃશૂલ્ક જીવામૃતનુ વિતરણ કરી રહ્યા છે. ઉમરગામના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનની બાજુના મેદાન પર યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે ૮૦૦ લીટર અને બીજા દિવસે પણ ૮૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ દિવસે ૪૦૦ ખેડૂતો અને બીજા દિવસે ૩૫૦ ખેડૂતોએ લાભ લીધો હતો. એક ખેડૂત દીઠ ૧૦ થી ૫૦ લીટર સુધીનું જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને જીવામૃતથી થનારા ફાયદા અને જીવામૃત કેવી રીતે બનાવવુ તે અંગેનું માર્ગદર્શન પણ પ્રગતિશીલ ખેડૂત હસમુભા...