Sunday, September 6News That Matters

Gujarat

જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે. જેના પરિણામે અનેક યુવાઓની કલાક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે.શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે.              ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલામહાકુંભ ૨૦૨...
પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર              દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.     આ કડક કાર્યવાહી પાછળના કારણો: રાષ્ટ્રીય સુરક્ષા: પી...

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટના અભ્યાસ મુલાકાતે પધાર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઝઘડીયા ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો બુધવારે ભરૂચ જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા. આ સમિતિના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાના મોટી ભમરી ખાતે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાએ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી ભરૂચ જિલ્લામાં આવકાર્યા હતા. ૧૫મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ૧૧ જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની સાથે કુલ ૬ સભ્યો પૈકી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા મોટીભમરી ખાતેના લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળાં સમિતિ સાથે જોડાયા હતા. સમગ્ર ટીમના સભ્યોએ કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. આ વેળાએ, ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવાએ પણ ખેડૂત આગેવાનો ત...

મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષસ્થાને શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ”માં રાજ્યનાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા પટાંગણમાં આવી પહોંચતા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્યની સાથે આવકાર કરવામાં આવ્યો હતો. રાજ્યનાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ ૨૦૨૪-૨૫” ની ઉજવણીમાં જણાવ્યું હતું કે, ૧૯૫૯ ના સાલમાં શરૂ થયેલી આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વનો ફાળો રહ્યો છે. આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને ભારત દેશના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ૨૦૪૭નું ...

સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય (વેડરોડ)ના વિદ્યાર્થીઓએ I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો, ટ્રાફિક સિગ્નલોને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ(વેડ રોડ)ના ૮૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભૂત શિસ્ત અને ટીમવર્ક સાથે I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી. શહેર પોલીસના ‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’માં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શાળાસ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ...

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વૉર્મિંગ સૌથી મોટો પ્રશ્ન છે. ખ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર આગમન થતા એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ દરમિયાન જામનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આજે સર્કિટ હાઉસ જામનગર ખાતે અધિકારીઓ અને ખેડૂત ટ્રેનરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર સમીક્ષા બેઠક યોજશે. તેમજ આવતીકાલે સવારે લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કરશે. ત્યાંથી તેઓ ખંભાળીયા જવા રવાના થશે....

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યાં હતાં. આ ઉપરાંત ‘સ્ત્રી સશક્તિકરણ’, ‘વિવિધતામાં એકતા’, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘પર્યાવરણનું રક્ષણ’ જેવી થીમ પર અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી ગરબો, દુહા, છંદ, ચોપાઈની રમઝટ બોલાવવામાં આવી હતી અને લગ્ન ગીત તેમજ રાજસ્થાની નૃત્ય રજૂ કરાયાં હતાં. કલેક્ટરએ પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, કોલેજકાળ વિદ્યાર્થીઓનો સુવર્ણકાળ હોય છે. આ કોલેજકાળને માણવાની સાથે...
ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વેરાવળ            જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાગરિકલક્ષી કામોની અવિરત વણજાર ચાલુ છે ત્યારે વેરાવળ તાલુકાના ઊંબા ખાતે કલેક્ટરએ રસ્તાના પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે કલેકટરની અનુસૂચિત જાતિ ગ્રાંટમાંથી ઊંબા ગામ ખાતે દિનેશભાઇ આલા ગોહેલના ઘરની બાજુમાંથી પીઠા મંગા વાળાના ઘર સુધી જોડતાના રસ્તા પર તેમજ આંતરીક રસ્તામાં પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.            કલેક્ટરએ આ અવસરે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતાં કામો ટકાઉ અને ઝડપથી થાય તે રીતે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. ઝુંબેશરૂપે ચાલતા આ વિકાસકાર્યમાં વહીવટી તંત્ર દ્વારા ૪૦ દિવસમાં ૪૦૦થી વધુ કામો કરાયાં છે. સરકાર તરફથી વિવિધ વિભાગને મળતી ગ્રાન્ટનું સુનિયોજી...
દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ મહિલા સશક્તિકરણનો સૌથી અસરકારક રસ્તો મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ અભિગમ છે. સ્વ–સહાય જૂથોમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ આર્થિક પરિવર્તન માટેનું એક શક્તિશાળી પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોહાણા મહાજન વંડી ખાતે દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ થકી સમાજ વધુ સશક્ત અને ઉન્નત બનશે. મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ સમાજની કરોડરજ્જુ બની છે. આમ કહી તેમણે ઉપસ્થિત સર્વે મહિલાઓને પ્રગતિના શિખરો સર કરવાના અભિનંદન પાઠવ્યા હતાં. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીએ પ્રેરણાદાયક વક્તવ્યમાં જણ...