જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર
મંત્રીએ સોનલ નગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી વાલીઓ સાથે લાગણીસભર ગોષ્ઠિ કરી શિક્ષણનું મહત્વ સમજાવવાની સાથે રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓની માહિતી આપી
જામનગર ખાતે યોજાયેલ ‘સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, ‘કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે’ તેવા રાજ્ય સરકારના દ્રઢ નિર્ધારને ચરિતાર્થ કરવા માટે તેમણે પોતે ગ્રાઉન્ડ લેવલ પર મોરચો સંભાળી જામનગરના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ થયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી.
મંત્રીએ સોનલ નગર વિસ્તારમાં ...







