ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની દરકાર માટે કરૂણા અભિયાન
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ
પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ "કરૂણા અભિયાન" કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે.
ઉત્તરાયણ પર્વ નિમિતે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાક થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.
ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે વન વિભાગનો હેલ્પલાઇન નંબર- ૦૨૬૯૨-૨૬૪૮૫૫, ૨૬૪૮૫૪, સ્વયં સંચાલિત વેબસાઈટ હેલ્પલાઈન નંબર – ૮૩૨૦૦૦૨૦૦૦ પર "કરુણા" લખી વોટ્સએપ કરી શકાશે તેમજ એનિમલ હેલ્પલાઇન નં...

